By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UNSCમાં ભારતને મોટી સફળતા, પાકિસ્તાનનો પરાજય થયો, ચીને પણ મૌન સાધ્યું
    23 hours ago
    કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવી એફ-35 ફાઇટર જેટ ક્રેશ થયું
    1 day ago
    ચીનમાં બાળકના જન્મ પર રૂપિયા 1.30 લાખની સહાય: વન ચાઈલ્ડ નીતિએ જન્મદર અડધો કર્યો
    2 days ago
    ‘મેડે-મેડે’, બોઇંગ 787-8, યુએસ ફ્લાઇટનું ટેક ઓફ થયાના થોડા જ સેકન્ડમાં એન્જિન ફેલ થઈ
    2 days ago
    રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી પેસિફિક સુનામીનું એલર્ટ જાહેર: જાપાન, અમેરિકા ભયમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમેરિકાને આપ્યો તેની જ ભાષામાં જવાબ, F-35 ફાઇટર જેટ નહીં ખરીદે ભારત
    18 minutes ago
    સંસદનું ચોમાસુ સત્ર: SIR, PMના જવાબ પર વિપક્ષનો વિરોધ ચાલુ, બંને ગૃહો સ્થગિત કરાયા
    33 minutes ago
    ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર : કુલ 77% વાવણી પૂર્ણ
    19 hours ago
    દિલ્હી-રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર: નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ
    19 hours ago
    BRICSના લીધે ટ્રમ્પે ભારત પર લાદ્યો 25% ટેરિફ
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    19 hours ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    2 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    4 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    6 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    22 hours ago
    ‘અવતાર 3’નું જોરદાર ટ્રેલર રિલીઝ, ફરી એકવાર પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જશે
    2 days ago
    તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર……..જેનિફર મિસ્ત્રીએ પ્રોડક્શન હાઉસની પોલ ખોલી
    2 days ago
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    4 days ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    3 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    4 days ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    4 days ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    7 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    3 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોહનદાસ ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > મોહનદાસ ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા
AuthorBhavy Raval

મોહનદાસ ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 1:15 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

ભારતની આઝાદીનો ઈતિહાસ હોય કે ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ હોય, મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના આ બંને વાત રજૂ કરવી અશક્ય છે. જેમ ભારતની આઝાદીની વાત મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના ન થઈ શકે તેમ ગુજરાતી પત્રકારત્વની વાત પણ મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના ન થઈ શકે. મહાત્મા ગાંધી ન માત્ર ગુજરાતી પરંતુ ભારતીય પત્રકારત્વનું ગૌરવ છે, પત્રકારત્વના પણ મહાત્મા છે. ભારતને આઝાદી અપાવવામાં જેટલું જ યોગદાન મહાત્મા ગાંધીજીનું છે તેટલું જ યોગદાન રાષ્ટ્રીય પત્રકારત્વના વિકાસમાં મહાત્મા ગાંધીજીનું છે. આમ છતાં એક પત્રકારત્વ તરીકે મહાત્મા ગાંધીજીની નોંધ જોઈએ તેટલી લેવાઈ નથી. મહાત્મા ગાંધીજીએ આત્મકથા લેખન, નિબંધ લેખન, અનુવાદન, તત્વચિંતન, પત્રલેખનની સાથે વિવિધ વિષયો પરના લેખો લખીને તેમજ સંપાદક-તંત્રી તરીકે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નોંધનીય અને સવિશેષ ફાળો આપ્યો હતો. એક સફળ રાજનેતા, ધારાશાત્રી ઉપરાંત તેઓ એક સફળ પત્રકાર પણ હતા. સદાયને માટે આધ્યાત્મિક સંતપુરુષ કે રાષ્ટ્રપિતા તરીકે જ નહીં એક સફળ પત્રકાર તરીકે પણ મોહનદાસ ગાંધીનું સ્મરણ કરવું જ રહ્યું.

