By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિપક્ષી નેતા નોબેલ પુરસ્કાર જીત્યા બાદ વેનેઝુએલા નોર્વે દૂતાવાસ બંધ કરશે
    17 hours ago
    ટ્રમ્પે હવે ઈઝરાયલની સંસદમાં પણ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો
    19 hours ago
    ટ્રમ્પે હોટ માઈક પર કેનેડાના પીએમ કાર્નેની મજાક ઉડાવી
    19 hours ago
    મેક્સિકોમાં પૂરનો કહેર, વરસાદે સર્જી તારાજી, લગભગ 130 લોકોના મોત થયા
    19 hours ago
    હું યુદ્ધો ઉકેલવામાં સારો છું: ટ્રમ્પની હવે અફઘાન-પાક સંઘર્ષ પર નજર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, રૂા.12 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ વસૂલ કરાયો
    16 hours ago
    EPFOમાંથી 100% પૈસા ઉપાડી શકાશે
    16 hours ago
    ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી; ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તારાપુરથી ચૂંટણી લડશે
    18 hours ago
    આંધ્ર Google AI હબ: અદાણી જૂથ ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર માટે ભાગીદાર બનશે
    18 hours ago
    સ્વાસ્થ્ય માટે હાનિકારક…, WHO દ્વારા કફ સિરપને લઈને એલર્ટ આપવામાં આવ્યું
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રણજી ટ્રોફી: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બિહાર ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત
    2 days ago
    દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી રૅકોર્ડ સર્જ્યો
    4 days ago
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 weeks ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    2 weeks ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    18 hours ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 days ago
    શિલ્પા શેટ્ટીને વિદેશ જવું હોય તો 60 કરોડ ચૂકવવા પડશે
    6 days ago
    સાઉથ ફિલ્મી હસ્તીઓને ત્યાં EDનાં સામૂહિક દરોડા
    7 days ago
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    1 week ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    1 week ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    2 weeks ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    3 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    16 hours ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    4 days ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    4 days ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    4 days ago
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૃતાત્મા સાથે ગપસપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > મૃતાત્મા સાથે ગપસપ
AuthorJagdish Acharya

મૃતાત્મા સાથે ગપસપ

Khaskhabar Editor
Last updated: 2022/02/09 at 2:25 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

આ તરફ ભારતીય જ્ઞાન, તે તરફ વિજ્ઞાન 

જગદીશ આચાર્ય
ભગવાન બુદ્ધે નિર્વાણ પહેલાં એવી ઘોષણા કરી હતી કે મૈત્રેયના નામે તેઓ વધુ એક વખત અવતાર ધારણ કરશે.એ વાતને અઢી હજાર વર્ષ વીતી ગયા પણ મૈત્રેયનું આગમન ન થયું.સાધકોને એવા સંકેત મળતાં હતા કે ભગવાન બુદ્ધ અવતાર તો ધારણ કરવા માંગે છે પણ યોગ્ય ગર્ભ ઉપલબ્ધ નથી.ત્યારે એક અદભુત કોશિશ કરવામાં આવી.થિયોસોફીસ્ટોએ એવી વ્યક્તિ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો કે જેના શરીરમાં બુદ્ધ પ્રવેશ કરી શકે અને ત્યારબાદ એ શરીરના માધ્યમથી કાર્ય કરી શકે.

