ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.માણાવદર વિધાનસભા હેઠળ બાટવા વંથલી ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું યોજાય હતી.જેમાં માણાવદર તાલુકાના બાંટવામાં મારુતિ સ્કૂલના 500 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીના 75 પૂર્ણ થતા હોય ત્યારે 75 મીટર લંબાઈના તિરંગા સાથે એક કિમી થી પણ વધુ લાંબી તિરંગા યાત્રા યોજાય હતી. આ તિરંગા યાત્રામાં માણાવદર બાટવાના નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન, રાજકીય અને સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ તિરંગા યાત્રામાં મારુતિ શૈક્ષણિક સંકુલના સંચાલક જીતુભાઈ બોરખતરીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર બાટવા પંથકમાં દેશભક્તિનું એક વાતાવરણ ઊભું થાય માટે વિવિધ ફલોટસ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.માણાવદર વિધાનસભા હેઠળ ખાતે પણ વંથલી ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા સાથે ગુરુકુળમાં કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સહિતનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. તેમજ વંથલીમાં પણ ભવ્ય તિરંગા યાત્રા નિકળી હતી.
માણાવદરનાં બાંટવા અને વંથલીમાં ભવ્ય તિરંગા યાત્રા નિકળી
