By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૃતાત્મા સાથે ગપસપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > મૃતાત્મા સાથે ગપસપ
AuthorJagdish Acharya

મૃતાત્મા સાથે ગપસપ

Khaskhabar Editor
Last updated: 2022/02/09 at 2:25 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

આ તરફ ભારતીય જ્ઞાન, તે તરફ વિજ્ઞાન 

જગદીશ આચાર્ય
ભગવાન બુદ્ધે નિર્વાણ પહેલાં એવી ઘોષણા કરી હતી કે મૈત્રેયના નામે તેઓ વધુ એક વખત અવતાર ધારણ કરશે.એ વાતને અઢી હજાર વર્ષ વીતી ગયા પણ મૈત્રેયનું આગમન ન થયું.સાધકોને એવા સંકેત મળતાં હતા કે ભગવાન બુદ્ધ અવતાર તો ધારણ કરવા માંગે છે પણ યોગ્ય ગર્ભ ઉપલબ્ધ નથી.ત્યારે એક અદભુત કોશિશ કરવામાં આવી.થિયોસોફીસ્ટોએ એવી વ્યક્તિ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો કે જેના શરીરમાં બુદ્ધ પ્રવેશ કરી શકે અને ત્યારબાદ એ શરીરના માધ્યમથી કાર્ય કરી શકે.

એની બેસન્ટ અને લીડ પીટરની આગેવાનીમાં થિયોસોફીસ્ટોએ આ હેતુ માટે યોગ્ય પાત્ર શોધવાનું શરૂ કર્યું.અંતે જે.કૃષ્ણમૂર્તિ,તેમના ભાઈ નિત્યાનંદ,કૃષ્ણમેનન અને જ્યોર્જ એરન્ડલ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો.એ ચારેય ને “કેળવવા”નું શરૂ કરાયું.પણ બુદ્ધના આત્માના વાહક બનવા યોગ્ય પાત્રતા મેળવવા માટે કરાયેલી ચેષ્ટાઓના અતિરેકને કારણે નિત્યાનંદનું મૃત્યુ થયું.આ ઘટનાથી તેના પિતા ગભરાયા.એક પુત્રને ગુમાવી ચૂકેલા પિતાએ બીજા પુત્ર કૃષ્ણમૂર્તિને બચાવવા માટે થિયોસોફીસ્ટો પાસેથી તેનો કબ્જો લેવા માટે અદાલતના દ્વાર ખખડાવ્યા.કાનૂની જંગ જીતી શકાય તેમ નથી એવું લાગતાં એની બેસન્ટ નવ વર્ષના કૃષ્ણમૂર્તિને લઈને ભારત છોડીને ભાગી ગયા.બાદમાં કૃષ્ણમૂર્તિ ઉપર ઘણી મહેનત કરવામાં આવી અને એક દિવસે જાહેર કરાયું કે કૃષ્ણમૂર્તિ હવે “તૈયાર” છે.

- Advertisement -

આખી દુનિયામાંથી છ હજાર લોકો બુદ્ધના અવતરણને નજરો નજર નિહાળવા હોલેન્ડમાં એકઠા થયા.કૃષ્ણમૂર્તિ પોતાનું વ્યક્તિત્વ ત્યજે અને મૈત્રેય ઉતરી આવે એ ક્ષણ નજદીક આવતી જતી હતી ત્યાં છેલ્લી મિનિટે કૃષ્ણમૂર્તિએ ઇનકાર કરી દીધો.એક અદભુત પ્રયોગ અસફળ રહ્યો.

અશરીરી આત્માઓનું આહવાન કરવાના અખતરા દરેક યુગમાં થતા રહ્યા છે.આત્માનું લેબોરેટરીમાં પરીક્ષણ નથી થઈ શકતું.એનો એક્સ રે નથી નીકળી શકતો.વિજ્ઞાન આત્માના અસ્તિત્વને સ્વીકારતું નથી.

