જૂનાગઢથી કેશોદનું અંતર માત્ર 24 મિનિટમાં પૂર્ણ કરાયું
રવીનનાં મગનભાઇ ગજેરાએ ગઇકાલે લીવર અને કિડનીનું દાન કર્યુ હતું. તેમનાં અંગો ગ્રીન કોરીડોર બનાવી કેશોદથી અમદાવાદ લઇ જવાયા હતાં. આ માટે રસ્તામાં આવેલા બે રેલ્વે ક્રોસીંગ પર સમય ન બગડે એ માટે રાજકોટ-સોમનાથ ટ્રેનને પણ જૂનાગઢ રેલ્વે સ્ટેશને રોકી દેવામાં આવી હતી. મગનભાઇનાં અંગોને લઇને જતી એમ્બ્યુલન્સ જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે આવેલી હોસ્પિટલેથી સાંજે 5 વાગીને 21 મીનીટે રવાના થઇ હતી. અને 24 મીનીટ 12 સેક્ધડમાં જ કેશોદ એરપોર્ટ પર સીધી રનવે પર ઉભેલી 108 એર એમ્બ્યુલન્સ પાસેજ જઇને ઉભી રહી ગઇ હતી.
- Advertisement -
ગ્રીન કોરીડરમાં જૂનાગઢથી કેશોદ સુધી ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 250 જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરાયા હતાં. એટલું નહી ગ્રીન કોરીડોરમાં ચોબારી ફાટક આવતું હોય બે-ચાર મિનિટ ટ્રેન પણ રોકી દેવામાં આવી હતી. આ અદ્ભતુ કામગીરીને લઇ એસપી રવી તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી છે. પોલીસની સરાહનીય કામગીરીને લઇ એસપી અને ડીવાયએસપીને અભિનંદન આપવામાં આવી રહ્યાં છે.