By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    8 hours ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    2 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    3 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    3 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    6 hours ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    6 hours ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    6 hours ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    6 hours ago
    ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    6 hours ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    2 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    5 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૃતાત્મા સાથે ગપસપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > મૃતાત્મા સાથે ગપસપ
AuthorJagdish Acharya

મૃતાત્મા સાથે ગપસપ

Khaskhabar Editor
Last updated: 2022/02/09 at 2:25 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

આ તરફ ભારતીય જ્ઞાન, તે તરફ વિજ્ઞાન 

જગદીશ આચાર્ય
ભગવાન બુદ્ધે નિર્વાણ પહેલાં એવી ઘોષણા કરી હતી કે મૈત્રેયના નામે તેઓ વધુ એક વખત અવતાર ધારણ કરશે.એ વાતને અઢી હજાર વર્ષ વીતી ગયા પણ મૈત્રેયનું આગમન ન થયું.સાધકોને એવા સંકેત મળતાં હતા કે ભગવાન બુદ્ધ અવતાર તો ધારણ કરવા માંગે છે પણ યોગ્ય ગર્ભ ઉપલબ્ધ નથી.ત્યારે એક અદભુત કોશિશ કરવામાં આવી.થિયોસોફીસ્ટોએ એવી વ્યક્તિ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો કે જેના શરીરમાં બુદ્ધ પ્રવેશ કરી શકે અને ત્યારબાદ એ શરીરના માધ્યમથી કાર્ય કરી શકે.

એની બેસન્ટ અને લીડ પીટરની આગેવાનીમાં થિયોસોફીસ્ટોએ આ હેતુ માટે યોગ્ય પાત્ર શોધવાનું શરૂ કર્યું.અંતે જે.કૃષ્ણમૂર્તિ,તેમના ભાઈ નિત્યાનંદ,કૃષ્ણમેનન અને જ્યોર્જ એરન્ડલ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો.એ ચારેય ને “કેળવવા”નું શરૂ કરાયું.પણ બુદ્ધના આત્માના વાહક બનવા યોગ્ય પાત્રતા મેળવવા માટે કરાયેલી ચેષ્ટાઓના અતિરેકને કારણે નિત્યાનંદનું મૃત્યુ થયું.આ ઘટનાથી તેના પિતા ગભરાયા.એક પુત્રને ગુમાવી ચૂકેલા પિતાએ બીજા પુત્ર કૃષ્ણમૂર્તિને બચાવવા માટે થિયોસોફીસ્ટો પાસેથી તેનો કબ્જો લેવા માટે અદાલતના દ્વાર ખખડાવ્યા.કાનૂની જંગ જીતી શકાય તેમ નથી એવું લાગતાં એની બેસન્ટ નવ વર્ષના કૃષ્ણમૂર્તિને લઈને ભારત છોડીને ભાગી ગયા.બાદમાં કૃષ્ણમૂર્તિ ઉપર ઘણી મહેનત કરવામાં આવી અને એક દિવસે જાહેર કરાયું કે કૃષ્ણમૂર્તિ હવે “તૈયાર” છે.

- Advertisement -

આખી દુનિયામાંથી છ હજાર લોકો બુદ્ધના અવતરણને નજરો નજર નિહાળવા હોલેન્ડમાં એકઠા થયા.કૃષ્ણમૂર્તિ પોતાનું વ્યક્તિત્વ ત્યજે અને મૈત્રેય ઉતરી આવે એ ક્ષણ નજદીક આવતી જતી હતી ત્યાં છેલ્લી મિનિટે કૃષ્ણમૂર્તિએ ઇનકાર કરી દીધો.એક અદભુત પ્રયોગ અસફળ રહ્યો.

અશરીરી આત્માઓનું આહવાન કરવાના અખતરા દરેક યુગમાં થતા રહ્યા છે.આત્માનું લેબોરેટરીમાં પરીક્ષણ નથી થઈ શકતું.એનો એક્સ રે નથી નીકળી શકતો.વિજ્ઞાન આત્માના અસ્તિત્વને સ્વીકારતું નથી.

