By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    19 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    21 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    19 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    19 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    19 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    19 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    21 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 days ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી
AuthorBhavy Raval

પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 1:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

પત્રકારત્વ એટલે જર્નાલિઝમ. જર્નાલિઝમ શબ્દ જર્નલ પરથી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ છે : દૈનિક – રોજનીશી. પ્રસિદ્ધ થતા સમાચારોના સંપાદન, લેખન અને તે સાથે સંકળાયેલા કાર્યોનો પત્રકારત્વની પરિધિમાં સમાવેશ કરી શકાય. 17મી અને 18મી સદીમાં પીરિયાડિકલ – નિયતકાલીનના સ્થાન પર લેટિન શબ્દ ડિયૂનરલ અને જર્નલ શબ્દોનો પ્રયોગ પ્રારંભ થયો હતો, ત્યારબાદ 20મી સદીમાં જર્નાલિઝમ શબ્દનો પ્રયોગ શરૂ થયો.

– ભવ્ય રાવલ

- Advertisement -

અન્ય એક સંદર્ભ અનુસાર જર્નાલિઝમ શબ્દ ફ્રેન્ચ ભાષાના શબ્દ જર્ની પરથી ઉદ્દભવ્યો છે. હિન્દીની જેમ ગુજરાતીમાં પત્રકારત્વનો અર્થ આ રીતે કહી શકાય – પત્રથી પત્રકાર અને પછી પત્રકારત્વ. એટલે કે લેખન, સંપાદન, પ્રકાશન અને પ્રસારણ કે પ્રસ્તુતિકરણ દ્વારા થતી માહિતીની આપ-લે એટલે પત્રકારત્વ અથવા વૃત વિવેચન. જેવી રીતે જ્ઞાન પ્રત્યેની ઉત્કંઠા, મનન-ચિંતન અને અભિવ્યક્તિની આકાંક્ષાએ ચિત્રો, અક્ષરો તથા શબ્દોને જન્મ આપ્યો તેવી જ રીતે એ ચિત્રો, અક્ષરો તથા શબ્દોએ જોતજોતામાં પત્રકારત્વનું રૂપ ધારણ કર્યું. પત્રકારત્વ પ્રત્યાયન પણ છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. પત્રકારત્વનાં મૂળમાં માહિતી કે જાણકારીનું આદાન-પ્રદાન છે. પત્રકારત્વ પાંચ હજાર વર્ષથી પણ વધુ પુરાણું છે. આદિમાનવકાળ જેટલું ઐતિહાસિક છે. માનવ જીજ્ઞાસા અને રસની વૃત્તિ પાછળ પત્રકારત્વના ઉદ્દભવ અને વિકાસની કથા છે. પત્રકારત્વ પાંચમો વેદ છે. ઉતાવળે લખાતું સાહિત્ય છે. પત્રકારત્વ સંસ્કૃતિ, સભ્યતા અને સ્વતંત્રતાનો અગ્રદૂત છે. દીર્ઘદ્રષ્ટિ પ્રદાન કરનાર છે. એ કળા છે. એ જનસેવા છે. જનતા – જનપ્રતિનિધિ વચ્ચેનો સેતુ છે. પ્રજા અને પ્રશાસનને જોડતી કડી છે. પત્રકારત્વનો મૂળ ઉદ્દેશ્ય સૂચના, શિક્ષણ અને મનોરંજન છે. સત્યમ, શિવમ અને સુંદરમની અભિવ્યક્તિ છે.

