By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    21 hours ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    23 hours ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    2 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    2 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રશિયાના તેલનો સૌથી મોટો ખરીદદાર ચીન છે : જયશંકર
    18 hours ago
    આસામમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને નવા આધારકાર્ડ નહીં મળે
    18 hours ago
    જો ચૂપ રહીશું તો ગુંડાગીરી વધશે, ભારત અને ચીન હરીફ નથી, ભાગીદાર છે: ચીની રાજદૂત
    18 hours ago
    ઑનલાઇન સટ્ટાની ગેમ પર પ્રતિબંધ રૂ.8300 કરોડનું રોકાણ જોખમમાં
    18 hours ago
    NRI ટાયકૂન લોર્ડ સ્વરાજ પોલનું 94 વર્ષની વયે અવસાન, PM મોદીએ તેમના વારસાને યાદ કર્યો
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    18 hours ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    4 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    22 hours ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    3 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    4 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    23 hours ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    2 weeks ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    2 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    3 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    3 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે
ધર્મ

એક એવું મંદિર કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે

Khaskhabar Editor
Last updated: 2024/09/11 at 1:05 PM
Khaskhabar Editor 12 months ago
Share
8 Min Read
SHARE

અમદાવાદથી રાજકોટ જતાં નેશનલ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે રાજરાજેશ્વર ધામ આવેલુ છે. રાજરાજેશ્વર ધામ પરિસરમાં આવેલા દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે.

ભારત દેશમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના એક સાથે બહુ જૂજ મંદિર આવેલા છે. અમદાવાદથી રાજકોટ જતાં નેશનલ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે રાજરાજેશ્વર ધામ આવેલુ છે. રાજરાજેશ્વર ધામ પરિસરમાં આવેલા દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે. આજે દેવદર્શનમાં એક જ મંદિર પરિસરમાં બિરાજમાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તેમના પરિવારના દર્શન કરી ધન્ય થઈશુ.

- Advertisement -

અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે આવેલા રાજ રાજેશ્વરધામનો પ્રવેશદ્વાર સુંદર કોતરણી કામથી શોભાયમાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહિં ચૈતન્ય સ્વરુપે બિરાજમાન છે. એટલે દ્વારનું નામ ત્રિમૂર્તિ દ્વાર રાખવામાં આવ્યુ છે. રાજરાજેશ્વર ધામમાં પ્રવેશતા જ પ્રથમ નજર દિવ્યાયતન પર જાય છે. ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અદ્વિતીય દિવ્યાયતનનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતપોતાના પરિવાર સાથે બિરાજમાન

- Advertisement -

દિવ્યાયતનમાં લોકેશ્વર બ્રહ્માજી, જગદીશ્વર વિષ્ણુજી અને સિદ્ધેશ્વર મહાદેવ પોતપોતાના પરિવાર સાથે બિરાજમાન છે. આમ તો દેશના બધા આધ્યાત્મિક સ્થાનો પવિત્ર અને પૂજ્ય છે પણ આ સ્થળ સવિશેષ રૂપે પૂજ્ય છે કારણ કે 29 જાન્યુઆરી 2007ના દિવસે ભગવાન લકુલીશજીએ બીજી વખત સ્વામી રાજર્ષિ મુનિજીને સિદ્ધેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. અને કહ્યુ હતુ કે આ દિવ્યાયતન એકેશ્વરવાદનું ઉત્તમ કેન્દ્ર બનશે. દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સુંદર ત્રણ મંદિર આવેલા છે. ત્રણે મંદિરમાં ત્રણેય દેવ તેમના પરિવાર સાથે બિરાજમાન છે.

શિવજીની પંચમુખી પ્રતિમા

સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં શિવજીની પંચમુખી પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. શિવજીને પંચવકત્ર ગણવામાં આવે છે. તે અનુસાર શિવજીના પાંચ મુખ છે. આ પાંચ શિવજીના પાંચ સ્વરૂપ છે. એક સ્વરૂપ તત્પુરૂષ છે જેમની પૂજા પૂર્વ દિશામાં કરવામાં આવે છે. બીજુ સ્વરૂપ વામદેવ છે જેમની પૂજા ઉત્તર દિશામાં કરવામાં આવે છે. ત્રીજુ સ્વરૂપ ૐ સદ્યોજાતં છે. જેમની પૂજા પશ્ચિમ દિશામાં કરવામાં આવે છે. ચોથુ સ્વરૂપ છે અઘોર, જેમની પૂજા દક્ષિણ દિશામાં કરવામાં આવે છે અને પાંચમુ સ્વરૂપ ઈશાન છે જેમા વચ્ચે લિંગ હોય છે એટલે તેમની પૂજા ઉપરથી કરવામાં આવે છે જેને ઊર્ધ્વ મુખ કહેવાય છે.