જો કે તેનાથી આત્માના દબદબામાં કાંઈ ફેર પડ્યો નથી.તમામ ધર્મોએ એક યા બીજા સ્વરૂપે આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે આત્મા અજર અમર છે એવી હિંદુ ફિલોસોફી છે.પૂર્વજન્મ અને પુનર્જન્મની માન્યતાઓ આત્માના અમરત્વ ઉપર જ આધારીત છે આત્મસાક્ષાત્કારને પરમ આધ્યાત્મિક સિદ્ધિ માનવામાં આવે છે.દરેક ધર્મ અને જાતિમાં મૃત્યુ બાદ આત્માની અવસ્થા બાબતે ચોક્કસ માન્યતાઓ છે.આપણે પિતૃલોક અને સ્વર્ગલોકને અશરીરી આત્માઓના વિરામસ્થાન તરીકે જ કલ્પયા છે.આપણી શ્રાદ્ધ અને પિતૃતર્પણની વિધીઓ આત્માને આહવાન કરવાની વિધિઓ જ છે.
આ ક્યારેય નજરે ન પડતાં આત્માનો તાગ મેળવવા કાળા માથાનો માનવી સદીઓથી મથામણ કરતો રહ્યો છે.કોઈ ધ્યાનનો, કોઈ યોગનો આશરો લે છે.તો કોઈ તંત્ર મંત્ર અને ગૂઢ સાધના કરે છે.કોઈ મૃત વ્યક્તિના આત્મા સાથે સંપર્ક કરવા ગેબી વિદ્યાઓ અજમાવે છે.આ બધા વચ્ચે આત્મા જેવું ખરેખર કાંઈ છે કે પછી યુગોથી ચાલ્યું આવતું આ માત્ર અંધશ્રદ્ધા પ્રેરિત હંબગ છે એ પ્રશ્ન વૈજ્ઞાનીકોને મૂંઝવી રહ્યો છે.

- Advertisement -

વિજ્ઞાન દ્વારા આ ગૂઢ રહસ્યનો તાગ મેળવવાનો પહેલો ગંભીર પ્રયાસ અમેરિકામાં 1870માં થયો.આત્માઓ સાથે સંપર્ક સાધવાનો દાવો કરતાં અનેક જૂથ એ સમયે અમેરિકામાં અસ્તિત્વમાં હતા.

મિસિસ ફ્લોરેક્સ કુક નામની એક પ્રખ્યાત મહિલા ગેબી શક્તિઓ ધરાવતી હતી અને કેટી કિંગ નામની એક મૃત મહિલાના આત્મા સાથે તેને ડાયરેકટ ડાયલિંગ હોવાની કથા અમેરિકામાં ઘરે ઘરે ગાજતી હતી.એ મહિલાના દાવાની સત્યતા ચકાસવા એ સમયના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનીક સર વિલિયમ કુકે તેની સાથે ત્રણ વર્ષ સુધી પ્રયોગો કર્યા.પ્રયોગના સ્થળે ઇલે.વાયરીંગ ફેંસીંગ સહિત સૂક્ષ્મતમ વૈજ્ઞાનીક યંત્રો ગોઠવવામાં આવ્યા.અન્ય વૈજ્ઞાનીકો પણ પ્રયોગ સમયે હાજર રહેતા.બાદમાં સર વિલિયમ કુક અને અન્ય વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે કેટી કિંગના આત્માનું આહવાન કરવામાં આવતું ત્યારે તેનો આત્મા શરીર પણ ધારણ કરતો હતો.એટલું જ નહીં તેની નાડીના ધબકારા પણ નોંધવામાં આવ્યા હતા.
સર કુકની આ વાતે સનસનાટી ફેલાવી દીધી.બીજી તરફ તેમની ખૂબ હાંસી પણ ઉડાવવામાં આવી.પણ સર કુકે કહ્યું કે ભલે બધા મારી ઠેકડી ઉડાવે પણ મેં જે જોયું અને અનુભવ્યું એનો ઇનકાર કઈ રીતે થઈ શકે?હું મારી વાતને દ્રઢપણે વળગી રહું છું.

