છેલ્લા કેટલાય દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહે ધામા નાખ્યા હતા, ત્યારે રાજકોટ શહેરની હદ સુધી સિંહ પહોંચી જતા લોકોમાં ભય ફેલાયો હતો. છેલ્લા એક મહિનાથી સાવજો રાજકોટ તાલુકામાં હતા, ત્યારબાદ શહેર તરફ વળ્યા હતા. જેને કારણે શહેરીજનોમાં ડરનો માહોલ છવાયો હતો. વનવિભાગની લાંબી મહેનત બાદ સિહની ત્રિપુટીને તેના સ્થાને પહોંચાડવામાં આવી હતી. અને લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. પરંતુ ભય ખતમ થવાનું નામ ન લેતા હવે સિંહ બાદ રાજકોટના કાલાવડ રોડ પર દીપડાએ દેખા દીધી હતી. સિંહ બાદ હવે દીપડો દેખાતા ફરીથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો
સિંહ બાદ હવે રાજકોટના કાલાવડ રોડ પર દીપડાએ દેખા દીધી હતી. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વન્યજીવો હવે શહેર તરફ વળતા લોકોમાં ભયનું વાતાવરણ છવાયું હતું.