જૂનાગઢ કૃષિ યુનિ.નાં અધિકારીઓ સામે વધુ એક રજૂઆત
નાણાકીય અને વહીવટીય ગેરરીતિની ઊચ્ચકક્ષાએ રજૂઆત અને ફરિયાદ થઇ હોવા છતાં નિમણુંક
- Advertisement -
કૃષિ યુનિ.નાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા અને અન્ય સામે ઢગલાબંધ રજૂઆતો છતાં કોઇ કાર્યવાહી નહીં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અધિકારીઓ સામે વધુ એક રજુઆત થતા ભારે ચર્ચા જાગી છે. અગાઉની રજુઆતની તપાસ અને રીપોર્ટ પેન્ડિગ હોવા છતા ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી હોવાનું રજુઆત કહેવામાં આવ્યું છે.તેમજ નાણાકીય અને વહીવટીય ગેરરીતીને લઇને પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે. એટલું જ નહી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા અને અન્ય સામે ઢગલાબંધ રજુઆતો થઇ હોવા છતા કોઇ જ પરિમાણ આવ્યું નથી. તેમજ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક બાદ જો કૃષિ યુનિવર્સિટીને જાણે કોઇ ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સામે એક બાદ એક રજુઆતો થઇ રહી છે. તેમજ જુદાજુદા વિવાદ સામે આવી રહ્યાં છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને લઇ વધુ એક રજુઆત મુખ્યમંત્રી સુધીનાંને કરવામાં આવી છે.જેમાં ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક સામે સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. તેમજ તપાસ અને રીપોર્ટ પેન્ડિગ હોવા છતા નિમણુંક કરવામાં આવી હોવાનાં આક્ષેપ થયા છે.
આ અંગે જૂનાગઢનાં વિરલ જોટવાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી, અગ્રસચિવ, સયુંકત સચિવને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે, વ્હીસલ બ્લોઅરનાં નાતે જાહેર નાગરિકનાં હિતમાં કામગીરી કરીએ છીએ. એક માહિતી મુજબ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડો.એ.આર.પાઠક અને ડૉ. વી.પી. ચોવટિયાની સામે નાણાંકીય અને વહીવટીય ગેરરીતીની ફરિયાદ કરી હતી. જેના પગલે ઉપસચિવ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી ફરિયાદને ધ્યાને રાખી પૂર્વ કુલપતિ ડો.એ.આર.પાઠક અને ડૉ. વી.પી. ચોવટિયાની સામે પ્રાથમિક તપાસ કરીને તેનો અહેવાલ રજુ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન ડૉ. વી.પી. ચોવટિયાને લાભ અપાવવાનાં બદઇરાદાથી લભા અપાઇ રહેલ છે. અધુરી માહિતી મોકલવા અને ડૉ. વી.પી. ચોવટિયા વિરૂધ્ધ તપાસ પેન્ડિગ છે. પૂર્ણ વિગતવાર રીપોર્ટ મોકલવા અરજી કરેલ તેમ છતા પણ ઉચ્ચકક્ષાએથી વિગતવાર રીપોર્ટ રજુ કરવા જણાવેલ હોવા છતાં અને તપાસ અને રીપોર્ટ પેન્ડિગ હોવા છતા કુલપતિ પદે ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક રદ્દ કરી ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી કરવામાં માંગ છે.
- Advertisement -
કુલપતિ સામે કાર્યવાહી ન કરવામાં કોને ફાયદો?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક રજુઆતો થઇ છે. પરંતુ સરકાર દ્વારા કોઇ પગલ લેવામાં આવતા નથી. તેમજ કોઇ યોગ્ય કે તટસ્થ તપાસ કરવામાં આવતી નથી. કૃલપતિ સામે કાર્યવાહી ન કરવામાં કોને ફાયદો થઇ રહ્યો છે? તેની સામેની તપાસમાં ઢીલીનીતીનું કારણ શુ હોય શકે? તેવા અનેક સવાલ ઉઠી રહ્યાં છે.