By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    16 hours ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
    14 hours ago
    29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
    14 hours ago
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    17 hours ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    2 days ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    16 hours ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    16 hours ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    17 hours ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    2 days ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    17 hours ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્રકારત્વનાં ઉદ્ભવ બાદ સામયિકોના પ્રમાણમાં અખબારોનો વિકાસ અમદાવાદમાં મંદ રહ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પત્રકારત્વનાં ઉદ્ભવ બાદ સામયિકોના પ્રમાણમાં અખબારોનો વિકાસ અમદાવાદમાં મંદ રહ્યો
AuthorBhavy Raval

પત્રકારત્વનાં ઉદ્ભવ બાદ સામયિકોના પ્રમાણમાં અખબારોનો વિકાસ અમદાવાદમાં મંદ રહ્યો

Khaskhabar Editor
Last updated: 2022/12/31 at 4:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

અમદાવાદમાં પત્રકારત્વની શરૂઆતનાં પત્રો

અમદાવાદમાં પહેલું મુદ્રણાલય, પહેલું માસિક અને પહેલું વર્તમાનપત્ર શરૂ કરનાર હતી, વર્નાક્યુલર સોસાયટી

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વના ઉદભવ બાદ અમદાવાદમાં અખબારો અને સામયિકોની શરૂઆત મોડી થવા પામી હતી. ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં અમદાવાદ મુખ્યત્વે સામયિકોનું કેન્દ્ર રહ્યું હતું. અહીં અખબારોનો વિકાસ મંદ રહ્યો હતો. જો ગુજરાતી પત્રકારત્વના પ્રથમ સદીના ઈતિહાસનો અભ્યાસ કરીએ તો અમદાવાદમાંથી સામયિકોની તુલનાએ અખબારો બહું જ ઓછા બહાર પડતા હતા. આજે ભલે અમદાવાદ ગુજરાતી પત્રકારત્વમાં પ્રમુખસ્થાન ધરાવતું હોય, ગુજરાતી મીડિયાનું મુખ્યકેન્દ્ર બની ગયું હોય પરંતુ આજથી દોઢ સદી અગાઉ અમદાવાદ હજુ પત્રકારત્વના ક્ષેત્રમાં પાપાપગલી કરતું હતું. ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના તબક્કામાં અહીંથી કોઈ મોટા – માતબાર અખબારો – સામયિકો પ્રગટ થતા ન હતા. હા, અમદાવાદ સાહિત્ય વિષયક સામયિકના પ્રકાશનમાં ચોક્કસથી અગ્રેસર રહેતું આવ્યું છે.
અમદાવાદમાં પહેલું મુદ્રણાલય, પહેલું માસિક અને પહેલું વર્તમાનપત્ર શરૂ કરનાર વર્નાક્યુલર સોસાયટી હતી. 1849માં અહીંથી પ્રથમ પત્ર અમદાવાદ વર્તમાનપત્ર પ્રસિદ્ધ થવાનું શરૂ થયું હતું. અમદાવાદ સોસાયટી વતી અમરેશ્ર્વર કુબેરદાસ દ્વારા આ પત્ર દર બુધવારે પ્રગટ થતું હોવાથી બુધવારીયું કહેવાતું હતું. અમદવાદ વર્તમાનપત્રનું વાર્ષિક લવાજમ છ રૂપિયા હતું અને તેની 125 નકલ બહાર પડતી હતી. અમદાવાદ વર્તમાનપત્ર બાદ બીજું એક પત્ર મોહનલાલ ઘેલશાનું ખબરદર્પણ હતું. ખબરદર્પણ એ સામયિક હતું જે મંગળવાર અને શનિવાર એમ અઠવાડિયામાં બે વાર પ્રસિદ્ધ થતું હતું. 1854માં લલ્લુભાઈએ શમશેર બહાદુર બહાર પાડ્યું હતું. અમદાવાદમાં જ 1860થી લલ્લુ સૂરચંદનું અઠવાડિક પત્ર અમદાવાદ સમાચાર અને 1863થી સરૂપચંદ દલીચંદનું પત્ર પ્રજાભિલાષ શરૂ થયું હતું, તેનું વાર્ષિક લવાજમ પાંચ રૂપિયા હતું. ગુજરાતી પત્રકારત્વના ઉદભવ બાદ અમદાવાદમાંથી પ્રારંભ થયેલા આ પત્રો અલ્પજીવી હતા, તેની ખાસ ગણના થઈ નથી. અમદાવાદમાંથી 1854માં શરૂ થયેલું બુદ્ધિપ્રકાશ સામયિક ગુજરાતી પત્રકારત્વમાં નોંધપાત્ર રહ્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી – ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર એટલે બુદ્ધિપ્રકાશ. 1850માં બુદ્ધિપ્રકાશ નામના એક મંડળે બુદ્ધિપ્રકાશ નામથી જ એક ચોપાનિયું બહાર પાડ્યું હતું. એ 16 પાનાંનું પાક્ષિક હતું, તેની કિંમત દોઢ આનો હતી અને તે લિથોમાં છપાતું હતું. આ બુદ્ધિપ્રકાશ લાંબુ ન ચાલ્યું અને બંધ પડ્યું, ત્યારબાદ સોસાયટીના સહારે 1854માં વિદ્યાભ્યાસક મંડળે તે પ્રસિદ્ધ કર્યું. બુદ્ધિપ્રકાશ પાક્ષિકમાંથી માસિક બન્યું. આ માસિકનું વાર્ષિક લવાજમ આગોતરા ગ્રાહકો માટે પોણો રૂપિયો હતું અને પાછળથી ગ્રાહક થાય તેને માટે દોઢ રૂપિયો હતું. બુદ્ધિપ્રકાશ માસિક નિયમિત રીતે ચલાવવાની જવાબદારી મંડળને ભારે પડવા માંડી એટલે ખુદ સોસાયટીએ જ તે માસિક પોતાને હસ્તક લીધું અને તેનું સંપાદનકાર્ય તે વખતના સોસાયટીના સહાયક મંત્રી હરિલાલ મોહનલાલને સોંપ્યું,