પત્રકારત્વનો અર્થ ચોક્કસ વ્યાખ્યામાં રજૂ કરવો અશક્ય છે. આજે પત્રકારત્વના માધ્યમો અખબાર અને પત્રિકાઓ પૂરતા સીમિત ન રહેતા રેડિયો, ટેલિવિઝન, વેબસાઈટ, સોશિયલ મીડિયા વગેરે સુધી વિસ્તરી ગયા છે. દુનિયાભરની માહિતી હોવા છતાં આજે પણ ઘણા એકબીજાને મળે એટલે પૂછે છે શું છે નવીનમાં? શું ખબર? છે કઈ સમાચાર?
સમાચાર એટલે ન્યૂઝ. અર્થાત એક અન્ય રીતે જોઈએ તો ગઊઠજ શબ્દોમાં ગ નોર્થ, ઊ ઈસ્ટ, ઠ વેસ્ટ, જ સાઉથ. સમાચારનો મતલબ છે ચારેય દિશામાં બનતી ઘટનાઓની સૂચના. ચારેય દિશામાં થનારી ઘટનાઓ સમાચાર છે. આમ, સમાચાર એટલે સૂચનાઓ ભેગી કરવી, તેને યોગ્ય રીતે બનાવવી અને રજૂ કરવી. અંગ્રેજી શબ્દ ન્યૂઝમાં ન્યૂ બહુવચન સ્વરૂપે જોઈએ તો તેનો અર્થ નવું થાય છે. એ જ રીતે સમાચાર શબ્દમાં સમ અને આચાર શબ્દથી તેનો અર્થ સમજી શકાય. સમનો અર્થ સમાન અને આચારનો અર્થ આચરણ થાય, જે વ્યવહાર સાથે જોડાયેલું છે. એટલે કે પક્ષપાતરહિત – તટસ્થ આચરણ. સમાચારનું મુખ્ય લક્ષણ છે તે નવીનતાસભર અને ન્યાયપૂર્ણ હોવા જોઈએ. જેવી રીતે અખબારમાં છપાયેલી સંપૂર્ણ સામગ્રી સમાચાર નથી તેવી રીતે પ્રત્યેક ઘટના પણ સમાચાર નથી. જેમાં મહત્તમ લોકોની રસરુચી જોડાયેલી હોય એ જ ઘટના સમાચાર બને છે, જેના મૂળમાં સૂચના અને માહિતી છે.

કોઈપણ માહિતી કે જાણકારીને સમાચાર ન કહી શકાય. સમાચારનું ચોક્કસ સ્વરૂપ હોય છે, સમાચારમાં છ તત્વોનો સમાવેશ અનિવાર્ય છે. શું, ક્યાં, કોણ, ક્યારે, કેમ, કેવી રીતે અંગ્રેજીમાં જેને ફાઈવ ડબ્લ્યુ અને વન એચ કહે છે. હુ, વ્હોટ, વ્હેન, વ્હાઈ, વ્હેર અને હાઉ. સમાજ જેટલો વધુ લોકતાંત્રિક તેટલી વધુ ખબરો. અને હા, આ ખબર શબ્દ પરથી અખબાર શબ્દ આવ્યો છે.

- Advertisement -

અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના શબ્દ ખબર શબ્દનું બહુવચન છે, ઈરાનની રાષ્ટ્રભાષા ફારસી છે અને ત્યાં અખબાર માટે ‘ખબર-નામ’ શબ્દ વપરાય છે. ખબર એટલે સમાચાર, બાતમી અથવા સંદેશો. પ્રચલિત અર્થમાં અખબાર એટલે છાપેલા સમાચાર અને તેનું પ્રકાશન. કાગળ પર સમાચાર છાપેલા હોવાથી તેને ગુજરાતીમાં છાપું કહેવાય છે. સમાચાર અથવા ખબરને વર્તમાન કહેવાય છે તેથી છાપેલા સમાચારને વર્તમાનપત્ર કહેવામાં આવે છે. તેમાં સમાચારો હોય છે એટલે તેને સમાચારપત્ર પણ કહેવાય છે, અંગ્રેજીમાં જેને ન્યૂઝપેપર કહે છે. અખબારોનું એક વર્ગીકરણ પ્રકાશનના સમયગાળા પ્રમાણે થાય છે. તેથી અખબારને સામયિક કહે છે. તે પ્રમાણે ચોવીસ કલાકમાં એક વખત પ્રગટ થતા અખબારને દૈનિક, અઠવાડિયામાં બે વખત પ્રગટ થનારને અર્ધસાપ્તાહિક કહેવામાં આવે છે. અને એ રીતે પછી સમયને અનુલક્ષીને સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક તથા વાર્ષિક એમ અખબારોનું વર્ગીકરણ પ્રકાશનના સમયગાળા મુજબ થાય છે. પહેલાના સમયમાં શિલાલેખો, ભૂર્જપત્રો, તાડપત્રો, પર લખાણો લખવાની પદ્ધતિ પ્રચલિત હતી, પછી કાપડ અને કાગળની શોધ થયા બાદ તેના પર લખાયું અને હવે તો ડિજીટલ ફોરમેટમાં પણ લખી શકાય છે. જોકે આ બધું જ લખનાર કે અખબારમાં બધા જ લખનાર પત્રકાર નથી.

