ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સ્વ.પુનમબેન સોની સ્વ.અરવિંદભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ.સોની હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ તેમજ વિધુતનગર સિનિયર સિટીઝન દ્વારા સિટી બસ સેવા સરૂ કરવા રજૂઆતને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ અને વેરાવળ એસ.ટી ડેપો મેનેજર દિલીપભાઈ શામળા ટ્રાફિક ઇન્સ્પેકટર ડી.આર.મેસ્વાનિયા દ્વારા શ્રાવણ માસ સુધી સવારે 8 વાગ્યાથી રાત્રે 8 સુધી શહેરી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સ માટે સિટી બસ સેવા કાર્યરત કરી હતી.
આ બસ સેવાનો પ્રારંભ નગર સેવક ઉદયભાઈ શાહ દિનેશભાઈ વેદ લોહાણા મહાજનના યુવા કાર્યકર અનિશ રારછ સોની હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટના વરદ હસ્તે બસ સેવાના ડ્રાઇવર ચેતનસિંહને ફૂલહાર મીઠા મોં કરાવીને સાઈબાબા મંદિરથી શિક્ષક કોલોની, શ્રીપાલ હવેલી, વિધુત નગર, ભવાની ચોક, રેપોન એસ.ટી ટાવર ચોક, રેલ્વે સ્ટેશન પાટણ દરવાજા, ભાલપરા ફાટક, ભીડીયા સર્કલ જી આઈ ડી સી, પાટણ સ્વામી નારાયણ ગૃરુકુલ, વેણશ્વ્ર સોમનાથ સુધીના રૂટ પર હાલ તા 31 જુલાઈ થી શુભ સરૂઆતકરાઈ હતી જેમાં નગર સેવક ઉદયભાઈ શાહ, દીનેશભાઈ વૈધ, યોગેશભાઈ સતીકુવર, અનિષ રાચ્છે નગરજનો અને યાત્રીઓને લાભ લેવા અનુરોધ કરાયો હતો.