હરિલાલ મોહનલાલ બાદ મગનલાલ વખતચંદે તેનું તંત્રીપદ સંભાળ્યું અને અંતે 1855માં દલપતરામે બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ સંભાળી લીધું હતું.

1862માં મહિપતરામ રૂપરામ નિલકંઠે શિક્ષણને લગતું સરકારી સામયિક ગુજરાત શાળાપત્ર અમદાવાદ વર્નાક્યુલર કોલેજમાંથી પ્રકાશિત કર્યું હતું

- Advertisement -

વર્તમાન સમયમાં ગુજરાતી પત્રકારત્વની કલ્પના
અમદાવાદનાં પત્રકારત્વ વિના કરવી અશક્ય છે, સૌરાષ્ટ્રના પત્રકારત્વ બાદ અમદાવાદનું પત્રકારત્વ ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશા ઘડી રહ્યું છે

હરિલાલ મોહનલાલ બાદ મગનલાલ વખતચંદે તેનું તંત્રીપદ સંભાળ્યું અને અંતે 1855માં દલપતરામે બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ સંભાળી લીધું હતું.

1862માં મહિપતરામ રૂપરામ નીલકંઠે શિક્ષણને લગતું સરકારી સામયિક ગુજરાત શાળાપત્ર અમદાવાદ વર્નાક્યુલર કોલેજમાંથી પ્રકાશિત કર્યું હતું. શિક્ષણ અને કેળવણીના પ્રશ્નોની ચર્ચા કરવા, શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો વિકસાવવા, શિક્ષણક્ષેત્રે થતાં સંશોધનો અને નવા પ્રયોગોની શિક્ષકોને જાણકારી આપવા માટે મુંબઈ સરકારના શિક્ષણખાતા દ્વારા ગુજરાત શાળાપત્ર સામયિકનો પ્રારંભ થયો હતો. ડેમી કદના આ પત્રના મુખપૃષ્ઠ પર શિક્ષકની ફરજ સમજાવતો નવલરામે લખેલો દોહરો છપાતો તેમજ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં સામયિકનું નામ અને અનુક્રમ છપાતાં હતા. 1870માં આ પત્રનું તંત્રીપદ કેળવણી ખાતાએ નવલરામને સોંપ્યું હતું. 30 રૂપિયાનું વાર્ષિક મહેનતાણું લઈને તંત્રીપદ સંભાળનાર નવલરામ ગુજરાત શાળાપત્રનો ઘણીવાર આખોય અંક લખી નાખતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓને લગતા સંખ્યાબંધ લેખો ગુજરાત શાળાપત્રમાં પ્રગટ થયેલા હતા. ગુજરાત શાળાપત્ર મૂળ તો 1862માં અમદાવાદમાંથી શરૂ થયેલું હતું. 1876માં નવલરામ રાજકોટ આવ્યા અને 1888માં તેમનું અવસાન થયું ત્યાં સુધી ગુજરાત શાળાપત્ર રાજકોટથી બહાર પડતું રહ્યું હતું.
