By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    7 hours ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 day ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 day ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    1 day ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    1 day ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 day ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    3 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    4 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 day ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે
ધર્મ

એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે

Khaskhabar Editor
Last updated: 2024/09/11 at 1:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

અમદાવાદથી રાજકોટ જતાં નેશનલ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે રાજરાજેશ્વર ધામ આવેલુ છે. રાજરાજેશ્વર ધામ પરિસરમાં આવેલા દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે.

ભારત દેશમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના એક સાથે બહુ જૂજ મંદિર આવેલા છે. અમદાવાદથી રાજકોટ જતાં નેશનલ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે રાજરાજેશ્વર ધામ આવેલુ છે. રાજરાજેશ્વર ધામ પરિસરમાં આવેલા દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે. આજે દેવદર્શનમાં એક જ મંદિર પરિસરમાં બિરાજમાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તેમના પરિવારના દર્શન કરી ધન્ય થઈશુ.

- Advertisement -

અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે આવેલા રાજ રાજેશ્વરધામનો પ્રવેશદ્વાર સુંદર કોતરણી કામથી શોભાયમાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહિં ચૈતન્ય સ્વરુપે બિરાજમાન છે. એટલે દ્વારનું નામ ત્રિમૂર્તિ દ્વાર રાખવામાં આવ્યુ છે. રાજરાજેશ્વર ધામમાં પ્રવેશતા જ પ્રથમ નજર દિવ્યાયતન પર જાય છે. ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અદ્વિતીય દિવ્યાયતનનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતપોતાના પરિવાર સાથે બિરાજમાન

- Advertisement -

દિવ્યાયતનમાં લોકેશ્વર બ્રહ્માજી, જગદીશ્વર વિષ્ણુજી અને સિદ્ધેશ્વર મહાદેવ પોતપોતાના પરિવાર સાથે બિરાજમાન છે. આમ તો દેશના બધા આધ્યાત્મિક સ્થાનો પવિત્ર અને પૂજ્ય છે પણ આ સ્થળ સવિશેષ રૂપે પૂજ્ય છે કારણ કે 29 જાન્યુઆરી 2007ના દિવસે ભગવાન લકુલીશજીએ બીજી વખત સ્વામી રાજર્ષિ મુનિજીને સિદ્ધેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. અને કહ્યુ હતુ કે આ દિવ્યાયતન એકેશ્વરવાદનું ઉત્તમ કેન્દ્ર બનશે. દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સુંદર ત્રણ મંદિર આવેલા છે. ત્રણે મંદિરમાં ત્રણેય દેવ તેમના પરિવાર સાથે બિરાજમાન છે.

શિવજીની પંચમુખી પ્રતિમા

સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં શિવજીની પંચમુખી પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. શિવજીને પંચવકત્ર ગણવામાં આવે છે. તે અનુસાર શિવજીના પાંચ મુખ છે. આ પાંચ શિવજીના પાંચ સ્વરૂપ છે. એક સ્વરૂપ તત્પુરૂષ છે જેમની પૂજા પૂર્વ દિશામાં કરવામાં આવે છે. બીજુ સ્વરૂપ વામદેવ છે જેમની પૂજા ઉત્તર દિશામાં કરવામાં આવે છે. ત્રીજુ સ્વરૂપ ૐ સદ્યોજાતં છે. જેમની પૂજા પશ્ચિમ દિશામાં કરવામાં આવે છે. ચોથુ સ્વરૂપ છે અઘોર, જેમની પૂજા દક્ષિણ દિશામાં કરવામાં આવે છે અને પાંચમુ સ્વરૂપ ઈશાન છે જેમા વચ્ચે લિંગ હોય છે એટલે તેમની પૂજા ઉપરથી કરવામાં આવે છે જેને ઊર્ધ્વ મુખ કહેવાય છે.

વિષ્ણુજીની મૂર્તિ દક્ષિણ ભારતના કારીગરોએ વિશેષ કાળા પત્થરમાંથી કંડારી છે

રાજરાજેશ્વરધામ ખાતે દિવ્યાયતનમાં બિરાજમાન સિધ્ધેશ્વર મહાદેવ અને જગદીશ્વર વિષ્ણુજીની મૂર્તિ દક્ષિણ ભારતના કારીગરોએ વિશેષ કાળા પત્થરમાંથી કંડારી છે. જેને કંડારતા કારીગરોના હાથમાં ફરતે ટાયર બાંધવા પડતા હતા કારણ કે આ કાળો પત્થર સખત હોવાના કારણે કંડારતી વખતે હાથમાં વાગે છે.

સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં આ પ્રતિમાઓ

સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં તેમની આજુબાજુમાં ગણપતિ, કાર્તિકેય, હનુમાનજી, અંબાજી, સર્વમંગલા, વીરભદ્ર, લિંગોદ્રવ, અર્ધનારીશ્વર, નંદી, કાચબાની સુંદર પ્રતિમાઓ મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે. દિવ્યાયતનમાં દરેક વાર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને ભાવિકો તેનો અચૂક લાભ લે છે.

 

કેવું છે વિષ્ણું ભગવાનનું મંદિર ?

જગદીશ્વર વિષ્ણુજીના મંદિરમાં તેમની આજુબાજુ તેમના અન્ય અવતાર અને પરિવાર બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ, સંકર્ષણ, પ્રદ્યુમન, સૂર્ય, અનિરુદ્ધ, રાગિણી, રાધાકૃષ્ણ, સીતારામ અને વિષ્ણુજીની બરાબર સામે જ ગરુડજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિર અને તેની આજુબાજુનું વાતાવરણ ખુશનુમા અને ભક્તિમય છે જે ભાવિકોને આકર્ષે છે અને જે પણ ભાવિક રાજરાજેશ્વરધામમાં એકવાર દર્શન કરવા આવે તે પછી વારંવાર અહિં આવે છે અને ત્રણેય દેવના સાનિધ્યમાં નવી શક્તિના સંચાર સાથે પાછા જાય છે.

કેવું છે બ્રહ્માજીનું મંદિર ?

લોકેશ્વર બ્રહ્માજીના મંદિરમાં તેમની આજુબાજુમાં તેમના પુત્રો સનક સન્દન સનત સનાતન અને નારદજી, ઈન્દ્ર, કુબેર, સરસ્વતી, તૂંબુરુ ગંધર્વ, વિશ્વકર્મા અને હંસની સુંદર મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી છે જેના દર્શન મનમોહિત છે. બ્રહ્માજીની મૂર્તિ ગુલાબી આરસમાંથી બનાવવામાં આવી છે. જ્યારે મંદિરનું નિર્માણ થયુ અને મૂર્તિ માટે પત્થર મળતો નહોતો ત્યારે રાજર્ષિ ગુરુએ દિશાનિર્દેશ કર્યો ત્યાંથી જ પત્થર મળી ગયો હતો.

ઋષિમુનિઓની મૂર્તિઓ

ત્રણેય દેવોના મંદિરની વચ્ચે ભારદ્વાજ, કશ્યપ, વિશ્વામિત્રી, ગૌતમ, જનદગ્નિ, અત્રિ જેવા ઋષિમુનિઓની મૂર્તિઓ મુકવામાં આવી છે. જે આપણા ઈતિહાસને તાદ્રશ્ય કરાવે છે. જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે મંદિર પરિસરમાં ચંદન વર્ષા થઈ હતી. આખા મંદિર પરિસરમાં નાના નાના ચંદનના તિલક થયા હતા. જાણે ચંદનના વરસાદી છાંટણા..મંદિરમાં તે સમયે હાજર સૌ ભાવિકોએ ચંદન વર્ષા અને મંદિરમાં આવતી તેની સુવાસની અનુભૂતિ કરી હતી અને આ જ તો શ્રદ્ધા અને આસ્થાની ઝલક છે.

ધજા ચડાવવાનું અનેરુ મહત્વ

દિવ્યાયતને ધજા ચડાવવાનું અનેરુ મહત્વ છે ત્રણેય દેવોની ધજા અલગ અલગ રીતે ચડાવવામાં આવે છે. જ્યાર ધજા ચડાવવાની હોય ત્યારે મંદિરે મોટા ઉત્સવ જેવુ વાતાવરણ સર્જાય છે. વર્ષ દરમ્યાન અમુક ચોક્કસ પવિત્ર દિવસે ભારતભરમાંથી અને વિદેશમાંથી ભાવિકો મંદિરે ધ્વજારોહણના સંકલ્પ સાથે આવે છે.