જો કે તેનાથી આત્માના દબદબામાં કાંઈ ફેર પડ્યો નથી.તમામ ધર્મોએ એક યા બીજા સ્વરૂપે આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે આત્મા અજર અમર છે એવી હિંદુ ફિલોસોફી છે.પૂર્વજન્મ અને પુનર્જન્મની માન્યતાઓ આત્માના અમરત્વ ઉપર જ આધારીત છે આત્મસાક્ષાત્કારને પરમ આધ્યાત્મિક સિદ્ધિ માનવામાં આવે છે.દરેક ધર્મ અને જાતિમાં મૃત્યુ બાદ આત્માની અવસ્થા બાબતે ચોક્કસ માન્યતાઓ છે.આપણે પિતૃલોક અને સ્વર્ગલોકને અશરીરી આત્માઓના વિરામસ્થાન તરીકે જ કલ્પયા છે.આપણી શ્રાદ્ધ અને પિતૃતર્પણની વિધીઓ આત્માને આહવાન કરવાની વિધિઓ જ છે.
આ ક્યારેય નજરે ન પડતાં આત્માનો તાગ મેળવવા કાળા માથાનો માનવી સદીઓથી મથામણ કરતો રહ્યો છે.કોઈ ધ્યાનનો, કોઈ યોગનો આશરો લે છે.તો કોઈ તંત્ર મંત્ર અને ગૂઢ સાધના કરે છે.કોઈ મૃત વ્યક્તિના આત્મા સાથે સંપર્ક કરવા ગેબી વિદ્યાઓ અજમાવે છે.આ બધા વચ્ચે આત્મા જેવું ખરેખર કાંઈ છે કે પછી યુગોથી ચાલ્યું આવતું આ માત્ર અંધશ્રદ્ધા પ્રેરિત હંબગ છે એ પ્રશ્ન વૈજ્ઞાનીકોને મૂંઝવી રહ્યો છે.

- Advertisement -

વિજ્ઞાન દ્વારા આ ગૂઢ રહસ્યનો તાગ મેળવવાનો પહેલો ગંભીર પ્રયાસ અમેરિકામાં 1870માં થયો.આત્માઓ સાથે સંપર્ક સાધવાનો દાવો કરતાં અનેક જૂથ એ સમયે અમેરિકામાં અસ્તિત્વમાં હતા.

મિસિસ ફ્લોરેક્સ કુક નામની એક પ્રખ્યાત મહિલા ગેબી શક્તિઓ ધરાવતી હતી અને કેટી કિંગ નામની એક મૃત મહિલાના આત્મા સાથે તેને ડાયરેકટ ડાયલિંગ હોવાની કથા અમેરિકામાં ઘરે ઘરે ગાજતી હતી.એ મહિલાના દાવાની સત્યતા ચકાસવા એ સમયના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનીક સર વિલિયમ કુકે તેની સાથે ત્રણ વર્ષ સુધી પ્રયોગો કર્યા.પ્રયોગના સ્થળે ઇલે.વાયરીંગ ફેંસીંગ સહિત સૂક્ષ્મતમ વૈજ્ઞાનીક યંત્રો ગોઠવવામાં આવ્યા.અન્ય વૈજ્ઞાનીકો પણ પ્રયોગ સમયે હાજર રહેતા.બાદમાં સર વિલિયમ કુક અને અન્ય વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે કેટી કિંગના આત્માનું આહવાન કરવામાં આવતું ત્યારે તેનો આત્મા શરીર પણ ધારણ કરતો હતો.એટલું જ નહીં તેની નાડીના ધબકારા પણ નોંધવામાં આવ્યા હતા.
સર કુકની આ વાતે સનસનાટી ફેલાવી દીધી.બીજી તરફ તેમની ખૂબ હાંસી પણ ઉડાવવામાં આવી.પણ સર કુકે કહ્યું કે ભલે બધા મારી ઠેકડી ઉડાવે પણ મેં જે જોયું અને અનુભવ્યું એનો ઇનકાર કઈ રીતે થઈ શકે?હું મારી વાતને દ્રઢપણે વળગી રહું છું.

