By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    10 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    10 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    11 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    11 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    11 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાસ્તિક અને ઇન્ટેલિજન્ટ ભગતસિંહ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > નાસ્તિક અને ઇન્ટેલિજન્ટ ભગતસિંહ!
AuthorNaresh Shah

નાસ્તિક અને ઇન્ટેલિજન્ટ ભગતસિંહ!

Khaskhabar Editor
Last updated: 2022/02/02 at 2:23 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

આઝાદી પછી કોઈ મહાનુભાવનું પૂર્નમૂલ્યાંકન થઈને સૌથી વધુ ડિમાન્ડમાં આવ્યાં હોય તેવા બે દિગ્ગજો જ 2હ્યાં છે : એક સ2દા2 વલ્લભભાઈ પટેલ, બીજા શહીદ ભગતસિંહ

ભારત વર્ષની અત્યારની સ્થિતિ અત્યંત દયનીય છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનુયાયીઓના જાની દુશ્મન છે. હવે તો એક ધર્મનું હોવું જ, બીજા ધર્મના કટ્ટર દુશ્મન હોવા બરાબર છે. જો આ વાત પર ભરોસો ન બેસતો હોય તો તાજેતરમાં થયેલાં તોફાનો જ જોઈ લો…. આ સ્થિતિમાં હિન્દુસ્તાનનું ભવિષ્ય ભારે અંધકારમય દેખાય રહ્યું છે. આ ધર્મોએ હિન્દુસ્તાનનો બેડો ગર્ક કરી દીધો છે અને ખબર નથી કે આ પ્રકારના ધાર્મિક તોફાનો ભારત વર્ષનો કેડો ક્યારે મૂકશે. આ તોફાનોએ આખી દુનિયાની નજરમાં ભારતને બદનામ કરી મૂક્યું છે.

Contents
આઝાદી પછી કોઈ મહાનુભાવનું પૂર્નમૂલ્યાંકન થઈને સૌથી વધુ ડિમાન્ડમાં આવ્યાં હોય તેવા બે દિગ્ગજો જ 2હ્યાં છે : એક સ2દા2 વલ્લભભાઈ પટેલ, બીજા શહીદ ભગતસિંહશાહનામા – નરેશ શાહ 

શાહનામા
– નરેશ શાહ 

પ્રથમ નજરે કોઈ રાજકીય પક્ષ્ાના નેતા કે સેક્યુલર દિમાગનું આ સ્ટેટમેન્ટ લાગે એવો આજકાલનો માહૌલ છે પણ આ શબ્દો 19ર8 માં લખાયેલાં એક લેખના છે, જેના લેખક શહિદ ભગતસિંહ (જન્મ : ર7 સપ્ટેમ્બર, 1907) હતા. આઝાદી પછી કોઈ મહાનુભાવનું પૂર્નમૂલ્યાંકન થઈને સૌથી વધુ ડિમાન્ડમાં આવ્યાં હોય તેવા બે દિગ્ગજો જ રહ્યાં છે. એક સરદાર વલ્લભભાઈ પટેલ. બીજા શહીદ ભગતસિંહ. લાહોરના અંગે્રજ પોલીસ અફસર સાઉન્ડર્સની હત્યા અને દિલ્હીના એસેમ્બલી હોલમાં જાનહાની ન થાય એવો નિર્દોષ બોમ્બ ફોડવાના ગુનામાં પકડાયેલાં ભગતસિંહને અંગે્રજોએ બીકના માર્યા, ર3 માર્ચ, 1931ના દિવસે, નિયત સમય કરતાં અગિયાર કલાક વહેલાં(રાજગુરૂ અને સુખદેવની સાથે) ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અંગે્રજોએ તેમના મૃતદેહના ટૂકડા કરીને સતલજ નદીના કાંઠે જલાવી દીધા પછી નદીમાં વહાવી દીધા હતા.