પત્રકાર એટલે જર્નાલિસ્ટ. આ શબ્દ પત્રકારત્વ અને જર્નાલિઝમ પરથી જ આવ્યા છે. સત્યનો પહરી એટલે પત્રકાર એવું કહી શકાય. પત્રકાર એટલે સમાજનો પહેરેદાર. પત્રકાર એટલે ન્યાયને રક્ષક. શિક્ષકોનો પણ શિક્ષક, વકીલોનો પણ વકીલ અને ડોક્ટરોનો પણ ડોક્ટર. પત્રકારોને દ્વાપરયુગના નારદ અને મહાભારતકાળના સંજય તથા કળિયુગના આચાર્ય, ચારણ, બારોટ પણ કહેવાયા છે. વિદ્વાનોથી લઈ સામાન્ય વ્યક્તિઓએ પત્રકારની અલગઅલગ અર્થ, વ્યાખ્યા અને સમજૂતી ગોતી કાઢ્યા છે. સમાચારો મોકલનાર અને આપનાર સંવાદદાતા કહેવાય છે. ખબરપત્રી પણ કહેવાય છે. એક સમયે તેઓ વાક્ય નવીસ, ખૂફિયા નવીસ, ખેપિયા અને ગુપ્તચર પણ કહેવાતા. જે સમાચાર બનાવે છે, જે સમાચારના સંસ્થા સાથે સંલગ્ન છે અને એથી પણ આગળ હવે જેની પાસે પત્રકારત્વના શિક્ષણની ડિગ્રી છે, જે પત્રકારત્વનો વ્યવસાય કરે છે તે પત્રકાર છે એવું સીધી સરળ ભાષામાં કહી શકાય. લખી, બોલી, ફોટો પાડી કે ચિત્ર દોરી કે પછી હાવભાવ દ્વારા સૂચના એટલે કે સમાચારની આપ-લે કરનાર તંત્રી, સંપાદક, ફોટોગ્રાફર, કેમેરામેન, કાર્ટૂનિસ્ટ પણ પત્રકાર કહી શકાય. પ્રેસ સાથે જોડાયેલ પ્રેસમેન અને મીડિયા સાથે જોડાયેલ મીડિયામેન છે, જર્નાલિસ્ટ છે. એકલી અખબાર સાથે જોડાયેલી વ્યક્તિ જ પત્રકાર ન કહી શકાય. પ્રિન્ટ ઉપરાંત ડિજીટલ મીડિયા સાથે જોડાયેલી વ્યક્તિ પણ પત્રકાર છે. કોઈ ટીવીમાં ન્યૂઝ એન્કર છે કે કોઈ ન્યૂઝ વેબસાઈટ સાથે જોડાયેલું છે કે કોઈ રેડિયો-દૂરદર્શન અથવા ખાનગી ચેનલના સમાચાર વિભાગ સાથે સંકળાયેલું છે એ બધા જ પત્રકાર કહી શકાય. પત્રકારનો અર્થ અને વ્યાખ્યા બહુ વ્યાપક છે, બહુ આયામી છે. તેને સારાંશમાં કહી ન શકાય કે સુંકુચિતતાથી જોઈ ન શકાય. પત્રકારએ પત્રકારત્વનો આત્મા છે, સમાચારના આંખ, મોઢું અને નાક પત્રકાર છે. સમાચાર જેમાં પ્રસિદ્ધ-પ્રસ્તુત થાય છે એ પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા સમાજનું દર્પણ છે. અને પત્રકારત્વ શું છે? પત્રકારત્વ ચોથી જાગીર છે.

વધારો : પત્રકારત્વને ચોથી જાગીર પણ કહેવામાં આવે છે. અંગ્રેજી શબ્દ ફોર્થ એસ્ટેટ બહુ જૂનો અને જાણીતો છે. બ્રિટિશ સંસદમાં એકવાર કોઈ મહત્વના મુદ્દાની ચર્ચા દરમિયાન એડમન્ડ બર્કનું ધ્યાન એકાએક પ્રેસ ગેલેરીમાં બેઠેલા પત્રકાર પર પડ્યું. એ એમની સામે જોઈ બોલી ઉઠ્યા, સંસદમાં આપણી પાસે ત્રણ જાગીર છે, પણ ત્યાં સામે ચોથી જાગીર બેઠેલી છે જે આ ત્રણેય જાગીરથી વધુ મહત્વની છે. અને બસ પછી તો પત્રકારત્વ ચોથી જાગીર તરીકે ઓળખાવવા લાગ્યું. લોકશાહીના આધારસ્તંભો પૈકીના એક આધારસ્તંભ તરીકે તેની ગણના થવા લાગી. સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર લોકશાહીની પ્રથમ ત્રણ જાગીર છે તો પત્રકારત્વ ચોથી જાગીર છે.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોહનદાસ ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા
Next Article ઘણા લોકો અંધારી રાતના ચમકતા સિતારા જેવાં…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?