રમણીય સુધા સરોવર

રાજરાજેશ્વરધામમાં સુંદર રમણીય સુધા સરોવર આવેલુ છે. સરોવરના કિનારે નિજધામમાં માતા ગંગા બિરાજમાન છે અને મંદિરની બહારની બાજુ રાજા ભગીરથની મૂર્તિ સ્વામી રાજર્ષિ મુનિજી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ સરોવરમાં ભારતની બધી પવિત્ર નદીઓના જળ વિધિસર પધરાવીને તેને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યુ છે. સુધા સરોવરે દર વર્ષે ભાદરવા સુદ પાંચમે દૂર દૂરના ગામ તથા શહેરમાંથી બહેનો અને માતાઓ આવે છે. અને સુધા સરોવરમાં સ્નાન કરી ઋષિ પુજન કરે છે. ભાદરવા વદ અમાસ એટલે સર્વ પિતૃ અમાસે અહીંયા સમૂહમાં સર્વ પિતૃ તર્પણ વિધિ કરવામાં આવે છે જેમાં પિંડ દાન સહિત તર્પણ વિધિ કરવામાં આવે છે

ગૌશાળામાં ગીર ગાયોનું સંવર્ધન

મંદિર પરિસરમાં ગૌશાળા આવેલી છે. ગૌશાળા ખૂબ જ સુંદર ગૌમંદિર બનાવવામાં આવ્યું છે. ગૌશાળામાં પ્રવેશતા જ ગાયની સુંદર મૂર્તિ નજરે પડે છે તે મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિ જડવામાં આવી છે. દુનિયામાં જેટલા પ્રકારની ગાયો છે તે ગાયો વિશે સંશોધન કરેલી માહિતી ટાઈલ્સ પર કોતરણી કરીને દિવાલ પર સજાવવામાં આવી છે. આ ગૌશાળામાં ગીર જાતની ગાયો રાખવામાં આવી છે. આ ગીર જાતની ગાયો મૂળ ગુજરાતની છે. અને ગીર ગાયના સંવર્ધનમાં આ ગૌશાળાનો મહત્વનો ફાળો છે.

સર્વધર્મ પ્રાર્થના સદન

ભગવાને તો સનાતન ધર્મની સ્થાપના કરી જ હતી અને પરંપરા પણ એકેશ્વરવાદના આધ્યાત્મિક સિદ્ધાંતોને અનુસરે છે એટલે જ દિવ્યાયતનની પાછળના ભાગમાં વિશ્વના સાત મુખ્ય ધર્મોનું પ્રતિનિધિત્વ ધરાવતું સર્વધર્મ પ્રાર્થના સદન બનાવવામાં આવ્યું છે જ્યાં હિન્દુ, મુસ્લીમ, શીખ, ક્રિશ્રિયન, બૌદ્ધ, જૈન, પારસી ધર્મના લોકો અહીં આવીને પોતાની પ્રાર્થના કરી શકે છે.અને આ સાતે ધર્મોના ધર્મગુરુઓએ વિધિસર પોતપોતાના ધર્મોના પ્રતિકોની પ્રતિષ્ઠા કરી છે.

મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

સુંદર ક્લાત્મક કોતરણી જે અહિં આવતા દરેક દર્શનાર્થીઓને આકર્ષે છે. તે રાજરાજેશ્વરધામના દિવ્યાયતન મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત પત્થર, શીશુ અને સિમેન્ટના ઉપયોગથી જ બનાવવામાં આવેલા મંદિરમાં ચૈતન્ય સ્વરુપે બિરાજમાન શ્રી લોકેશ્વર બ્રહ્માજી, શ્રી જગદીશ્વર વિષ્ણુજી અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરી ભાવિકો ખૂબ જ ધન્યતા અને નવી શક્તિના સંચારનો અલૌકિક અનુભવ કરે છે.

You Might Also Like

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે

TAGGED: Jakhan village, Limbdi, Rajarajeshwar Dham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મલાઈકાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, કારણ અકબંધ
Next Article ‘દેવરા’નું દમદાર ટ્રેલર રિલીઝ: જુનિયર એનટીઆરની જોરદાર એક્શનમાં દેખાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢધર્મ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?