વિષ્ણુજીની મૂર્તિ દક્ષિણ ભારતના કારીગરોએ વિશેષ કાળા પત્થરમાંથી કંડારી છે

રાજરાજેશ્વરધામ ખાતે દિવ્યાયતનમાં બિરાજમાન સિધ્ધેશ્વર મહાદેવ અને જગદીશ્વર વિષ્ણુજીની મૂર્તિ દક્ષિણ ભારતના કારીગરોએ વિશેષ કાળા પત્થરમાંથી કંડારી છે. જેને કંડારતા કારીગરોના હાથમાં ફરતે ટાયર બાંધવા પડતા હતા કારણ કે આ કાળો પત્થર સખત હોવાના કારણે કંડારતી વખતે હાથમાં વાગે છે.

સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં આ પ્રતિમાઓ

સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં તેમની આજુબાજુમાં ગણપતિ, કાર્તિકેય, હનુમાનજી, અંબાજી, સર્વમંગલા, વીરભદ્ર, લિંગોદ્રવ, અર્ધનારીશ્વર, નંદી, કાચબાની સુંદર પ્રતિમાઓ મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે. દિવ્યાયતનમાં દરેક વાર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને ભાવિકો તેનો અચૂક લાભ લે છે.

 

કેવું છે વિષ્ણું ભગવાનનું મંદિર ?

જગદીશ્વર વિષ્ણુજીના મંદિરમાં તેમની આજુબાજુ તેમના અન્ય અવતાર અને પરિવાર બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ, સંકર્ષણ, પ્રદ્યુમન, સૂર્ય, અનિરુદ્ધ, રાગિણી, રાધાકૃષ્ણ, સીતારામ અને વિષ્ણુજીની બરાબર સામે જ ગરુડજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિર અને તેની આજુબાજુનું વાતાવરણ ખુશનુમા અને ભક્તિમય છે જે ભાવિકોને આકર્ષે છે અને જે પણ ભાવિક રાજરાજેશ્વરધામમાં એકવાર દર્શન કરવા આવે તે પછી વારંવાર અહિં આવે છે અને ત્રણેય દેવના સાનિધ્યમાં નવી શક્તિના સંચાર સાથે પાછા જાય છે.

કેવું છે બ્રહ્માજીનું મંદિર ?

લોકેશ્વર બ્રહ્માજીના મંદિરમાં તેમની આજુબાજુમાં તેમના પુત્રો સનક સન્દન સનત સનાતન અને નારદજી, ઈન્દ્ર, કુબેર, સરસ્વતી, તૂંબુરુ ગંધર્વ, વિશ્વકર્મા અને હંસની સુંદર મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી છે જેના દર્શન મનમોહિત છે. બ્રહ્માજીની મૂર્તિ ગુલાબી આરસમાંથી બનાવવામાં આવી છે. જ્યારે મંદિરનું નિર્માણ થયુ અને મૂર્તિ માટે પત્થર મળતો નહોતો ત્યારે રાજર્ષિ ગુરુએ દિશાનિર્દેશ કર્યો ત્યાંથી જ પત્થર મળી ગયો હતો.

ઋષિમુનિઓની મૂર્તિઓ

ત્રણેય દેવોના મંદિરની વચ્ચે ભારદ્વાજ, કશ્યપ, વિશ્વામિત્રી, ગૌતમ, જનદગ્નિ, અત્રિ જેવા ઋષિમુનિઓની મૂર્તિઓ મુકવામાં આવી છે. જે આપણા ઈતિહાસને તાદ્રશ્ય કરાવે છે. જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે મંદિર પરિસરમાં ચંદન વર્ષા થઈ હતી. આખા મંદિર પરિસરમાં નાના નાના ચંદનના તિલક થયા હતા. જાણે ચંદનના વરસાદી છાંટણા..મંદિરમાં તે સમયે હાજર સૌ ભાવિકોએ ચંદન વર્ષા અને મંદિરમાં આવતી તેની સુવાસની અનુભૂતિ કરી હતી અને આ જ તો શ્રદ્ધા અને આસ્થાની ઝલક છે.

ધજા ચડાવવાનું અનેરુ મહત્વ

દિવ્યાયતને ધજા ચડાવવાનું અનેરુ મહત્વ છે ત્રણેય દેવોની ધજા અલગ અલગ રીતે ચડાવવામાં આવે છે. જ્યાર ધજા ચડાવવાની હોય ત્યારે મંદિરે મોટા ઉત્સવ જેવુ વાતાવરણ સર્જાય છે. વર્ષ દરમ્યાન અમુક ચોક્કસ પવિત્ર દિવસે ભારતભરમાંથી અને વિદેશમાંથી ભાવિકો મંદિરે ધ્વજારોહણના સંકલ્પ સાથે આવે છે.

