By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક જૈનકથા અને કથાઓનું કૌવત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > એક જૈનકથા અને કથાઓનું કૌવત
AuthorNaresh Shahધર્મ

એક જૈનકથા અને કથાઓનું કૌવત

Khaskhabar Editor
Last updated: 2021/09/04 at 4:35 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું,
હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ થયો નથી, એ વાસ્તે તેણે મને મરો કહ્યું 

-નરેશ શાહ

શ્રેણિક મહારાજાના રાજગૃહના પવિત્ર ઉપવનમાં આજે નાનકડી ધર્મસભા ભરાઈ હતી. ભગવાન મહાવીરની ઉપસ્થિતિથી વાતાવરણ વધુ દિવ્ય બની ગયું હતું. તેમની આસપાસના વિશિષ્ઠ આસનો ઉપર રાજ દરબારના ગૂણીજનો બિરાજમાન હતા. તરત નજરે ચડતી વ્યક્તિ હતા મહામંત્રી અભયકુમાર. દરબારીઓ સહીત નગરના અનેક પ્રજાજનો તીર્થંકર મહાવીરની ઉપદેશવાણી અને ધર્મઆદેશ સાંભળવા એકઠા થયા હતા ત્યારે જ નગરજનોમાં સામેલ થયેલાં એક વૃદ્ઘ મહારાજા શ્રેણિકનો સામે જોઈને બોલ્યાં : સમ્રાટ, તમે જીવતાં રહો. બધા સ્તબ્ધ. પરંતુ એ ખખડેલ વૃધ્ધે તો હજુ શરૂઆત કરી હતી. તેમણે તીર્થંકર મહાવીર સામે હાથ જોડીને કહ્યું : તમે મરી જાવ

Contents
રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું, હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ થયો નથી, એ વાસ્તે તેણે મને મરો કહ્યું -નરેશ શાહ

ર0ર1ની સાલ હોત તો લોકોએ એ વૃધ્ધનું માથું ભાંગી નાખ્યું હોત પણ એ મહાવીર-કાળ હતો. મહાવીર જેવા પુણ્યાત્માની ઉપસ્થિતિમાં કોઈ અવિવેક કેમ થાય ? તમામ લોકો સમસમીને એ વૃધ્ધને જોઈ રહ્યા હતા. વૃધ્ધે મહામંત્રી અભયકુમાર તરફ જોઈને કહ્યું : મહામંત્રી તમે ઈચ્છો તો જીવો, ઈચ્છો તો મરો
હવે હદ થઈ ગઈ હતી. જો કે જાણે કામ પુરું થયું હોય તેમ સભામાંથી નીકળતાં વૃધ્ધે એક ગરીબ ક્સાઈ જેવી વ્યક્તિની તરફ જોયું અને બોલ્યાં : તમો જીવો પણ નહીં, મરો પણ નહીં

- Advertisement -

એ વૃધ્ધ સભામાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે પ્રજાજનો એ વૃધ્ધને ચસકેલ સ્વભાવનો ગણાવા લાગ્યા તો કોઈએ મહારાજા શ્રેણિક તરફ જોઈને ગુસ્સો વ્યક્ત ર્ક્યો : આ બુઢૃાની ધરપકડ કરીને સજા કરો… રાજા શ્રેણિકે તીર્થંકર મહાવીર સમક્ષ્ા નજર કરી. તેમના ચહેરા પર પરમ શાંતિ હતી, પરમ સત્ય પામી ગયા હોય તેવી શાંતિ. મહારાજાએ પૂરા આદરથી મહાવીરને વૃધ્ધના શબ્દોનો ગૂઢાર્થ સમજાવવા કહ્યું ત્યારે તીર્થંકરે સમજાવ્યું કે, એ વૃધ્ધ નહોતા. દેવ હતા અને તેમના શબ્દો બક્વાશ નહોતાં, પણ તેમાં જીવનનું સત્ય હતું. રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું. હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ા થયો નથી. એ વાસ્તે તેણે મને મરો કહ્યું. મહામંત્રી અભયકુમાર ઈમાનદારીથી, તમારી સુચનાનો અને સુશાસનનો અમલ કરાવી રહ્યાં છે એટલે તેમને અહીં પણ સ્વર્ગ છે, ઉપર પણ તેમને સ્વર્ગ મળવાનું છે. આ કારણે અભયકુમારને તેમણે ઈચ્છો તો જીવો, ઈચ્છો તો મરો કહ્યું…
પણ પેલી વ્યક્તિને તો તેમણે કહ્યું કે જીવો પણ નહીં અને મરો પણ નહીં, આવું કેમ કહ્યું ?