એની બેસન્ટ અને લીડ પીટરની આગેવાનીમાં થિયોસોફીસ્ટોએ આ હેતુ માટે યોગ્ય પાત્ર શોધવાનું શરૂ કર્યું.અંતે જે.કૃષ્ણમૂર્તિ,તેમના ભાઈ નિત્યાનંદ,કૃષ્ણમેનન અને જ્યોર્જ એરન્ડલ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો.એ ચારેય ને “કેળવવા”નું શરૂ કરાયું.પણ બુદ્ધના આત્માના વાહક બનવા યોગ્ય પાત્રતા મેળવવા માટે કરાયેલી ચેષ્ટાઓના અતિરેકને કારણે નિત્યાનંદનું મૃત્યુ થયું.આ ઘટનાથી તેના પિતા ગભરાયા.એક પુત્રને ગુમાવી ચૂકેલા પિતાએ બીજા પુત્ર કૃષ્ણમૂર્તિને બચાવવા માટે થિયોસોફીસ્ટો પાસેથી તેનો કબ્જો લેવા માટે અદાલતના દ્વાર ખખડાવ્યા.કાનૂની જંગ જીતી શકાય તેમ નથી એવું લાગતાં એની બેસન્ટ નવ વર્ષના કૃષ્ણમૂર્તિને લઈને ભારત છોડીને ભાગી ગયા.બાદમાં કૃષ્ણમૂર્તિ ઉપર ઘણી મહેનત કરવામાં આવી અને એક દિવસે જાહેર કરાયું કે કૃષ્ણમૂર્તિ હવે “તૈયાર” છે.

- Advertisement -

આખી દુનિયામાંથી છ હજાર લોકો બુદ્ધના અવતરણને નજરો નજર નિહાળવા હોલેન્ડમાં એકઠા થયા.કૃષ્ણમૂર્તિ પોતાનું વ્યક્તિત્વ ત્યજે અને મૈત્રેય ઉતરી આવે એ ક્ષણ નજદીક આવતી જતી હતી ત્યાં છેલ્લી મિનિટે કૃષ્ણમૂર્તિએ ઇનકાર કરી દીધો.એક અદભુત પ્રયોગ અસફળ રહ્યો.

અશરીરી આત્માઓનું આહવાન કરવાના અખતરા દરેક યુગમાં થતા રહ્યા છે.આત્માનું લેબોરેટરીમાં પરીક્ષણ નથી થઈ શકતું.એનો એક્સ રે નથી નીકળી શકતો.વિજ્ઞાન આત્માના અસ્તિત્વને સ્વીકારતું નથી.

જો કે તેનાથી આત્માના દબદબામાં કાંઈ ફેર પડ્યો નથી.તમામ ધર્મોએ એક યા બીજા સ્વરૂપે આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે આત્મા અજર અમર છે એવી હિંદુ ફિલોસોફી છે.પૂર્વજન્મ અને પુનર્જન્મની માન્યતાઓ આત્માના અમરત્વ ઉપર જ આધારીત છે આત્મસાક્ષાત્કારને પરમ આધ્યાત્મિક સિદ્ધિ માનવામાં આવે છે.દરેક ધર્મ અને જાતિમાં મૃત્યુ બાદ આત્માની અવસ્થા બાબતે ચોક્કસ માન્યતાઓ છે.આપણે પિતૃલોક અને સ્વર્ગલોકને અશરીરી આત્માઓના વિરામસ્થાન તરીકે જ કલ્પયા છે.આપણી શ્રાદ્ધ અને પિતૃતર્પણની વિધીઓ આત્માને આહવાન કરવાની વિધિઓ જ છે.
આ ક્યારેય નજરે ન પડતાં આત્માનો તાગ મેળવવા કાળા માથાનો માનવી સદીઓથી મથામણ કરતો રહ્યો છે.કોઈ ધ્યાનનો, કોઈ યોગનો આશરો લે છે.તો કોઈ તંત્ર મંત્ર અને ગૂઢ સાધના કરે છે.કોઈ મૃત વ્યક્તિના આત્મા સાથે સંપર્ક કરવા ગેબી વિદ્યાઓ અજમાવે છે.આ બધા વચ્ચે આત્મા જેવું ખરેખર કાંઈ છે કે પછી યુગોથી ચાલ્યું આવતું આ માત્ર અંધશ્રદ્ધા પ્રેરિત હંબગ છે એ પ્રશ્ન વૈજ્ઞાનીકોને મૂંઝવી રહ્યો છે.

- Advertisement -

વિજ્ઞાન દ્વારા આ ગૂઢ રહસ્યનો તાગ મેળવવાનો પહેલો ગંભીર પ્રયાસ અમેરિકામાં 1870માં થયો.આત્માઓ સાથે સંપર્ક સાધવાનો દાવો કરતાં અનેક જૂથ એ સમયે અમેરિકામાં અસ્તિત્વમાં હતા.