Contents
પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે!આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં ગાંધીયુગનું પત્રકારત્વ અભ્યાસ અને સંશોધનનો એક વિષય છે. ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતાં જ રહ્યા હતા.  

– ભવ્ય રાવલ 

- Advertisement -

મોહનદાસ ગાંધીએ પ્રથમ વખત અખબાર જોયું ત્યારથી જ તેની શક્તિ-ક્ષમતા પારખી ચૂક્યા હતા. લેખનની તાકાતથી તેઓ ઝડપથી અવગત થઈ ગયા હતા. જે કાર્ય વકીલાતથી ન થઈ શકે એ કાર્ય પત્રકારત્વથી થઈ શકે. પ્રારંભિક તબક્કામાં એક ફ્રીલાન્સર જર્નાલીસ્ટ તરીકે ઈંગ્લેન્ડ હોય, દક્ષિણઆફ્રિકા હોય કે ઈંડિયા.. દેશ-વિદેશનાં પત્રોમાં મોહનદાસ ગાંધીએ લખવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં શાકાહાર, ખાવાની ટેવો, તહેવારો, જીવનચરિત્રો, નારી કલ્યાણ, સાક્ષરતા, નિસર્ગોપચાર, કોમીએકતા, બાળવિવાહ, અસ્પૃશ્યતા, કાંતણ, સ્વદેશી, દારૂબંધી, સત્યાગ્રહ, અહિંસા, સત્ય, રાષ્ટ્રીય ખામીઓ વગેરે વિષય પર મોહનદાસ ગાંધી લેખો લખતા. ભારતમાં આવ્યા બાદ આ વિષયો સાથેસાથે વિવિધ આંદોલનો, ચળવળો ઉપર તેમણે લખવાનું શરૂ કર્યું. અગ્રેજો અને તેમની નીતિઓ વિરુદ્ધ લખ્યું, દેશની સ્વતંત્રતા સાથે પ્રેસની સ્વતંત્રતા વિશે પણ લખ્યું. રાષ્ટ્રીય ચેતનાને જાગ્રત કરવા અને બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ જનમત નિર્માણ કરવા પત્રકારત્વને મુખ્ય માધ્યમ બનાવ્યું. જોતજોતામાં મોહનદાસ ગાંધીના પત્રકારત્વે એક ક્રાંતિ જગાવી દીધી. એવી ક્રાંતિ કે, આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં ગાંધીયુગનું પત્રકારત્વ અભ્યાસ અને સંશોધનનો એક વિષય છે. કેટલીક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓએ આ વિષય પર ખૂબ જ સારું કાર્ય કર્યું છે તેમ છતાં પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે!

રાષ્ટ્રપિતા તરીકે વિશ્વવિખ્યાત મોહનદાસ ગાંધી સૌ પ્રથમ એક કુશળ પત્રકાર હતા. એક એવા કુશળ પત્રકાર જેમણે ગુજરાતી, હિન્દી અને અગ્રેજી ભાષામાં પણ પત્રકારત્વ કર્યું. એક પત્રકારત્વ તરીકેના તમામ ગુણો મોહનદાસ ગાંધીમાં હતા. મોહનદાસ ગાંધી માસ કોમ્યુનિકેશનના માસ્ટર હતા, ન્યૂઝ પેપર્સ માસ કોમ્યુનિકેશનનો જ એક પાર્ટ હતો. એટલે તેમણે સત્ય અને અહિંસા બાદ ત્રીજું હથિયાર અખબારને બનાવ્યું હતું. મોહનદાસ ગાંધીએ પોતાની જીવનમૂડી ખર્ચી અખબારો સંભાળેલા હતા. ખોટમાં ચાલતા અખબારોનું સંચાલન કરીને નકલો વધારી હતી. તંત્રી, સંપાદક અને પત્રકાર તરીકે તેમની ધરપકડ પણ થયેલી, જેલવાસ પણ ભોગવેલો. પ્રેસ સીલ મારવામાં આવેલું.