કારણકે એ ગરીબ છે અને ક્સાઈ તેનું કર્મ છે. એ અહીં પણ નર્કને જીવી રહ્યો છે અને મૃત્યુ પછી પણ તેને નર્ક જ મળવાનું છે એટલે તેને જીવવા-મરવાથી કોઈ ફરક પડવાનો નથી તીર્થંકર મહાવીરે પેલાં વૃધ્ધના વેશમાં આવેલાં દેવની વાણીને એનાલાઈઝ કરી ત્યારે આખી ધર્મસભા ચક્તિ થઈ ગઈ. બધા વિચારવા માંડયા કે પેલાં વૃધ્ધ આપણી સામે જોઈને શું બોલ્યાં હોત ?

- Advertisement -

આ બોધકથા જેવી લાગતી જૈન કથા છે. જૈનધર્મ, તેની ફિલસૂફી તેમજ આચારવિચારોએ આખી પૃથ્વીને કોઈકને કોઈક રીતે પ્રભાવિત કરી છે, કારણકે તેની ધરોહર હજારો વરસ જૂની પણ જાનદાર છે. આપણા વેદોમાં જૈન તીર્થંકરોના ઉલ્લેખ છે. ડૉ. રાધાકૃષ્ણને ઈન્ડિયન ફિલોસોફી (વોલ્યુમ : એક, પાનું: ર87) માં લખ્યું છે કે જૈન પરંપરાનો – જૈન ધર્મનો ઉદય ૠષભદેવથી થયો હોવાનો ઉલ્લેખ મળે છે. ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દીમાં જૈનોના પ્રથમ તીર્થંકર ૠષભદેવની પૂજા થતી હોવાના પ્રમાણો મળ્યાં છે (આજે ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ છે ) જૈન ધર્મની વિશિષ્ઠતાઓ, વૈજ્ઞાનિક અભિગમ અને તેની યુનિવર્સલ વેલ્યૂ વિશે તો અવારનવાર અઢળક લખાતું રહ્યું છે પણ જૈનકથાઓએ તીર્થંકરોના આદેશ, ઉપદેશ અને આદર્શ વિચારોના પ્રસાર-પ્રચાર થકી આખી દુનિયાને અનેક રીતે પ્રભાવિત કરી છે. જૈન-આગમોમાં મહારાજ શ્રેણિકના પુત્ર અભયકુમારની બુદ્ઘિચાતુરીથી જે કથાઓ છે તે હરિયાણામાં લોક્સાહિત્યમાં અલગ નામથી પ્રસિદ્ઘ છે. જૈમિની સ્ટૂડિયોએ તેના પરથી એક ફિલ્મ પણ બનાવી હતી. ઈતિહાસના પ્રોફેસર ડૉ. ઓ. પી. જાયસ્વાલનો અભ્યાસ તો એવું કહે છે કે જૈન કથાઓના બોધ તેમજ દાર્શનિક તત્વ એટલા ચોટદાર રહ્યાં છે કે ભારતની બહાર આરબ, ચીન, લંકા, યુરોપ સુધી મૂળરૂપે અથવા તો બદલાયેલાં સ્વરૂપે પહોંચી ગઈ છે. ચોખાના પાંચ દાણાવાળી જૈન કથા થોડા અલગ સ્વરૂપે બાઈબલમાં વાંચવા મળે છે તો આશ્ર્ચર્ય ભલે થાય, પણ અલિફ લૈલાની વાર્તાઓનો મૂળ આધાર પણ જૈન કથાઓ જ રહી છે. અસિફ લૈલામાં એક યુવતી બાદશાહની મલ્લિકા બનીને રોજ એક વાર્તા કહે છે અને એ રીતે પોતાનો જીવ બચાવે છે. જૈન કથામાં કનકમંજરી આ રીતે વાર્તા કહીને પોતાના પતિ-રાજાને છ મહીના સુધી પોતાની પાસે રોકી રાખે છે અને યુદ્ઘને ટાળે છે…

આ લેખની શરૂઆતમાં તમે વાંચી એ પણ એક જૈન કથા જ છે. ધ્રુવકુમારના હિન્દી પુસ્તક જૈનધમ કી કહાનિયાં માં આવી અનેક કથા છે. કથાઓમાં લોકોને આકર્ષવાનું લોહચુંબક હોય છે અને તેના ટવિટ તેમજ અંતમાં એક આવતી ચોટ. જે સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી બોધ પાસઓન કરી આપે છે.

ગમે કે ન ગમે, પણ જૈન કથા હોય કે બોધ કથા, એ કોઈપણ સાધુ-સાધ્વી, બાપુ, બાબા, જોગી, જતિ, મુનિ, પ્રિસ્ટ, મૌલવી, મૌલાના કરતાં વધુ અસરદાર રીતે લોકોને સત્યપ્રેમી, સૌમ્ય અને સાત્વિક બનાવી શક્તી હોય છે. ખાત્રી ન થતી હોય તો મહાવીર સ્વામીની જૈન કથા ફરી વાંચી જાવ. નવા નવા સૂચિતાર્થો તમને પણ મળશે

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગદીશભાઈ, આપની સેવાને સો – સો સલામ
Next Article એકાગ્રતાનો ભંગ કરનાર પરિબળો બહારથી નહીં પણ આપણી ભીતરમાંથી જ આવે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?