ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમા અલગ અલગ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી તા.28/09/2023ના રોજ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા આયોજન કરવામા આવેલ. જેમા આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 1 ખાતે 1950, આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 2 ખાતે 72, આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ ખાતે 443, એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ પાસે ભાવનગર રોડ ખાતે 315, પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ 1570, ન્યારાના પાટીયા પાસે ન્યારારોડ, ખાણમા જામનગર રોડ ખાતે 1722, બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ ખાતે 257 એમ કુલ 6328 ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામા
આવ્યું હતું.
ઉપરોકત સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા સલામતિની દ્રષ્ટીએ દરેક સ્થળે બેરીકેટ લગાવી, 5 (પાંચ) ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોયા, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયરમેન સહિતનો સ્ટાફ સવારે 7 વાગ્યાથી વિસર્જન પુર્ણ ન થયુ ત્યાં સુધી બંદોબસ્તમા રાખવામા આવ્યો. લોકોને તેમના હાથે વિસર્જન ન કરવા દઇ ફાયરના જવાનો દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનની કામગીરી કરવામા આવી હતી.
મનપાના ફાયર વિભાગ દ્વારા 6328 ગણેશની પ્રતિમાનું વિસર્જન
