200 સખીમંડળનાં બહેનો હવે વિશ્ર્વભરમાં પ્રોડકટ વેંચી શકશે
જૂનાગઢ ગ્રામ વિકાસ એજન્સી અને ગીર ગૌ જતન સંસ્થાન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. સંસ્થાનાં ઇ-કોમર્સ પોર્ટલ પર હવે જૂનાગઢ જિલ્લાની 58940 બહેનો પોતાની ઉત્પાદીત વસ્તુ મુકી શકશે અને ઇ-કોમર્સ પોર્ટલનાં માધ્યમથી વિશ્ર્વભરમાં વસ્તુનું વેંચાણ કરી શકશે. જૂનાગઢ જિલ્લાની 200 સખી મંડળની બહેનો હાલ જોડાયેલી છે અને પંચગવ્ય આધારીત વસ્તુનું ઇ-કોમર્સ પોર્ટલ પર વેંચાણ કરી રહી છે.
- Advertisement -
ગ્રામીણ અર્થતંત્રને મજબુત બનાવવા ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓનાં જીવનમાં સુધારો આવે અને તેઓ ટકાઉ આજીવિકા મેળવી અને આર્થિક સક્ષમ બને તે માટે રાષ્ટ્રીય આજીવિકા મિશનની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના થકી જૂનાગઢ જિલ્લામાં કુલ 5930 સ્વસહાય જૂથોમાં 58,924 મહિલાનો જોડાયેલા છે. આ મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને વેચાણનું પ્લેટફોર્મ મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ગોંડલની ગીર ગૌ જતન સંસ્થાન સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. આ પ્રકારનાં એમઓયુ રાજયમાં પ્રથમ જૂનાગઢ જિલ્લાએ કર્યા છે. ગોંડલની ગીર ગૌ જતન સંસ્થાન જે છેલ્લા 10 વર્ષથી ભારત અને ભારત બહાર પંચગવ્ય અને ઓર્ગોનિક પ્રોડકટનું ઓનલાઇન વેચાણ કરે છે. આ સંસ્થા મારફત જૂનાગઢ જિલ્લા સ્વસહાય જૂથોને સીધુ માર્કેટ મળી રહે તે માટે ગીર ગૌ જતન સંસ્થાન અને જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લાનાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ગીર ગૌ જતન સંસ્થાનનાં ઇ-કોમર્સ પોર્ટલ પર મુકવામાં આવશે. જેના થકી બહેનોને ભારત અને ભારત બહારથી ઓર્ડર મળશે.વભરમાં પ્રોડકટ વેંચી શકશે.
200 સખીમંડળનાં બહેનો જોડાયા છે: DDO
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે કહ્યું હતું કે, રાજયમાં પ્રથમ વખત સંસ્થા સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ખઘઞ કર્યા છે. સંસ્થાનાં પાર્ટલ પર 200 સખીમંડળનાં બહેનો જોડાયા છે. સખીમંડળનાં બહેનો તેમની વિવિધ પંચગવ્ય આધારીત પ્રોડકટ આ પ્લેટફોર્મનાં માધ્યથી વેચી રહ્યાં છે. ભવિષ્યમાં જેટલી સખીમંડળનાં બહેનો પંચગવ્ય આધારીત વસ્તુઓ બનાવે છે તેને આ પ્લેટ ફોર્મનાં માધ્યથી જોડાશે. હાલ મહિને એક લાખની વસ્તુનોનું વેંચાણ થાય તેવો લક્ષ્યાંક છે.