By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    11 hours ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    12 hours ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    12 hours ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    1 day ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    10 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    10 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    12 hours ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    1 day ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    12 hours ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    1 day ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    3 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    2 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    6 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લઠ્ઠાકાંડનાં આરોપી અને બેટ દ્વારકા મંદિરનાં ટ્રસ્ટી સમીર પટેલનાં રાજીનામાની માગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > લઠ્ઠાકાંડનાં આરોપી અને બેટ દ્વારકા મંદિરનાં ટ્રસ્ટી સમીર પટેલનાં રાજીનામાની માગ
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાત

લઠ્ઠાકાંડનાં આરોપી અને બેટ દ્વારકા મંદિરનાં ટ્રસ્ટી સમીર પટેલનાં રાજીનામાની માગ

Khaskhabar Editor
Last updated: 2022/08/09 at 6:05 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

રાક્ષસી માનસ ધરાવતાં સમીર પટેલને બેટ દ્વારકા ટ્રસ્ટમાંથી કાઢો

બેટ દ્વારકા મંદિરની અવ્યવસ્થા અંગે બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
લઠ્ઠાકાંડમાં જેમનું નામ સંડોવાયેલું છે તેવા બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીની જોહુકમી અને નાણાકીય ગેરરીતિ તથા બ્રાહ્મણોના અપમાન બદલ અવારનવાર રજૂઆતો છતાંય આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં વધુ એકવાર શ્રી બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિ બેટના અગ્રણીઓ પ્રમુખ અજયભાઈ રાઠોડ, ઉપપ્રમુખ અતુલભાઈ ભટ્ટ, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઠાકર, ટ્રસ્ટી તરૂણભાઈ પાઢ તથા બુધાભા ભાટી દ્વારા દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારીને વિસ્તૃત આવેદન પાઠવી બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલને બરતરફ કરવાની માંગણી કરી છે. લાખો લોકો માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાન બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના બંધારણ નં.દ.મુ.નં. 15/1959 મુજબ ગુન્હાઈન કૃત્યમાં કોઈની સંડોવણી થાય તો જે-તે વ્યક્તિ આપોઆપ મંદિરના ટ્રસ્ટીપદેથી બરતરફ થઈ જાય ત્યારે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ સમીર પટેલનું નામ બરવાળા લઠ્ઠાકાંડમાં સંડોવાયેલું છે, પોલીસ દ્વારા પણ તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે તે જોતાં તેઓ ટ્રસ્ટના બંધારણ મુજબ બરતરફ જ થઈ જાય જે વાતનો સત્વરે અમલ કરવા આવેદનમાં જણાવાયું છે. રજૂઆતમાં એવું પણ જણાવાયું છે કે સમીર પટેલ દ્વારા મહેમાનોની હાજરીમાં ગુગળી બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું હતું. ‘બ્રાહ્મણ લોકો ચોર છે’ તેવા અપમાનજનક શબ્દો જાહેરમાં ઉચ્ચારવામાં આવ્યા હતા, જે બાબતે માફી માંગવાનો પણ સમીર પટેલ ઈન્કાર કરી રહ્યા છે. બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટના ઉપપ્રમુખપદે સમીર પટેલના આગમન બાદ યાત્રાળુઓની હેરાનગતિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ પ્રાચીનત્તમ મંદિરના વિકાસાર્થે મળતી ગ્રાન્ટનો પણ દુરૂપયોગ સમીર પટેલ અને તેના મળતીયાઓ દ્વારા થઈ રહ્યાનું રજૂઆતમાં જણાવાયું છે. બેટ દ્વારકા તિર્થ ભારતભરમાં વિખ્યાત છે. રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા આ સ્થળના વિકાસ માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિના અગ્રણીઓ અજયભાઈ રાઠોડ, અતુલભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ ઠાકર, તરૂણભાઈ પાઢ તથા બુધાભા ભાટીનો સમીર પટેલને હાંકી કાઢવાનો સંકલ્પ

- Advertisement -

બેટ દ્વારકા મંદિરના બંધારણ મુજબ સમીર પટેલ ટ્રસ્ટમાં રહેવાને લાયક નથી

લઠ્ઠાકાંડમાં ચર્ચાયેલાં બે નામ સૌરભ પટેલ અને સમીર પટેલ બેટ દ્વારકા મંદિરના પ્રમુખ અને ઉપ્રમુખ

ઓખા અને બેટ વચ્ચે દરિયાઈ પુલ (સિગ્નેચર પુલ)નું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે યાત્રિકોને વધુ સારી સુવિધા આપવાના બદલે સમીર પટેલના આગમન બાદ પ્રસાદીથી માંડીને ગૌશાળા કે યાત્રિકોના ઉતારામાં પણ મનમાની ચલાવવામાં આવતી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. એવી પણ ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે કે મંદિરના અમૂલ્ય દાગીનાનો ખજાનો 35 વર્ષ પહેલાં પેટીઓ ભરી અમદાવાદ બેન્ક લોકરમાં રાખવામાં આવેલ છે તેનું ઓપરેટિંગ કોણ કરે છે? આ ખજાનો મંદિરના સ્ટ્રોંગ રૂમમાં કેમ રાખવામાં આવતો નથી? જેનો જવાબ સમીર પટેલ પાસે માંગવાની જરૂર છે. આ ઉપરાંત સમીર પટેલના જોડીદાર એવા ઈન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશ બદિયાણી દ્વારા મંદિરની વિવિધ પ્રોપર્ટી પોતાના ટ્રસ્ટ તથા ભાગીદારો મળતિયાઓને ટોકનદરે આપી દેવામાં આવ્યાનું અને આવી પ્રોપર્ટીમાં બાલ મંદિરની જગ્યા, બેટ હનુમાન દાંડીનું મંદિર, નિ:શુલ્ક ભોજનાલય સામેની જગ્યા, પુસ્તકાલયની જગ્યા વગેરેનો સમાવેશ થતો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. અંતમાં સમીર પટેલ એન્ડ કંપનીના પ્રાઈવેટ કંપની જેવા વહિવટમાંથી બેટ દ્વારકા મંદિરને મુક્ત કરાવવા તમામ હિન્દુ સનાતનીઓ તથા સંસ્થાઓને આગળ આવવા અપીલ કરવાની સાથોસાથ જો આ બાબતે દિવસ 30માં યોગ્ય નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચિમકી આપવામાં આવી છે.