મિસિસ ફ્લોરેક્સ કુક નામની એક પ્રખ્યાત મહિલા ગેબી શક્તિઓ ધરાવતી હતી અને કેટી કિંગ નામની એક મૃત મહિલાના આત્મા સાથે તેને ડાયરેકટ ડાયલિંગ હોવાની કથા અમેરિકામાં ઘરે ઘરે ગાજતી હતી.એ મહિલાના દાવાની સત્યતા ચકાસવા એ સમયના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનીક સર વિલિયમ કુકે તેની સાથે ત્રણ વર્ષ સુધી પ્રયોગો કર્યા.પ્રયોગના સ્થળે ઇલે.વાયરીંગ ફેંસીંગ સહિત સૂક્ષ્મતમ વૈજ્ઞાનીક યંત્રો ગોઠવવામાં આવ્યા.અન્ય વૈજ્ઞાનીકો પણ પ્રયોગ સમયે હાજર રહેતા.બાદમાં સર વિલિયમ કુક અને અન્ય વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે કેટી કિંગના આત્માનું આહવાન કરવામાં આવતું ત્યારે તેનો આત્મા શરીર પણ ધારણ કરતો હતો.એટલું જ નહીં તેની નાડીના ધબકારા પણ નોંધવામાં આવ્યા હતા.
સર કુકની આ વાતે સનસનાટી ફેલાવી દીધી.બીજી તરફ તેમની ખૂબ હાંસી પણ ઉડાવવામાં આવી.પણ સર કુકે કહ્યું કે ભલે બધા મારી ઠેકડી ઉડાવે પણ મેં જે જોયું અને અનુભવ્યું એનો ઇનકાર કઈ રીતે થઈ શકે?હું મારી વાતને દ્રઢપણે વળગી રહું છું.

આ ઘટના બાદ આત્માના રહસ્યને જાણવા માટે લંડનમાં ધી સોસાયટી ફોર સાઈકીકલ રિસર્ચ નામની સંસ્થા શરૂ કરવામાં આવી.તે સમયના વિખ્યાત વૈજ્ઞાનીકો એડમન્ડ ગુરની, ડો.એફ.ડબ્લ્યુ.એચ. માયર્સ, અને ફ્રેન્ક પોડમોર જેવા મહારથીઓ એ સંસ્થાના કર્તાહર્તા હતા.ઇંગ્લેન્ડની પ્રખ્યાત યુનિવર્સિટીઓ અને રિસર્ચ ફાઉન્ડેશનસના ખેરખાંઓ તેમજ યુની.ઓફ બર્કીનગહામના પ્રિસિપાલ સર ઓલિવર લોજ પણ તે સંસ્થા સાથે સક્રિયપણે જોડાયા.ખૂબ વૈજ્ઞાનીક ઢબે વિજ્ઞાનની સરાણે આ ગૂઢ રહસ્યોની ચકાસણી કરાઈ.એ પરીક્ષણ યાત્રાનું વર્ણન કરતી “હ્યુમન પર્સનાલિટી એન્ડ ઇટસ ઇફેક્ટ આફ્ટર ડેથ” નામની બુક ડો.માયર્સએ પ્રકાશીત કરી.

ડો.માયર્સએ પોતે પણ તેમના મૃત્યુ બાદ મિસિસ થોમ્પસન નામની એક ગૂઢ સાધક મહિલાના માધ્યમથી સર ઓલીવર લોજ સાથે વાત કરી.એ જ રીતે ડો.હોડસન અને વિલિયમ જેમ્સે પણ મૃત્યુ બાદ પૃથ્વી પરના મિત્રો સાથે ગપસપ કરી લીધી.

