By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    15 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    15 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    15 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    14 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    15 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    15 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    16 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે
ધર્મ

એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે

Khaskhabar Editor
Last updated: 2024/09/11 at 1:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

અમદાવાદથી રાજકોટ જતાં નેશનલ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે રાજરાજેશ્વર ધામ આવેલુ છે. રાજરાજેશ્વર ધામ પરિસરમાં આવેલા દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે.

ભારત દેશમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના એક સાથે બહુ જૂજ મંદિર આવેલા છે. અમદાવાદથી રાજકોટ જતાં નેશનલ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે રાજરાજેશ્વર ધામ આવેલુ છે. રાજરાજેશ્વર ધામ પરિસરમાં આવેલા દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે. આજે દેવદર્શનમાં એક જ મંદિર પરિસરમાં બિરાજમાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તેમના પરિવારના દર્શન કરી ધન્ય થઈશુ.

- Advertisement -

અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે આવેલા રાજ રાજેશ્વરધામનો પ્રવેશદ્વાર સુંદર કોતરણી કામથી શોભાયમાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહિં ચૈતન્ય સ્વરુપે બિરાજમાન છે. એટલે દ્વારનું નામ ત્રિમૂર્તિ દ્વાર રાખવામાં આવ્યુ છે. રાજરાજેશ્વર ધામમાં પ્રવેશતા જ પ્રથમ નજર દિવ્યાયતન પર જાય છે. ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અદ્વિતીય દિવ્યાયતનનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતપોતાના પરિવાર સાથે બિરાજમાન

- Advertisement -

દિવ્યાયતનમાં લોકેશ્વર બ્રહ્માજી, જગદીશ્વર વિષ્ણુજી અને સિદ્ધેશ્વર મહાદેવ પોતપોતાના પરિવાર સાથે બિરાજમાન છે. આમ તો દેશના બધા આધ્યાત્મિક સ્થાનો પવિત્ર અને પૂજ્ય છે પણ આ સ્થળ સવિશેષ રૂપે પૂજ્ય છે કારણ કે 29 જાન્યુઆરી 2007ના દિવસે ભગવાન લકુલીશજીએ બીજી વખત સ્વામી રાજર્ષિ મુનિજીને સિદ્ધેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. અને કહ્યુ હતુ કે આ દિવ્યાયતન એકેશ્વરવાદનું ઉત્તમ કેન્દ્ર બનશે. દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સુંદર ત્રણ મંદિર આવેલા છે. ત્રણે મંદિરમાં ત્રણેય દેવ તેમના પરિવાર સાથે બિરાજમાન છે.

શિવજીની પંચમુખી પ્રતિમા

સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં શિવજીની પંચમુખી પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. શિવજીને પંચવકત્ર ગણવામાં આવે છે. તે અનુસાર શિવજીના પાંચ મુખ છે. આ પાંચ શિવજીના પાંચ સ્વરૂપ છે. એક સ્વરૂપ તત્પુરૂષ છે જેમની પૂજા પૂર્વ દિશામાં કરવામાં આવે છે. બીજુ સ્વરૂપ વામદેવ છે જેમની પૂજા ઉત્તર દિશામાં કરવામાં આવે છે. ત્રીજુ સ્વરૂપ ૐ સદ્યોજાતં છે. જેમની પૂજા પશ્ચિમ દિશામાં કરવામાં આવે છે. ચોથુ સ્વરૂપ છે અઘોર, જેમની પૂજા દક્ષિણ દિશામાં કરવામાં આવે છે અને પાંચમુ સ્વરૂપ ઈશાન છે જેમા વચ્ચે લિંગ હોય છે એટલે તેમની પૂજા ઉપરથી કરવામાં આવે છે જેને ઊર્ધ્વ મુખ કહેવાય છે.

વિષ્ણુજીની મૂર્તિ દક્ષિણ ભારતના કારીગરોએ વિશેષ કાળા પત્થરમાંથી કંડારી છે

રાજરાજેશ્વરધામ ખાતે દિવ્યાયતનમાં બિરાજમાન સિધ્ધેશ્વર મહાદેવ અને જગદીશ્વર વિષ્ણુજીની મૂર્તિ દક્ષિણ ભારતના કારીગરોએ વિશેષ કાળા પત્થરમાંથી કંડારી છે. જેને કંડારતા કારીગરોના હાથમાં ફરતે ટાયર બાંધવા પડતા હતા કારણ કે આ કાળો પત્થર સખત હોવાના કારણે કંડારતી વખતે હાથમાં વાગે છે.

સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં આ પ્રતિમાઓ

સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં તેમની આજુબાજુમાં ગણપતિ, કાર્તિકેય, હનુમાનજી, અંબાજી, સર્વમંગલા, વીરભદ્ર, લિંગોદ્રવ, અર્ધનારીશ્વર, નંદી, કાચબાની સુંદર પ્રતિમાઓ મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે. દિવ્યાયતનમાં દરેક વાર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને ભાવિકો તેનો અચૂક લાભ લે છે.

 

કેવું છે વિષ્ણું ભગવાનનું મંદિર ?

જગદીશ્વર વિષ્ણુજીના મંદિરમાં તેમની આજુબાજુ તેમના અન્ય અવતાર અને પરિવાર બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ, સંકર્ષણ, પ્રદ્યુમન, સૂર્ય, અનિરુદ્ધ, રાગિણી, રાધાકૃષ્ણ, સીતારામ અને વિષ્ણુજીની બરાબર સામે જ ગરુડજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિર અને તેની આજુબાજુનું વાતાવરણ ખુશનુમા અને ભક્તિમય છે જે ભાવિકોને આકર્ષે છે અને જે પણ ભાવિક રાજરાજેશ્વરધામમાં એકવાર દર્શન કરવા આવે તે પછી વારંવાર અહિં આવે છે અને ત્રણેય દેવના સાનિધ્યમાં નવી શક્તિના સંચાર સાથે પાછા જાય છે.

કેવું છે બ્રહ્માજીનું મંદિર ?

લોકેશ્વર બ્રહ્માજીના મંદિરમાં તેમની આજુબાજુમાં તેમના પુત્રો સનક સન્દન સનત સનાતન અને નારદજી, ઈન્દ્ર, કુબેર, સરસ્વતી, તૂંબુરુ ગંધર્વ, વિશ્વકર્મા અને હંસની સુંદર મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી છે જેના દર્શન મનમોહિત છે. બ્રહ્માજીની મૂર્તિ ગુલાબી આરસમાંથી બનાવવામાં આવી છે. જ્યારે મંદિરનું નિર્માણ થયુ અને મૂર્તિ માટે પત્થર મળતો નહોતો ત્યારે રાજર્ષિ ગુરુએ દિશાનિર્દેશ કર્યો ત્યાંથી જ પત્થર મળી ગયો હતો.

ઋષિમુનિઓની મૂર્તિઓ

ત્રણેય દેવોના મંદિરની વચ્ચે ભારદ્વાજ, કશ્યપ, વિશ્વામિત્રી, ગૌતમ, જનદગ્નિ, અત્રિ જેવા ઋષિમુનિઓની મૂર્તિઓ મુકવામાં આવી છે. જે આપણા ઈતિહાસને તાદ્રશ્ય કરાવે છે. જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે મંદિર પરિસરમાં ચંદન વર્ષા થઈ હતી. આખા મંદિર પરિસરમાં નાના નાના ચંદનના તિલક થયા હતા. જાણે ચંદનના વરસાદી છાંટણા..મંદિરમાં તે સમયે હાજર સૌ ભાવિકોએ ચંદન વર્ષા અને મંદિરમાં આવતી તેની સુવાસની અનુભૂતિ કરી હતી અને આ જ તો શ્રદ્ધા અને આસ્થાની ઝલક છે.

ધજા ચડાવવાનું અનેરુ મહત્વ

દિવ્યાયતને ધજા ચડાવવાનું અનેરુ મહત્વ છે ત્રણેય દેવોની ધજા અલગ અલગ રીતે ચડાવવામાં આવે છે. જ્યાર ધજા ચડાવવાની હોય ત્યારે મંદિરે મોટા ઉત્સવ જેવુ વાતાવરણ સર્જાય છે. વર્ષ દરમ્યાન અમુક ચોક્કસ પવિત્ર દિવસે ભારતભરમાંથી અને વિદેશમાંથી ભાવિકો મંદિરે ધ્વજારોહણના સંકલ્પ સાથે આવે છે.