આમ છતાં તેઓ ક્યારેય નાસીપાસ થયા ન હતા. ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતા જ રહ્યા હતા. ગાડામાં બેઠાબેઠા, દોડતી ટ્રેન કે હાલકડોલક થતા વહાણમાં મુસાફરી કરતા સમયે પણ તેમણે લખ્યું. જમણો હાથ થકી જતો ત્યારે ડાબા હાથથી લખ્યું. પુષ્કળ લખ્યું અને એક સાચા પત્રકાર જેમ સત્યને ઉજાગર કરતું તેમજ સમાજનો આયનો રજૂ કરતું લખાણ લખ્યું. પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે વ્યવસાય ન હતો, પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે આમઆદમીના અંતરઆત્માનો પ્રગટ કરવાનું માધ્યમ હતું. તેઓ મિશનરી પત્રકાર હતા. આવી જ કેટલીક વિશિષ્ટ બાબતોને કારણે જ 20મી સદીનાં આરંભનાં દસક બાદથી લઈ આઝાદી સુધીનો સમયગાળો ગાંધીયુગ પત્રકારત્વનો સુવર્ણકાળ ગણાય છે. આ યુગનાં પત્રકારત્વ પર મોહનદાસ ગાંધીની વિશેષ અસર રહી તેમજ મોહનદાસ ગાંધીના પત્રકારત્વમાંથી પ્રેરણા લઈ આજ, સૌરાષ્ટ્ર ભારતીય ખાદી સમાચાર, ખાદી જગત, ખાદી પત્રકારત, નયી તાલીમ, સબકી બોલી, રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારક, નયા-હિંદ, નશાબંધી સંદેશ, જીવન સાહિત્ય, ગાંધીમાર્ગ જેવા અનેકો પત્રો શરૂ થયા.

- Advertisement -

પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે!

આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં ગાંધીયુગનું પત્રકારત્વ અભ્યાસ અને સંશોધનનો એક વિષય છે. 

ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતાં જ રહ્યા હતા.  

મોહનદાસ ગાંધીના પત્રકારત્વમાંથી પ્રેરણા લઈ આજ, સૌરાષ્ટ્ર ભારતીય ખાદી સમાચાર, ખાદી જગત, ખાદી પત્રકારત, નયી તાલીમ, સબકી બોલી, રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારક, નયા-હિંદ, નશાબંધી સંદેશ, જીવન સાહિત્ય, ગાંધીમાર્ગ જેવા અનેકો પત્રો શરૂ થયા.

આમ છતાં તેઓ ક્યારેય નાસીપાસ થયા ન હતા. ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતા જ રહ્યા હતા. ગાડામાં બેઠાબેઠા, દોડતી ટ્રેન કે હાલકડોલક થતા વહાણમાં મુસાફરી કરતા સમયે પણ તેમણે લખ્યું. જમણો હાથ થાકી જતો ત્યારે ડાબા હાથથી લખ્યું. પુષ્કળ લખ્યું અને એક સાચા પત્રકાર જેમ સત્યને ઉજાગર કરતું તેમજ સમાજનો આયનો રજૂ કરતું લખાણ લખ્યું. પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે વ્યવસાય ન હતો, પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે આમઆદમીના અંતરઆત્માનો પ્રગટ કરવાનું માધ્યમ હતું. તેઓ મિશનરી પત્રકાર હતા. આવી જ કેટલીક વિશિષ્ટ બાબતોને કારણે જ 20મી સદીનાં આરંભનાં દસક બાદથી લઈ આઝાદી સુધીનો સમયગાળો ગાંધીયુગ પત્રકારત્વનો સુવર્ણકાળ ગણાય છે. આ યુગનાં પત્રકારત્વ પર મોહનદાસ ગાંધીની વિશેષ અસર રહી તેમજ મોહનદાસ ગાંધીના પત્રકારત્વમાંથી પ્રેરણા લઈ આજ, સૌરાષ્ટ્ર ભારતીય ખાદી સમાચાર, ખાદી જગત, ખાદી પત્રકારત, નયી તાલીમ, સબકી બોલી, રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારક, નયા-હિંદ, નશાબંધી સંદેશ, જીવન સાહિત્ય, ગાંધીમાર્ગ જેવા અનેકો પત્રો શરૂ થયા.