મહત્વનું એ છે કે આ બધા દાવાઓ કરનારાઓ કોઈ અબુધ અંધશ્રદ્ધાળુઓ નહોતા.બધા અત્યંત બૌદ્ધિક પ્રતિભા ધરાવતા જગવિખ્યાત વૈજ્ઞાનીકો હતા.ન્યુયોર્કના અગ્રીમ અખબાર ટાઈમ્સના 10મી ડિસેમ્બર 1991ના અંકમાં મશીગન યુની.ના એપલાઈડ મેથેમેટિક્સના પ્રોફેસર અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચના પ્રમુખ સી.એન.જોન્સે આ બધા વાર્તાલપો અંગે વિસ્તૃત જાહેરાત કરી અને બેધડક જાહેર કર્યું કે આત્મા અસ્તિત્વ ધરાવે છે,આત્મા અજર અમર છે અને તેનું આહવાન થઈ શકે છે.આત્મા પૂન:શરીર ધારણ કરે છે.સર ઓલીવર લોજ અને બ્રિટિશ વૈજ્ઞાનીક આલફ્રેડ આર. વોલેકે પણ ચોતરફથી થતી ટીકાઓથી વિચલીત થયા વગર એ દાવાને સમર્થન આપ્યું.”લો ઓફ સાઈકીક ફીનોમીના”નામના પુસ્તકના લેખક ડો.થોમસ હડસને તો એવો વ્યંગ કર્યો હતો કે મૃતાત્માઓ સાથેના સબંધનો ઇનકાર કરનારાઓ શંકાશીલ માનસ ધરાવનારા નહીં પણ અજ્ઞાની છે.

આત્માના અસ્તિત્વને આપણે હિંદુઓએ તો ખૂબ સહજ પણે સ્વીકાર્યું છે.એ સંદર્ભે ભારતીય તત્વજ્ઞાન ખૂબ ગહેરું છે.ગીતામાં સ્વયં કૃષ્ણ ભગવાને આત્માની અમરતાનું પ્રમાણ આપ્યું હતું.આત્માના રહસ્યોની સમજણ ક્યાંક ઊંડે ઊંડે આપણામાં ધરબાયેલી છે.એટલે જ કદાચ વૈજ્ઞાનીક ઢબે આત્માને ચકાસવાનો વ્યાયાયામ આપણે ત્યાં ઓછો થયો છે.

You Might Also Like

આંદોલનોના સમુદ્રમંથનમાંથી ઝેર જ નીકળે

આર્યન ખાનની ડેબ્યૂ સીરિઝ ‘બૅડસ ઑફ બોલિવૂડ’ કેવી છે?

‘ઘરથી દૂર એક ઘર…’ કનક કૉટેજ-શિમલા

જય સરદાર, જય માતાજી, જય ભીમ અને તોફાની કાનુડો

હાઈ-વે પર 80 કિલોમીટરનું સ્પીડ બાંધણું એટલે અક્કલનું બાંધણું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેરિયરનું મસ્ત ડિઝાઇનિંગ!
Next Article રાજકુમારનો રજવાડી ઠાઠ અને કિશોરકુમારના તોફાન.. અને વન્સ મોર રફી સાહેબ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

GTUની ‘ક્ષિતિજ’ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજુલાની ‘સ્પર્શ હોસ્પિટલ’ દ્વારા ખુલ્લેઆમ વૃક્ષનું કટિંગ: પર્યાવરણ સાથે ચેડાં થતાં ચકચાર
હુડકો ક્વાટરમાંથી 1 કિલો ગાંજા સાથે ધોરાજીના અફઝલની ધરપકડ
અમરેલીના ઘાર કેરાળા ગામે એક વર્ષના બાળક પર જંગલી શિયાળનો હુમલો
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માજીનું રાજકોટમાં ભવ્ય અભિવાદન: આવતીકાલે રેસકોર્સ ખાતે કાર્યક્રમ
પોરબંદરના માંડવા ગામે મંજૂરી વિના રાજકીય સભા યોજાઈ : મહિલા સરપંચના પુત્ર સામે ગુનો નોંધાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આંદોલનોના સમુદ્રમંથનમાંથી ઝેર જ નીકળે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
Kinnar Acharya

આર્યન ખાનની ડેબ્યૂ સીરિઝ ‘બૅડસ ઑફ બોલિવૂડ’ કેવી છે?

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
Kinnar Acharya

‘ઘરથી દૂર એક ઘર…’ કનક કૉટેજ-શિમલા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?