અમદાવાદથી 1871માં માસિકમિત્ર નામનું માસિક પ્રગટ થવાનું શરૂ થયું હતું. નામ મુજબ આ પત્ર માસિક હતું અને તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું હતું. માસિકમિત્ર મેળવવા માટે બહારગામના વાંચકોને 12 આના ટપાલ ખર્ચ વધુ ચૂકવવો પડતો હતો. કાયદા, કેળવણી અને સાધારણ સરકારી ઠરાવ સંબંધિત માહિતીઓ ફેલાવવાના હેતુસર માસિકમિત્ર બહાર પાડવામાં આવતું હતું. એ જ રીતે ખેતી વિષયક માહિતીના ફેલાવા માટે 1879માં ખેડા ખેતીવાડી પત્ર નામનું ચોપનીયું અમદાવાદથી પ્રસિદ્ધ કરવામાં આવતું હતું. ખેડા ખેતીવાડી પત્રમાં ખેડૂત અને ખેતી વિષયક લેખો છપાતા હતા, આ પત્ર અમદાવાદ અને આસપાસના ગામના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની રહ્યું હતું. તો અમદાવાદથી જ 1902માં આનંદશંકર ધ્રુવે સાહિત્યિક સામયિક વસંત શરૂ કર્યું હતું. વસંતનો ઉદ્દેશ ગુજરાતી વાંચકોમાં સાહિત્ય અને ભાષાની જાણકારીને મજબૂત બનાવવાનો હતો. ગુજરાતી સાહિત્યિક સામયિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા વસંતે ગુજરાતી ગદ્યના વિકાસમાં નોંધપાત્ર નામના મેળવી હતી. વસંતમાં વિજ્ઞાન વિષયક લેખો પ્રકાશિત કરવામાં આવતા હતા. કેટલાંક વર્ષો બરાબર ચાલ્યા બાદ વસંતનું પ્રકાશન અનિયમિત થઈ ગયું હોવાથી 1936માં એ ત્રૈમાસિક બન્યું અને 1939માં એનું પ્રકાશન બંધ થઈ ગયું હતું.
રામમોહનરાય જસવંતરાય દેસાઈના તંત્રીપદે 1904માં સુંદરી સુબોધ માસિક શરૂ થયેલું હતું. આ સામયિક અમદાવાદના બંધુસમાજનું મુખપત્ર હતું. સ્ત્રીસમાજની નિરાશાજનક અને અજ્ઞાનભરી સ્થિતિને સુધારવાના લક્ષ્યાંકથી બંધુસમાજે સુંદરી સુબોધ શરૂ કર્યું હતું. સુંદરી સુબોધનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા અને આઠ પૈસા હતું. સુંદરી સુબોધ સામયિકના પ્રથમ પૃષ્ઠ ઉપર સ્ત્રી ઉન્નતિ માટેના સાહસિક ગોવર્ધન ત્રિપાઠીના વિચારો ઘણા વર્ષો સુધી પ્રસિદ્ધ થતા રહ્યા હતા. સુંદરી સુબોધમાં સ્ત્રીઓને અનુકૂળ આનંદદાયક, સદબોધક વાચનસામગ્રી પ્રકાશિત કરવામાં આવતી હતી. આ સામયિકની વિશિષ્ટ વાત એ હતી કે, તેમાં સ્ત્રીઓને લેખ, કાવ્ય અને અનુભવ લખી મોકલવાની અપીલ કરવામાં આવતી હતી. આ સાથે જ જુદીજુદી લેખન સ્પર્ધા દ્વારા સ્ત્રીઓને લખવા માટે પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. મહિલા વાંચકો પણ સુંદરી સુબોધમાં પોતાના લખાણ મોકલતી હતી, અનેક સ્ત્રીઓનાં લખાણો આ સામયિકમાં આવતા હતા. 