એક સારા પત્રકાર બનવા માટે અને અખબારમાં લખવા માટે પહેલો નિયમ એ છે કે, સૌ પ્રથમ અખબાર વાંચો, ખૂબ વાંચો. સારા વાંચક બનો. મોહનદાસ ગાંધી દક્ષિણઆફ્રિકામાં હતા ત્યારે આશરે 200 જેટલા સામયિકો વાંચતા! આ સિવાય પણ મોહનદાસ ગાંધીનું વાંચન વિશાળ રહ્યું છે જેની પ્રતીતિ તેમના લેખનમાં પણ જોવા મળે છે. પોતે જે અખબારનું સંચાલન હાથમાં લેતા તેમાં તેઓ ક્યારેય જાહેરાત પ્રસિદ્ધ કરવાના હિતમાં ન હતા, તે તેમના પત્રકારત્વનું સૌથી વિશિષ્ટ પાસું હતું. મોહનદાસ ગાંધીનું કહેવું હતું કે, પત્રને લોકપ્રિય બનાવવા કે તેનું સ્તર ઊંચું લઈ જવા જાહેરખબર છાપવાની જરૂરિયાત નથી, અખબારો માત્ર લવાજમની આવક ઉપર જ નભવા જોઈએ. આ માટે તેઓ છેલ્લાં પાનાં પર હંમેશા સૂચના લખતા કે, લવાજમ અગાઉથી ભરવું અનિવાર્ય છે.

મોહનદાસ ગાંધીનાં પત્રકારત્વનું અન્ય એક મહત્વપૂર્ણ પાસું એ હતું કે, તેમના પત્રકારત્વમાં ક્યાંય સનસનાટીવાળા વિષયો સ્થાન ન હતું. લેખક-પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની લેખનશૈલી સ્પષ્ટ, સરળ અને સુપાચ્ય હતી. તેમનું લખાણ વાંચકોને સ્પર્શતું પણ અને ગમતું પણ. પત્રકારત્વનું વધુ એક મહત્વનું પાસું સિટીઝન જર્નાલીઝમ છે. મોહનદાસ ગાંધી લોકોને પણ કહેતા કે, કોઈપણ જાતનું દુ:ખ આવે તો તેનું વર્ણન તમારી ભાષામાં અતિશયોક્તિ વગર નામ-સરનામાં સાથે લખી મોકલવું. જેથી તેઓ વર્તમાનપત્ર દ્વારા તેને વાચા આપી શકે. લોકપ્રશ્નો અને રાષ્ટ્રની સમસ્યાને ઉજાગર કરતા મોહનદાસ ગાંધીના ઈંડિયન ઓપિનિયન, નવજીવન અને યંગ ઈંડિયા પત્રોએ સ્વાતંત્રતા ચળવળની પ્રેરણા આપી. જેનું પરિણામ એ આવ્યું કે, વિભિન્ન ભાષાઓમાં સ્વતંત્રતાને કેન્દ્રમાં રાખીને સમાચાર-વિચાર પ્રસ્તુત-પ્રગટ કરનારાં અખબારોની સંખ્યા વધતી ગઈ. આમ, અખબારોના માધ્યમથી તેમણે પોતાના વિચારો અને લોકોની વાચાને જનજન સુધી પહોચાડી. તેઓએ સામાન્ય જનજીવનને સ્પર્શતા પ્રત્યેક વિષયો પર પોતાની કલમ ચલાવી પત્રકારીતાના દર્શન કરાવ્યા હતા તેમજ પત્રકારત્વને પણ એક નવી રાહ ચીંધી હતી. મોહનદાસ ગાંધીની પ્રેરણાથી ઘણા સમાચાર પત્રો શરૂ થયેલા.