- Advertisement -

માત્ર ર3 વર્ષની ઊંમરે શહિદીને વરેલાં ભગતસિંહ માટે ગુલામ ભારતીય જનતા જેટલો આદર વ્યક્ત કરતી હતી એટલું મહત્વ એ વખતે મોટાભાગના આઝાદીની લડત લડતાં આગેવાનોએ ભગતસિંહને આપ્યું નહોતું એ દિલ ચીરી નાખતી સચ્ચાઈ છે. ફાંસીના સોળ વરસ પછી આઝાદ થયેલાં આ દેશની પોલિટિકલ પાર્ટીઓને મન ભગતસિંહ માત્ર ર6મી જાન્યુઆરી અને 1પમી ઓગસ્ટે યાદ કરવાનું કિરદાર જ હતું. આપણને ગમે કે ન ગમે, હકિક્ત એ છે કે 1990 પછી કોમ્યુનિસ્ટોને કારણે શહિદ ભગતસિંહ ફરી લાઈમલાઈટમાં આવ્યા પછી કોંગે્રસ, ભાજપ, આરએસએસ સહીત બધા ભગતસિંહને પોતાના ગણાવા લાગ્યાં છે. બાકી હતું તે ર017માં ઈમ્તિયાઝ રાહિદ કુરૈશી નામના એક પાકિસ્તાનીએ કરેલા કોર્ટ કેસથી શહિદ ભગતસિંહ કરન્ટ ટોપિક બની ગયા. ઈમ્તિયાઝ કુરૈશી પાકિસ્તાનનના ં(ભગતસિંહનો જન્મ પાકિસ્તાનનાં લ્યાલપુર જિલ્લાના બંગા ગામે થયો હતો) ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેમણે કેસ ર્ક્યો કે, બ્રિટિશ સરકારે પુરાવા વગર, માત્ર ખૂન્નસ અને ડરથી જ ભગતસિંહને ફાંસીએ ચઢાવી દીધા હતા એટલે બ્રિટિશ સરકાર (જલિયાવાંલા બાગની ક્તલેઆમ માટે માંગી હતી તેમ) ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ માટે માફી માંગે અને એ માટેનો દંડ પણ તેમના પરિવારને ચૂક્વે

1907માં જન્મેલાં આઝાદીના એક શૂરવીર ર017માં, એક્સો દશ વરસ પછી પણ વિષય બને તેને અન્યાયની આડઅસર જ માનવી રહી. ગાંધીજીની ગળથૂથી પીને ઉછરેલાં ભારત વર્ષમાં જો કે આમ પણ આઝાદી કે ઈન્સાફ માટે કાંઠલો પકડી લેનારાં પ્રત્યે પ્રમાણમાં આદર ઓછો, અણગમો વધારે જગાડે તેવું માઈન્ડ સેટ જ રહ્યું છે એટલે આપણા ક્રાંન્તિકારી શહીદો વિશે બહુ મોડે મોડેથી જાગૃતિથી આવી છે. આ કારણે જ ગાંધીજી, નહેરુ કે સરદારની જેમ-જેટલાં આપણા શહીદોનું શતપ્રતિશત વ્યક્તિત્વ જવલ્લે જ ઉપસ્યું છે. શહીદ ભગતસિંહ તેમાંના એક છે. મનોજકુમાર કે અજય દેવગણને જોઈને કે મતલબી રાજકારણીઓના મોઢેંથી અધુરા સત્યોને સાંભળીને ભગતસિંહ વિષેની ઈમેજ મનોમન બનાવી લેનારાં એ જાણતાં નથી કે માત્ર ર3 વરસની ઊંમરે ફાંસીએ ચઢી ગયેલાં ભગતસિંહ એક ઉત્તમ લેખક-વિચારક હતા. તેમણે લાહોરના ધ પીપલ દૈનિક ઉપરાંત અનેક પ્રકાશનોમાં અનેક વિષયો પર લખ્યું હતું અને સચોટ લખ્યું હતું. જાતિ ભેદભાવ વિષે 19ર8 માં ભગતસિંહે લખેલું આ વાક્ય વાંચો : કૂતરો આપણા ખોળામાં બેસી શકે છે. આપણા રસોડામાં ફરી શકે છે પણ એક માણસ જો આપણને સ્પર્શી જાય તો બસ, આપણો ધર્મભ્રષ્ટ થઈ જાય છે
સૌથી ઈન્ટરેસ્ટીંગ વાત તો એ છે કે ભગતસિંહ નાસ્તિક હતા.