1907માં બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક પત્ર, 1909માં બુદ્ધિપ્રભા સામયિક, 1913માં ભાગ્યોદય માસિક, 1915માં ધર્મપ્રકાશ સામયિક, 1919માં ડાહ્યાભાઈ મનોરદાસ પટેલનું સેવક સામયિક અમદાવાદમાંથી બહાર પડતા હતા. આ સિવાય આજે સો વર્ષનો પ્રકાશનકાળ વટાવી ચૂકેલું નવચેતન સામયિક પણ 1922માં અમદાવાદમાંથી જ બહાર પડવાનું શરૂ થયું હતું. ભારતના મેન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલાં અને સાબરમતીના કિનારે આવેલાં અમદાવાદ શહેરની ભૂમિએ ઘણા પત્રકારો – લેખકોને જન્મ આપ્યો છે તો બધા લેખકો – પત્રકારોને ઘડવામાં પણ સારો એવો ભાગ ભજવ્યો છે. વર્તમાન સમયમાં ગુજરાતી પત્રકારત્વની કલ્પના અમદાવાદના પત્રકારત્વ વિના કરવી અશક્ય છે, સૌરાષ્ટ્રના પત્રકારત્વ બાદ અમદાવાદનું પત્રકારત્વ ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશા ઘડી રહ્યું છે.
વધારો : ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં અમદાવાદમાં અખબારોનો વિકાસ મંદ રહ્યો હોવા પાછળનું એક કારણ એ પણ છે કે, અહીં મુંબઈ અને સૌરાષ્ટ્રમાંથી પત્રો આવતા હતા. અહીંની આબોહવામાં પણ સમાચાર કરતા સાહિત્ય વધુ ફેલાયેલું હતું. વેપાર અને વાણિજ્યના આ શહેરમાં વેપારીઓ – ઉદ્યોગપતિઓને કાગળ કરતા કાપડના ધંધામાં વધુ રસ રહ્યો હતો. શિક્ષિત અને સમૃદ્ધ અમદાવાદીઓનો અખબારો કરતા સામયિકો પ્રત્યે ઝોક વધુ રહેતો આવ્યો છે. સમયની સાથે અમદાવાદના પત્રકારત્વમાં સાહિત્ય ભળ્યું એટલે આઝાદીકાળ આસપાસ અહીંથી નવા બહાર પડવાના શરૂ થયેલા અખબારો સચવાઈ ગયા અને સમગ્ર રાજ્યમાં સ્વીકૃત બન્યા. હવે મોટા ગજાના દર બીજા-ત્રીજા બિઝનેસમેન અમદાવાદના મીડિયામાં ઝંપલાવી રહ્યા છે. અત્યારે અમદાવાદ ગુજરાતી પત્રકારત્વમાં અવ્વલ દરજ્જો ધરાવતા અખબારો, સામયિકો, રેડિયો અને ન્યૂઝ ચેનલ્સનું હબ બની ચૂક્યું છે. એક સમયે જે અમદાવાદમાંથી કોઈ ખાસ અખબાર બહાર પડતું નહતું તે અમદાવાદમાં આજે દરેક આમ ઔર ખાસ અખબારથી લઈ સામયિકો, રેડિયો અને ન્યૂઝ ચેનલ્સનું કાર્યાલય આવેલું છે.

You Might Also Like

કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

TAGGED: JOURNALISM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોટા બનવા માટે દિલ પણ મોટું જોઈએ
Next Article મવડીમાં મિત ઉર્ફે ભાજીનો આતંક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ
રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ
ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?