ભારતમાં 18 વર્ષની વય સુધી એકપણ અખબાર ન વાંચનાર મોહનદાસ ગાંધીએ છ જેટલાં સામયિકોનું તંત્રીપદ સાંભળ્યું છે જેમાં ઈંડિયન ઓપિનિયન, યંગ ઈંડિયા, નવજીવન, હરિજન સેવક અને હરિજન બંધુનો સમાવેશ થાય છે. મોહનદાસ ગાંધીએ ઈંડિયન ઓપિનિયન આશરે 11 વર્ષ, યંગ ઈંડિયા ને નવજીવન આશરે 13 વર્ષ અને હરિજન પત્રો આશરે 15 વર્ષ ચલાવ્યા. તેઓએ હરિજન, હરિજનસેવક અને હરિજનબંધુ વૃત્તપત્રોનું સંપાદન પણ કર્યું હતું. મોહનદાસ ગાંધીએ 1919માં સત્યાગ્રહ નામનું સરકારી નોધણી કરાવ્યા વગર પણ એક સાપ્તાહિક બહાર પડ્યું હતું. આ ઉપરાંત ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે તેમણે વેજીટેરીયન, ઈંડિયા, ટેલીગ્રાફ, ડેલીન્યૂઝ વગેરે જેવા પત્રોમાં પણ લખેલું છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં તેમના લેખો આજે પણ એટલા જ સાંપ્રત છે. તેમણે 40 વર્ષ સુધી લેખનકાર્યું કર્યું. 79 વર્ષ જીવન જીવનાર મોહનદાસ ગાંધીએ લેખક-પત્રકાર તરીકે અંદાજીત પાંત્રીસ હજાર પાનાં એટલે કે બે કરોડ જેટલા શબ્દો લખેલા છે!

વધારો : છાપાવાળાઓ હાલતા ચાલતા રોગચાળા જેવા બની ગયા છે. લોકો માટે છાપા બાઈબલ, કુરાન, અને ગીતાનું સ્થાન લેવા લાગ્યા છે. એક છાપું એવી આગાહી કરે કે હુલ્લડો થવાની તૈયારીમાં છે અને દિલ્હીમાં દુકાનોમાંથી બધી લાઠીઓ અને છરીઓ ઉપડી ગઈ છે. છાપાવાળાનું કામ તો લોકોને બહાદુર બનતા શીખવવાનું છે તેમનામાં ગભરાટ ફેલાવાવનું નથી. – મોહનદાસ ગાંધી (લેખક-પત્રકાર)

You Might Also Like

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

વિઝાનો ઈતિહાસ

બોલો હર હર

તને કેમ માપવો મારા નાથ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટેનિસ મેચમાં વંદો ઊડીને આવ્યો: બોલ ગર્લ વંદો જોઈને ડરી જતા જોવા જેવી થઈ
Next Article પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરરાષ્ટ્રીય

અમેરિકાને આપ્યો તેની જ ભાષામાં જવાબ, F-35 ફાઇટર જેટ નહીં ખરીદે ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
સંસદનું ચોમાસુ સત્ર: SIR, PMના જવાબ પર વિપક્ષનો વિરોધ ચાલુ, બંને ગૃહો સ્થગિત કરાયા
એસ.કે. ચોકના ઠક્કર ગૃહ ઉદ્યોગમાંથી 12 કિલો અને રાજશક્તિ ફરસાણમાંથી 10 કિલો દાઝીયું તેલ મળ્યું, નાશ કરાયો
લોકમેળામાં ગુજરાત પ્રવાસન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર થશે
સબ રજિસ્ટ્રાર કચેરીમાં સરવે પ 30 લાખથી વધુની રકમના દસ્તાવેજની માહિતી એકત્રિત કરાઇ
શીતળા સાતમે બેડીપરા સ્થિત મંદિરે ભક્તોની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વિઝાનો ઈતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?