આ ઘટના બાદ આત્માના રહસ્યને જાણવા માટે લંડનમાં ધી સોસાયટી ફોર સાઈકીકલ રિસર્ચ નામની સંસ્થા શરૂ કરવામાં આવી.તે સમયના વિખ્યાત વૈજ્ઞાનીકો એડમન્ડ ગુરની, ડો.એફ.ડબ્લ્યુ.એચ. માયર્સ, અને ફ્રેન્ક પોડમોર જેવા મહારથીઓ એ સંસ્થાના કર્તાહર્તા હતા.ઇંગ્લેન્ડની પ્રખ્યાત યુનિવર્સિટીઓ અને રિસર્ચ ફાઉન્ડેશનસના ખેરખાંઓ તેમજ યુની.ઓફ બર્કીનગહામના પ્રિસિપાલ સર ઓલિવર લોજ પણ તે સંસ્થા સાથે સક્રિયપણે જોડાયા.ખૂબ વૈજ્ઞાનીક ઢબે વિજ્ઞાનની સરાણે આ ગૂઢ રહસ્યોની ચકાસણી કરાઈ.એ પરીક્ષણ યાત્રાનું વર્ણન કરતી “હ્યુમન પર્સનાલિટી એન્ડ ઇટસ ઇફેક્ટ આફ્ટર ડેથ” નામની બુક ડો.માયર્સએ પ્રકાશીત કરી.

ડો.માયર્સએ પોતે પણ તેમના મૃત્યુ બાદ મિસિસ થોમ્પસન નામની એક ગૂઢ સાધક મહિલાના માધ્યમથી સર ઓલીવર લોજ સાથે વાત કરી.એ જ રીતે ડો.હોડસન અને વિલિયમ જેમ્સે પણ મૃત્યુ બાદ પૃથ્વી પરના મિત્રો સાથે ગપસપ કરી લીધી.

મહત્વનું એ છે કે આ બધા દાવાઓ કરનારાઓ કોઈ અબુધ અંધશ્રદ્ધાળુઓ નહોતા.બધા અત્યંત બૌદ્ધિક પ્રતિભા ધરાવતા જગવિખ્યાત વૈજ્ઞાનીકો હતા.ન્યુયોર્કના અગ્રીમ અખબાર ટાઈમ્સના 10મી ડિસેમ્બર 1991ના અંકમાં મશીગન યુની.ના એપલાઈડ મેથેમેટિક્સના પ્રોફેસર અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચના પ્રમુખ સી.એન.જોન્સે આ બધા વાર્તાલપો અંગે વિસ્તૃત જાહેરાત કરી અને બેધડક જાહેર કર્યું કે આત્મા અસ્તિત્વ ધરાવે છે,આત્મા અજર અમર છે અને તેનું આહવાન થઈ શકે છે.આત્મા પૂન:શરીર ધારણ કરે છે.સર ઓલીવર લોજ અને બ્રિટિશ વૈજ્ઞાનીક આલફ્રેડ આર. વોલેકે પણ ચોતરફથી થતી ટીકાઓથી વિચલીત થયા વગર એ દાવાને સમર્થન આપ્યું.”લો ઓફ સાઈકીક ફીનોમીના”નામના પુસ્તકના લેખક ડો.થોમસ હડસને તો એવો વ્યંગ કર્યો હતો કે મૃતાત્માઓ સાથેના સબંધનો ઇનકાર કરનારાઓ શંકાશીલ માનસ ધરાવનારા નહીં પણ અજ્ઞાની છે.

આત્માના અસ્તિત્વને આપણે હિંદુઓએ તો ખૂબ સહજ પણે સ્વીકાર્યું છે.એ સંદર્ભે ભારતીય તત્વજ્ઞાન ખૂબ ગહેરું છે.ગીતામાં સ્વયં કૃષ્ણ ભગવાને આત્માની અમરતાનું પ્રમાણ આપ્યું હતું.આત્માના રહસ્યોની સમજણ ક્યાંક ઊંડે ઊંડે આપણામાં ધરબાયેલી છે.એટલે જ કદાચ વૈજ્ઞાનીક ઢબે આત્માને ચકાસવાનો વ્યાયાયામ આપણે ત્યાં ઓછો થયો છે.

You Might Also Like

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેરિયરનું મસ્ત ડિઝાઇનિંગ!
Next Article રાજકુમારનો રજવાડી ઠાઠ અને કિશોરકુમારના તોફાન.. અને વન્સ મોર રફી સાહેબ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો
મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?
મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો
વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?