રમણીય સુધા સરોવર

રાજરાજેશ્વરધામમાં સુંદર રમણીય સુધા સરોવર આવેલુ છે. સરોવરના કિનારે નિજધામમાં માતા ગંગા બિરાજમાન છે અને મંદિરની બહારની બાજુ રાજા ભગીરથની મૂર્તિ સ્વામી રાજર્ષિ મુનિજી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ સરોવરમાં ભારતની બધી પવિત્ર નદીઓના જળ વિધિસર પધરાવીને તેને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યુ છે. સુધા સરોવરે દર વર્ષે ભાદરવા સુદ પાંચમે દૂર દૂરના ગામ તથા શહેરમાંથી બહેનો અને માતાઓ આવે છે. અને સુધા સરોવરમાં સ્નાન કરી ઋષિ પુજન કરે છે. ભાદરવા વદ અમાસ એટલે સર્વ પિતૃ અમાસે અહીંયા સમૂહમાં સર્વ પિતૃ તર્પણ વિધિ કરવામાં આવે છે જેમાં પિંડ દાન સહિત તર્પણ વિધિ કરવામાં આવે છે

ગૌશાળામાં ગીર ગાયોનું સંવર્ધન

મંદિર પરિસરમાં ગૌશાળા આવેલી છે. ગૌશાળા ખૂબ જ સુંદર ગૌમંદિર બનાવવામાં આવ્યું છે. ગૌશાળામાં પ્રવેશતા જ ગાયની સુંદર મૂર્તિ નજરે પડે છે તે મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિ જડવામાં આવી છે. દુનિયામાં જેટલા પ્રકારની ગાયો છે તે ગાયો વિશે સંશોધન કરેલી માહિતી ટાઈલ્સ પર કોતરણી કરીને દિવાલ પર સજાવવામાં આવી છે. આ ગૌશાળામાં ગીર જાતની ગાયો રાખવામાં આવી છે. આ ગીર જાતની ગાયો મૂળ ગુજરાતની છે. અને ગીર ગાયના સંવર્ધનમાં આ ગૌશાળાનો મહત્વનો ફાળો છે.

સર્વધર્મ પ્રાર્થના સદન

ભગવાને તો સનાતન ધર્મની સ્થાપના કરી જ હતી અને પરંપરા પણ એકેશ્વરવાદના આધ્યાત્મિક સિદ્ધાંતોને અનુસરે છે એટલે જ દિવ્યાયતનની પાછળના ભાગમાં વિશ્વના સાત મુખ્ય ધર્મોનું પ્રતિનિધિત્વ ધરાવતું સર્વધર્મ પ્રાર્થના સદન બનાવવામાં આવ્યું છે જ્યાં હિન્દુ, મુસ્લીમ, શીખ, ક્રિશ્રિયન, બૌદ્ધ, જૈન, પારસી ધર્મના લોકો અહીં આવીને પોતાની પ્રાર્થના કરી શકે છે.અને આ સાતે ધર્મોના ધર્મગુરુઓએ વિધિસર પોતપોતાના ધર્મોના પ્રતિકોની પ્રતિષ્ઠા કરી છે.

મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

સુંદર ક્લાત્મક કોતરણી જે અહિં આવતા દરેક દર્શનાર્થીઓને આકર્ષે છે. તે રાજરાજેશ્વરધામના દિવ્યાયતન મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત પત્થર, શીશુ અને સિમેન્ટના ઉપયોગથી જ બનાવવામાં આવેલા મંદિરમાં ચૈતન્ય સ્વરુપે બિરાજમાન શ્રી લોકેશ્વર બ્રહ્માજી, શ્રી જગદીશ્વર વિષ્ણુજી અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરી ભાવિકો ખૂબ જ ધન્યતા અને નવી શક્તિના સંચારનો અલૌકિક અનુભવ કરે છે.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: Jakhan village, Limbdi, Rajarajeshwar Dham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મલાઈકાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, કારણ અકબંધ
Next Article ‘દેવરા’નું દમદાર ટ્રેલર રિલીઝ: જુનિયર એનટીઆરની જોરદાર એક્શનમાં દેખાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 3 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?