સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, કુંવરજીભાઇ બાવળીયા સહિતનાં આગેવાનોએ વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં ઉમટી પાડવા જાહેર જનતાને હાકલ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની યાદીમાં જણાવે છે કે સેવા અને સમર્પણના પર્યાય એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા. 11/10ના રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરવાના છે ત્યારે આ ભવ્યાતિભવ્ય આયોજનને સફળ બનાવવા રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનના ચૂંટાયેલા પદાધિકારીઓ, આગેવાનો, સહકારી સંસ્થાના આગેવાનો, વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે ત્યારે ભારત માતાને પરમ વૈભવના ઉચ્ચ સ્થાને પહોંચાડવાના ધ્યેય સાથે અથાક પરિશ્રમ કરતા ગુજરાતના સપુત એવા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને ચરિતાર્થ કરવા શરૂ કરેલ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રહિતના લીધેલા નિર્ણયો દ્વારા દેશનો સર્વરાગિ વિકાસ થયો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના છેવાડાના માનવીની ચિંતા કરવાના વિચારોને અમલમાં મુકીને માન. નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનધન યોજના, અટલ પેન્શન યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડીયા, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, શ્રમયોગી માન-ધન યોજના, પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા દેશના 80 કરોડ જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે અનાજ, કિસાન સન્માન નિધી યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા જેવી અનેકવિધ યોજનાઓ થકી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, માટે ખરા અર્થમાં ચિંતા કરી છે અને તેમના માટે વિકાસનો નવો રાહ ખોલ્યો છે.
- Advertisement -
કાલે મંગળવારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૌરાષ્ટ્રના સૌથી મોટા કદાવર નેતા અને ખેડુતોના મસિહા સ્વ. વિઠૃલભાઈ રાદડીયાની જન્મભુમિ અને કર્મભુમિ એવી જામકંડોરણા ખાતે જાહેરસભા યોજાનાર હોય આ જાહેરસભામાં સમગ્ર રાજકોટ જિલ્લામાં અંદાજે ર લાખથી વધુ માનવમેદની ઉમટી પડશે. રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને જામકંડોરણા ખાતે ઉમટી પડવા જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ અનુરોધ કરેલ છે.