રાજકોટનાં બાલાજી હનુમાન મંદિરે દાદાનાં દર્શન કરી હજારો ભાવિકો ભાવવિભોર
ખાસ-ખબર સંવાદદાતા
કહેવાય છે કે ઇરછાઓ સઘળી ફળે જેને બાલાજી હનુમાનજી મહારાજના આશીર્વાદ મળે, આ મહાપ્રતાપી બાલાજી દાદા રાજકોટ વાસીઓની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે, ત્યારે આજના પુનમના પવિત્ર દિવસે મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન મુજબ શ્રી બાલાજી હનુમાનજી મહારાજને રાખડીઓનો અને રંગબેરંગી ફુલો સાથે ગુબારાનો દિવ્ય શણગાર કરાયો છે, આ શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આજે હજારો ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. અને સાંજે દાદાની સંધ્યા આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાશે અને આરતીનો અલભ્ય લાભ લેશે, અહીં ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. આજના દાદાના દિવ્ય દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા હતા. સાથે હજારો ભક્તો સોશિયલ મિડિયાના માધ્યમથી દાદાના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે. તમે પણ ઘર બેઠા વ્હોટ્સએપ્પમાં બાલાજી દાદાના ડેઈલી દર્શન મેળવવા માટે 94849 89000 પર જય બાલાજી લખીને મોકલો અને દાદાના ડેઈલી દર્શન તથા લાઈવ આરતી નિહાળો, ઉપરોક્ત તસવીરોમાં મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને રાખડીઓનો અને રંગબેરંગી ફુલો સાથે ગુબારાનો દિવ્ય શણગાર નજરે પડે છે.