આ ઘટના બાદ આત્માના રહસ્યને જાણવા માટે લંડનમાં ધી સોસાયટી ફોર સાઈકીકલ રિસર્ચ નામની સંસ્થા શરૂ કરવામાં આવી.તે સમયના વિખ્યાત વૈજ્ઞાનીકો એડમન્ડ ગુરની, ડો.એફ.ડબ્લ્યુ.એચ. માયર્સ, અને ફ્રેન્ક પોડમોર જેવા મહારથીઓ એ સંસ્થાના કર્તાહર્તા હતા.ઇંગ્લેન્ડની પ્રખ્યાત યુનિવર્સિટીઓ અને રિસર્ચ ફાઉન્ડેશનસના ખેરખાંઓ તેમજ યુની.ઓફ બર્કીનગહામના પ્રિસિપાલ સર ઓલિવર લોજ પણ તે સંસ્થા સાથે સક્રિયપણે જોડાયા.ખૂબ વૈજ્ઞાનીક ઢબે વિજ્ઞાનની સરાણે આ ગૂઢ રહસ્યોની ચકાસણી કરાઈ.એ પરીક્ષણ યાત્રાનું વર્ણન કરતી “હ્યુમન પર્સનાલિટી એન્ડ ઇટસ ઇફેક્ટ આફ્ટર ડેથ” નામની બુક ડો.માયર્સએ પ્રકાશીત કરી.

ડો.માયર્સએ પોતે પણ તેમના મૃત્યુ બાદ મિસિસ થોમ્પસન નામની એક ગૂઢ સાધક મહિલાના માધ્યમથી સર ઓલીવર લોજ સાથે વાત કરી.એ જ રીતે ડો.હોડસન અને વિલિયમ જેમ્સે પણ મૃત્યુ બાદ પૃથ્વી પરના મિત્રો સાથે ગપસપ કરી લીધી.

મહત્વનું એ છે કે આ બધા દાવાઓ કરનારાઓ કોઈ અબુધ અંધશ્રદ્ધાળુઓ નહોતા.બધા અત્યંત બૌદ્ધિક પ્રતિભા ધરાવતા જગવિખ્યાત વૈજ્ઞાનીકો હતા.ન્યુયોર્કના અગ્રીમ અખબાર ટાઈમ્સના 10મી ડિસેમ્બર 1991ના અંકમાં મશીગન યુની.ના એપલાઈડ મેથેમેટિક્સના પ્રોફેસર અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચના પ્રમુખ સી.એન.જોન્સે આ બધા વાર્તાલપો અંગે વિસ્તૃત જાહેરાત કરી અને બેધડક જાહેર કર્યું કે આત્મા અસ્તિત્વ ધરાવે છે,આત્મા અજર અમર છે અને તેનું આહવાન થઈ શકે છે.આત્મા પૂન:શરીર ધારણ કરે છે.સર ઓલીવર લોજ અને બ્રિટિશ વૈજ્ઞાનીક આલફ્રેડ આર. વોલેકે પણ ચોતરફથી થતી ટીકાઓથી વિચલીત થયા વગર એ દાવાને સમર્થન આપ્યું.”લો ઓફ સાઈકીક ફીનોમીના”નામના પુસ્તકના લેખક ડો.થોમસ હડસને તો એવો વ્યંગ કર્યો હતો કે મૃતાત્માઓ સાથેના સબંધનો ઇનકાર કરનારાઓ શંકાશીલ માનસ ધરાવનારા નહીં પણ અજ્ઞાની છે.

આત્માના અસ્તિત્વને આપણે હિંદુઓએ તો ખૂબ સહજ પણે સ્વીકાર્યું છે.એ સંદર્ભે ભારતીય તત્વજ્ઞાન ખૂબ ગહેરું છે.ગીતામાં સ્વયં કૃષ્ણ ભગવાને આત્માની અમરતાનું પ્રમાણ આપ્યું હતું.આત્માના રહસ્યોની સમજણ ક્યાંક ઊંડે ઊંડે આપણામાં ધરબાયેલી છે.એટલે જ કદાચ વૈજ્ઞાનીક ઢબે આત્માને ચકાસવાનો વ્યાયાયામ આપણે ત્યાં ઓછો થયો છે.

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેરિયરનું મસ્ત ડિઝાઇનિંગ!
Next Article રાજકુમારનો રજવાડી ઠાઠ અને કિશોરકુમારના તોફાન.. અને વન્સ મોર રફી સાહેબ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?