ભગવાનમાં માનતા નહોતા. ફાંસી પૂર્વે લાહોર જેલમાં તેમની સાથે સ્વાતંત્ર્ય સેનાની બાબા રણધીરસિંહ પણ હતા. તેમણે ભગતસિંહને મળીને તેમને આસ્તિક બનવા માટે સમજાવ્યાં અને છેવટે છણકો પણ ર્ક્યો : પ્રસિદ્ધિએ તારું દિમાગ ખરાબ કરી નાખ્યું છે અને તું અહંકારી બની ગયો છે એટલે જ…. બાબા રણધીરસિંહને જવાબ દેવા માટે જ હું નાસ્તિક કેમ છું? નામથી ભગતસિંહે લેખ લખેલો, જે લાહોરના ધ પીપલ અખબારમાં છપાયેલો. એકદમ વૈજ્ઞાનિક તથ્યો અને ધારદાર તર્ક તેમજ પાયાદાર મુાઓ સાથેનાં આ વિસ્તૃત લેખમાં ભગતસિંહ એક સવાલ પૂછે છે : જો તમને વિશ્ર્વાસ હોય કે એક સર્વશક્તિમાન, સર્વજ્ઞાની અને સર્વવ્યાપક ઈશ્ર્વર છે, જેણે આ વિશ્ર્વની રચના કરી છે તો મહેરબાની કરીને મને એ જણાવો કે (દુ:ખો, કષ્ટો અને સંતાપો ભરી) આ દુનિયાની રચના તેણે કરી જ શા માટે ?…. (એ પછી રોમના નીરો અને ચંગેઝખાનના જુલમી શાસનના ઉલ્લેખ પછી ભગતસિંહ લખે છે) એ પરમ ચેતનાએ આ વિશ્ર્વ અને તેના મનુષ્યોની રચના આનંદ લૂંટવા માટે કરી છે ? તો પછી તેનામાં અને નીરો (તેમજ ચંગેઝખાન) માં ફરક શું છે ?

- Advertisement -

ભગતસિંહ આસ્તિક નહોતા તેમ રતિભાર પણ સંકૂચિત માનસના પણ નહોતા. નાત-જાત-છૂત – અછૂતમાં માનતા નહોતા. પોતે ધર્મનિરપેક્ષ્ા છે એ પૂરવાર કરવા માટે જ તેમણે શીખોની ઓળખ જેવી પાઘડી પહેરવાનું બંધ કરી દીધું હતું અને પોતાના લાંબા વાળ પણ કપાવી નાખ્યા હતા. હેટ સાથેનો ભગતસિંહનો જે ફોટોગ્રાફ સૌથી વધુ પોપ્યુલર છે એ હેટ રામપ્રસાદ બિસ્મીલની હોવાનું કહેવાય છે પરંતુ ભગતસિંહ અને બિસ્મીલ ક્યારેય મળ્યાં જ નહોતા. આ ફોટો તેમણે દિલ્હીના સ્ટૂડિયોમાં પડાવ્યો હતો (જે ફોટો થકી જ અંગે્રજ પોલીસે પછીથી ભગતસિંહ વિષેની તમામ તપાસ કરી હતી ) આ તસવીર કાશ્મીરી ગેટ પર આવેલાં રામનાથ ફોટોગ્રાફર્સના સ્ટૂડિયોમાં 4 એપ્રિલ, 19ર9ના લેવામાં આવી હતી. સૌથી પહેલાં એ ફોટોગ્રાફ વંદેમાતરમ્ે 1ર મી એપ્રિલે છાપવાની હિંમત કરી હતી કારણ કે અંગે્રજ હકુમત દેશોહનો આરોપ લગાવે તેવી ભિતી બધા મિડિયા હાઉસને ત્યારે હતી. હા, આ ફોટોગ્રાફથી ભગતસિંહનો એક ઉેશ પૂરો થયાનું આપણે માની શકીએ : શીખ નહીં, પણ શહીદ ભગતસિંહ તરીકે જ આપણા મન પર અંક્તિ થઈ ગયા તેઓ આ ફોટોગ્રાફથી !

ભગતસિંહ એક સવાલ પૂછે છે : જો તમને વિશ્ર્વાસ હોય કે એક સર્વશક્તિમાન, સર્વજ્ઞાની અને સર્વવ્યાપક ઈશ્ર્વર છે, જેણે આ વિશ્ર્વની રચના કરી છે તો મહેરબાની કરીને મને એ જણાવો કે (દુ:ખો, કષ્ટો અને સંતાપો ભરી) આ દુનિયાની રચના તેણે કરી જ શા માટે?

You Might Also Like

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈશ્વર મને વરદાન આપવા આવે તો શું માંગવું, એ માટે એક દિવસ વિચાર કરવો પડે: મૌલેશ પટેલ
Next Article ધંધુકાના મૃતક કિશન ભરવાડની 20 દિવસની દીકરીની જવાબદારી આ શ્રેષ્ઠીએ ઉપાડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?