સરપંચ અને તલાટી મંત્રી ગ્રામ વિકાસના રથના પૈડાં સમાન: ભૂપતભાઈ બોદર
રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, હોદેદારો અને પંચાયતી રાજ સાથે જોડાયેલા ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા
- Advertisement -
સરપંચો ની ભૂમિકા અને ફરજો,15 મું નાણાંપંચ,ગછકખ,મનરેગા, સ્વચ્છ ભારત મીશન, ઈ-ગ્રામ,ગ્રામ સ્વરાજ પોર્ટલ અંગે માર્ગદર્શન અપાયું
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગ્રામ વિકાસ માટે સરકાર ત્રણ વિભાવનાના આધારે કામ કરી રહી છે. પ્રથમ તો વ્યક્તિગત્ત વિકાસ, બીજું ગામડાઓનો વિકાસ અને ત્રીજું વિસ્તારના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાકીય કામો કરવામાં આવી રહ્યા છે. દેશના આત્મનિર્ભર ભારતની બુનિયાદ ને આગે કદમ તરફ લઈ જશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પટેલના માર્ગદર્શનમાં તાલુકા અને ગામોએ અનેક વિકાસ લક્ષી સીમાચિહ્નો અંકિત કર્યા છે. આ તકે માર્ગદર્શન આપતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવેલ કે આપણે સૌએ ” ગામડું સમૃધ્ધ તો દેશ સમૃધ્ધ ” ની ભાવના સાથે સહુએ સાથે મળી સહીયારો પ્રયાસ કરવાનો છે. જેમાં સરપંચ અને તલાટી ગ્રામ વિકાસના રથના પૈડાં સમાન હોવાથી બંને સાથે મળી કામ કરે તો સરકારી યોજનાઓ નો લાભ મહત્તમ લાભ ગ્રામજનોને મળે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના પંચાયત મંત્રાલય દ્વારા ગત એપ્રિલ મહિનામાં પંચાયત રાજની ત્રણેય ધરી સમાન સરપંચ, તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યઓ માટે દિલ્હી ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખરું ભારત ગામડાઓમાં વસે છે અને ગામડું ભારત નું હાર્દ છે, ત્યારે છેવાડાના ગામડાઓ સુધી રાજકીય સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અંત્યોદય ની ભાવના સાર્થક થાય અને સરકારની તમામ પ્રકારની જન હિતકારી યોજનાઓ નો લાભ છેવાડાના માનવીને મળે અને તેમને સુશાસનનો અનુભવ થાય તે માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિરના પ્રારંભમાં મહાનુભનવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વસાણી તેમજ તાલુકા-જિલ્લા પંચાયતના,પદાધિકારીઓ, સદસ્યઓ, સરપંચો, કલેકટર અરુણ મહેશ બાબુ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, એસ.પી. જયપાલસિંહ રાઠોર, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.