રમણીય સુધા સરોવર

રાજરાજેશ્વરધામમાં સુંદર રમણીય સુધા સરોવર આવેલુ છે. સરોવરના કિનારે નિજધામમાં માતા ગંગા બિરાજમાન છે અને મંદિરની બહારની બાજુ રાજા ભગીરથની મૂર્તિ સ્વામી રાજર્ષિ મુનિજી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ સરોવરમાં ભારતની બધી પવિત્ર નદીઓના જળ વિધિસર પધરાવીને તેને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યુ છે. સુધા સરોવરે દર વર્ષે ભાદરવા સુદ પાંચમે દૂર દૂરના ગામ તથા શહેરમાંથી બહેનો અને માતાઓ આવે છે. અને સુધા સરોવરમાં સ્નાન કરી ઋષિ પુજન કરે છે. ભાદરવા વદ અમાસ એટલે સર્વ પિતૃ અમાસે અહીંયા સમૂહમાં સર્વ પિતૃ તર્પણ વિધિ કરવામાં આવે છે જેમાં પિંડ દાન સહિત તર્પણ વિધિ કરવામાં આવે છે

ગૌશાળામાં ગીર ગાયોનું સંવર્ધન

મંદિર પરિસરમાં ગૌશાળા આવેલી છે. ગૌશાળા ખૂબ જ સુંદર ગૌમંદિર બનાવવામાં આવ્યું છે. ગૌશાળામાં પ્રવેશતા જ ગાયની સુંદર મૂર્તિ નજરે પડે છે તે મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિ જડવામાં આવી છે. દુનિયામાં જેટલા પ્રકારની ગાયો છે તે ગાયો વિશે સંશોધન કરેલી માહિતી ટાઈલ્સ પર કોતરણી કરીને દિવાલ પર સજાવવામાં આવી છે. આ ગૌશાળામાં ગીર જાતની ગાયો રાખવામાં આવી છે. આ ગીર જાતની ગાયો મૂળ ગુજરાતની છે. અને ગીર ગાયના સંવર્ધનમાં આ ગૌશાળાનો મહત્વનો ફાળો છે.

સર્વધર્મ પ્રાર્થના સદન

ભગવાને તો સનાતન ધર્મની સ્થાપના કરી જ હતી અને પરંપરા પણ એકેશ્વરવાદના આધ્યાત્મિક સિદ્ધાંતોને અનુસરે છે એટલે જ દિવ્યાયતનની પાછળના ભાગમાં વિશ્વના સાત મુખ્ય ધર્મોનું પ્રતિનિધિત્વ ધરાવતું સર્વધર્મ પ્રાર્થના સદન બનાવવામાં આવ્યું છે જ્યાં હિન્દુ, મુસ્લીમ, શીખ, ક્રિશ્રિયન, બૌદ્ધ, જૈન, પારસી ધર્મના લોકો અહીં આવીને પોતાની પ્રાર્થના કરી શકે છે.અને આ સાતે ધર્મોના ધર્મગુરુઓએ વિધિસર પોતપોતાના ધર્મોના પ્રતિકોની પ્રતિષ્ઠા કરી છે.

મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

સુંદર ક્લાત્મક કોતરણી જે અહિં આવતા દરેક દર્શનાર્થીઓને આકર્ષે છે. તે રાજરાજેશ્વરધામના દિવ્યાયતન મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત પત્થર, શીશુ અને સિમેન્ટના ઉપયોગથી જ બનાવવામાં આવેલા મંદિરમાં ચૈતન્ય સ્વરુપે બિરાજમાન શ્રી લોકેશ્વર બ્રહ્માજી, શ્રી જગદીશ્વર વિષ્ણુજી અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરી ભાવિકો ખૂબ જ ધન્યતા અને નવી શક્તિના સંચારનો અલૌકિક અનુભવ કરે છે.

You Might Also Like

ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય

જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો

ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન

રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ

ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન

TAGGED: Jakhan village, Limbdi, Rajarajeshwar Dham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મલાઈકાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, કારણ અકબંધ
Next Article ‘દેવરા’નું દમદાર ટ્રેલર રિલીઝ: જુનિયર એનટીઆરની જોરદાર એક્શનમાં દેખાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘ઓપરેશન સિંદૂર’ અને સ્વદેશી વસ્તુની થીમ ‘શ્રેષ્ઠ ગણેશ પંડાલ’ સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજ્યમાં ત્રણ મહિનામાં 862 નવી આંગણવાડીના ખાતમુહૂર્ત-લોકાર્પણ
રાજકોટમાં એબીસી મેડિકલ સ્ટાફ ક્વાર્ટર પાસે વિશાળ વરુવૃક્ષ ધરાશાયી
રાજકોટમાં શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ
રિંગ રોડ-2 ફેઝ-5ને 4 માર્ગીય બનાવવા રૂ.186.96 કરોડ મંજુર
લોધિકાના જશવંતપુર ગામ જવાના રસ્તે કોઝવેના પાણીમાં ફસાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ધર્મ

જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?