બ્રાહ્મણોને ચોર કહેનાર સમીર પટેલ વિરૂદ્ધ પગલાં નહી લેવાતાં બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ
ભગવાન દ્વારીકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકા મંદિરના વિવાદાસ્પદ ટ્રસ્ટી સમીર પટેલ વિરુદ્ધ મંદિરનું સંચાલન કરતા બ્રહ્મસમાજે ગતરોજ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી ઉગ્ર પ્રત્યાધાતો આપ્યા છે. આજથી આશરે ચાર માસ પહેલા બેટ દ્વારકા મંદિરે આવેલા ટ્રસ્ટી સમીર પટેલે બ્રાહ્મણોને ચોર કહેતા મામલો બીચકાયો હતો. પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા સમીર પટેલ વિરૂદ્ધ કોઇ શિક્ષાત્મક પગલા નહી લેતાં, બ્રહ્મ સમાજમાં રોષની લાગણી જન્મી હતી. આજે તમામ બ્રહ્મ સમાજે એકઠા થઈ દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન આપી વ્યથા ઠાલવી માંગણીઓ મુકી હતી.

30 દિવસ પછી બેટ ધર્મરક્ષા સમિતિ દ્વારકા પ્રાંત કચેરીની સામે પ્રતિક ઉપવાસ શરૂ કરશે
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિની માગણી છે કે મંદિરમાં આવતા યાત્રિકો માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી, બેટ દ્વારકાનો અરબો ખરબો રૂપિયાનો મંદિરનો ખજાનો અમદાવાદ બેંકમાં પડેલ છે તેને બેટમાં પરત લાવવો, મંદિરની અવ્યવસ્થાઓ માટે દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ સમીર પટેલ દરેક બાબત માટે દોષિત છે જેની હકાલપટ્ટી કરવી, બેટના પુજારી પરિવાર બ્રાહ્મણો વેપારીઓ અને આવતા યાત્રિકો માટે સમીર પટેલની રાક્ષસીવૃતિ ધર્મને હાની પહોંચાડનારી હોય, જેનું નામ લઠ્ઠાકાંડમાં પણ ચર્ચાય છે તેવા સમીર પટેલને બેટ મંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને ટ્રસ્ટી પદેથી તાત્કાલિક ધોરણે હાકી કાઢવા અને જો સમિતિની આ માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો 30 દિવસ પછી બેટ ધર્મરક્ષા સમિતિ દ્વારકા પ્રાંત કચેરીની સામે પ્રતિક ઉપવાસ શરૂ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

બેટ-દ્વારકા ધર્મરક્ષા સમિતિને કોનું-કોનું સમર્થન?
– બેટ દ્વારકા ગુગળી સમાજ
– બેટ દ્વારકા બ્રહ્મસમાજ
– બેટ દ્વારકા ચેમ્બર ઓફ કોમર્સ
– ઓખા ચેમ્બર ઓફ કોમર્સ
– સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સ
– આરંભડા ચેમ્બર ઓફ કોમર્સ
– સુરજકરાડી ગ્રેઈન મરચન્ટ એસો.

-મીઠાપુર બાલમુકુન્દ ગૌશાળા ટ્રસ્ટ
-સુરજકરાડી માધવ ગૌશાળા ટ્રસ્ટ

-દ્વારકા ગુગળી 505 સમાજ

-દ્વારકા સમસ્ત બ્રહ્મસમાજ

You Might Also Like

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

રામપરાના ખેડૂતો અને ઙજક કંપની વચ્ચેના વિવાદનો સુખદ અંત; વિઘા દીઠ રૂ.2.51 લાખનું વળતર જાહેર

TAGGED: betdwarka, BETDWARKATRUST, Gujarat, samirpatel, SAURABHPATEL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ શિક્ષણ સમિતિમાં થયેલા કૌભાંડ મામલે ભાજપમાં બે જૂથ પડ્યા
Next Article નીતિશ કુમાર મહાગઠબંધનના નેતા ચૂંટાયા, તેજસ્વી યાદવ સાથે રાજ્યપાલને મળીને સોંપ્યો સમર્થન પત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ: રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
દારૂ અને નોનવેજના સેવનના કથિત વિડીયોથી મંદિરની ગરિમા જોખમાઇ
થાનગઢ પંથકના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું ખનન યથાવત
વઢવાણના વસ્તડી ગામે રેતી ચોરીનો ધમધમતો કારોબાર
મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી
પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?