હવન અષ્ઠમી દિવસે માઇ ભક્તો દ્વારા મહાપ્રસાદનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની ટોચ પર બિરાજમાન જગત જનનની માં અંબાની ઉદયન પીઠ ખાતે આવતીકાલ નવરાત્રી પર્વના આઠમાં નોરતે હવન અષ્ટમીનો યજ્ઞ માતાજી સનમુખ સાવરે 8 વાગે શરુ થશે અને 12: કલાકે યજ્ઞમાં બીડું હોમવામાં આવશે તેમ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ જણાવ્યું છે. નવરાત્રીના પાવન પર્વ નિમિતે ગીરનાર અંબાજી મંદિર સહીત ધર્મ સ્થાનોમાં નવ દિવસ માતાજીના અનુષ્ઠાન માઇ ભક્તો દ્વારા કરવામાં આવેછે ત્યારે માતાજીના ગરબા સાથે માતાજીની આરાધના અને ભક્તિ મય વાતાવરણમાં નવ દિવસ સુધી માતાજીની સ્તુતિ કરવામાં આવેછે ત્યારે નવરાત્રી પપર્વનું આવતીકાલે આઠમાં નોરતે હવન રાખવમાં આવ્યો છે જેમાં માઇ ભક્તો દ્વારા દર્શન તેમજ મહા પ્રસાદનું આયોજન અંબાજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે.