By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    5 hours ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    7 hours ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    8 hours ago
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    1 day ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
    5 hours ago
    જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
    5 hours ago
    દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે, આરોગ્ય કટોકટી : એઈમ્સ
    5 hours ago
    રાજસ્થાનમાં કોલ્ડવેવ, 16 શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે
    6 hours ago
    આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી હિડમા બાદ વધુ 7 નક્સલી ઠાર મરાયા
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 day ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    7 hours ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    1 day ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો
AuthorKinnar Acharya

ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 11:14 AM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

રામનવમી હજુ હમણાં જ ગઈ. બેશક, લેખ લખવામાં થોડાં મોડા છીએ. પરંતુ રામ અને રામાયણ એવા રસપ્રદ વિષય છે કે કોઈપણ સ્થળ-કાળમાં તેની વાત થઈ શકે. હમણાં અચાનક જ હાથમાં એક રસપ્રદ હિન્દી પુસ્તક આવી ગયું.

– કિન્નર આચાર્ય 

તેમાં રામાયણને લગતી અલગ-અલગ હજારેક જેટલી રોચક માહિતી છે. આપણે તેમાંથી કદાચ પચાસ-સો વાતોથી પરિચિત હોઈશું, પરંતુ નેવું ટકા વાતો તો અત્યંત ઓછી જાણીતી અને રસપ્રદ છે. કોઈ પ્રકરણ નામો વિશે છે તો કોઈ આંકડાઓ અંગે તો કોઈ સંબંધો અંગે છે. ‘1000 રામાયણ પ્રશ્ર્નોત્તરી’ નામનાં આ પુસ્તકમાં લેખક રાજેન્દ્ર પ્રતાપસિંહ છે. તેમને થેન્કસ કહીને પુસ્તકમાંની માહિતી વિશે વાત કરીએ.

Contents
રામનવમી હજુ હમણાં જ ગઈ. બેશક, લેખ લખવામાં થોડાં મોડા છીએ. પરંતુ રામ અને રામાયણ એવા રસપ્રદ વિષય છે કે કોઈપણ સ્થળ-કાળમાં તેની વાત થઈ શકે. હમણાં અચાનક જ હાથમાં એક રસપ્રદ હિન્દી પુસ્તક આવી ગયું.– કિન્નર આચાર્ય 

પ્રથમ પ્રકરણ છે, નામ વિશે. રાવણે સિતાનું હરણ જેમાં કર્યું એ વિમાનનું નામ પુષ્પક હતું- એ બધાને ખ્યાલ છે. પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે, લક્ષ્મણ જ્યારે મૂર્છીત થઈ ગયા ત્યારે લંકાના જે વિખ્યાત વૈદ્યને હનુમાનજી ઉઠાવી લાવ્યા હતા, તેનું નામ શું હતું? એમનું નામ હતું : સુષેણ. અચ્છા, રાજા જનકનું સાચું નામ શું હતું? જવાબ છે: સિરધ્વજ. સવાલો અનેક છે: એ ગુપ્તચરનું નામ શું હતું- જેનાં કહેવાથી રામે સિતાનો ત્યાગ કર્યો હતો? એનું નામ: દુર્મુખ. શ્રીરામે જે તીર્થમાં ડૂબકી લગાવી મહાપ્રયાણ કર્યું એનું નામ હતું, ગોપ્રતાર. મહર્ષિ વિશ્ર્વામિત્ર ઋષિ બન્યા એ પહેલાં વિશ્ર્વરથ નામે ઓળખાતાં. વાલી અને સુગ્રિવનાં પિતાનું નામ: ઋક્ષરાજ. રાજા જનકનાં પુરોહિતનું નામ હતું, શતાનંદ.

- Advertisement -

હવે થોડો કપરો પ્રશ્ર્ન : શ્રીરામે જે વૃક્ષની આડશ લઈને વાલીનો વધ કર્યો હતો, એ વૃક્ષ કયુ? જવાબ છે: સાલ વૃક્ષ. રાજા જનકનાં નાના ભાઈનું નામ શું હતું? ઉત્તર છે, કુશધ્વજ. સમુદ્ર મંથનમાંથી જે અશ્ર્વ નીકળ્યો હતો તેનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેનું નામ ઉચ્ચૈશ્રવા. અશોક વાટિકામાં સિતાને રખાયા હતા એ પણ આપણને બધાને ખ્યાલ છે પરંતુ આ ઉદ્યાનનું બીજું એક નામ પણ હતું, ખ્યાલ છે? એ નામ એટલ: પ્રમદાવન.

મહર્ષિ વાલ્મિકીનું નાનપણનું નામ રત્નાકર હતું. લંકા દહન કર્યા બાદ હનુમાનજી જે પર્વત પર ચડીને સમુદ્ર ઓળંગીને આવ્યા હતા તેનું નામ હતું: અરિષ્ટ. વશિષ્ટ ઋષિની ગાયનું નામ હતું, સુરભી. કુબેરનો સેનાપતિ કોણ હતો? એ હતો- મણિભદ્ર. વિભિષણના એક દાસે પક્ષીનું રૂપ ધારણ કરીને લંકાની સૈન્યશક્તિની માહિતી મેળવી હતી. એ દાસ એટલે, અનલ. રાવણનું નામ પૂર્વજન્મમાં પ્રતાપભાનુ હતું. સમુદ્ર મંથનમાંથી જે મણી પ્રાપ્ત થયો તેનું નામ છે, કૌસ્તુભ. કુબેરના હાથીનું નામ: હિમપાંડુ. યમનાં હાથીનું નામ, મહાપદ્મ. વરૂણ દેવતાનાં હાથીનું નામ: સૌમનસ.

શ્રીરામે અશ્ર્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એ જાણીતી વાત છે. પણ આ યજ્ઞનાં અશ્ર્વનાં મસ્તક પર જે પત્ર બાંધવામાં આવતો- તેનું નામ શું? તેનાં માટેનો ખાસ શબ્દ છે: જયપત્ર.

- Advertisement -

રામાયણમાં યુદ્ધનાં અનેક વર્ણનો છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે, શત્રુ દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રને નાકામ કરવાની વિધિનું નામ શું છે? એ છે: રભસ. અલગ પ્રકારનો પ્રશ્ર્ન : એ રાક્ષસનું નામ શું હતું, જેણે સિતાની હત્યા ન કરવા રાવણને સમજાવ્યો હતો? જવાબ છે: સુપાર્શ્ર્વ. રામાયણનો સૌથી નાનો કાંડ છે, અરણ્યકાંડ અને સૌથી મોટો યુદ્ધકાંડ. રાવણે સુગ્રિવ પાસે મોકલેલા દૂતનું નામ હતું, શુક. ગેરૂ સમાન લાલ વર્ણ ધરાવતા વાનર સેનાપતિનું નામ હતું, ગવય. ચાંદી જેવા ચળકતા વર્ણવાળા વાનર સેનાપતિનું નામ હતું, શ્ર્વેત. સગ્રિવના મંત્રીનું નામ હતું, પ્રભાવ. રામાયણમાં જે નગરીનું નામ લવપુર છે, એ જ હાલનું લાહૌર. રામાયણમાં મધુપુરી તરીકે જેનું વર્ણન છે- એ આજનું મથુરા. ઈન્દ્રનાં ઉદ્યાનનું નામ: નંદન. ઈન્દ્રનાં સારથિનું નામ: માતલી.

અચ્છા, રાવણ તો પરમ શિવભક્ત હતો- પરંતુ મેઘનાદ જે દેવીની પૂજા કરતો હતો, એ દેવી એટલે: નિકુંભિલા. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. ત્યારે તેમનું નામ હતું : પુંજિકસ્થલા. લક્ષ્મણની મૂર્ચ્છા દૂર કરવા હનુમાનજી સંજીવની બુટી લેવા ગયા અને આખો પર્વત ઉઠાવી લાવ્યા. એ પર્વત એટલે દ્રોણગિરિ. મંથરાનું એક નામ કુબ્જા પણ હતું. લંકામાં રાક્ષસોનાં કુળદેવતાનું સ્થાનક હતું, એ ચૈત્ય પ્રાસાદ તરીકે ઓળખાતું હતું. વનવાસમાં ગયેલા રામ-સિતાને પરત અયોધ્યા લાવવા ભરત જે નૌકામાં ગયા તેનું નામ હતું- સ્વસ્તિક. આજની બિયાસ નદી એટલે રામાયણ કાળની વિપાશા નદી. ઉત્તર કુરૂ પ્રદેશમાં કુબેરનું એક અદ્વિતિય ઉદ્યાન હતું. નામ: ચિત્રરથ.

રાવણનાં શૌર્યની આપણે બહુ કથાઓ સાંભળી- વાંચી છે. પરંતુ સહસ્ત્રાર્જુને તેને હરાવી- બંદી બનાવીને જેલમાં ધકેલી દીધો હતો. બાદમાં રાવણનાં પિતાએ ખૂબ વિનંતી કરી તેથી તેને મુક્ત કર્યો. વાલીએ પણ છ-છ મહિના સુધી રાવણને પોતાની બગલમાં દબાવી રાખ્યો હતો. રાવણની તપશ્ર્ચર્યા વિશે તો આપણે ઘણું વાંચ્યું છે, પરંતુ શું એ ખ્યાલ છે કે વિભિષણે પાંચ હજાર વર્ષ સુધી એક પગ પર ઉભા કરીને તપ કર્યું હતું? શ્રીરામનાં રાજ્યાભિષેક માટે પાંચસો નદીઓનું જળ કોણ લાવ્યું હતું? જવાબ: જાંબુવંત. એક ઋષિ એવા પણ હતા જે ભયંકર ગુસ્સામાં આવી ગંગાનું સમસ્ત જળ પી ગયા હતા. નામ: જહનું. રાજકુમાર પુરુએ પોતાનાં પિતાની આજ્ઞાથી પિતાનું વૃદ્ધત્વ ગ્રહણ કરીને પોતાનું યૌવન પિતાને આપી દીધું હતું. તમને ખ્યાલ છે, રાવણે સ્વયં યમરાજ સામે પણ યુદ્ધ કર્યું હતું! રામ-લક્ષ્મણે રાક્ષસ વિરાધનો વધ કરીને જમીનમાં દાટી દીધો હતો.

અયોધ્યાનાં એ ક્યા પ્રતાપી રાજા હતા- જેમનાં પુત્રોએ પૃથ્વી વિંધી નાંખી હતી? એ રાજા એટલે- સગર. રામાયણમાં એક પાત્ર એવું પણ છે- જેણે શિરનાં જોરે તપસ્યા કરી હતી. એ પાત્ર એટલે શંબુક. એ કોણ હતો જેણે સોળ હજાર સ્ત્રીઓને બંદી બનાવીને રાખી હતી અને એક લાખ સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો? એ હતો દુંદુભી. રાવણ અને યમરાજ વચ્ચેનાં યુદ્ધની વાત તો આપણ કરી. પણ વધુ એક વિગત એ છે કે, રાવણનાં ડરથી તેણે કાગડાંનું રૂપ ધારણ કરી લીધું હતું. એક પાત્ર એટલે અતિરથિ. એ દસ હજાર મહારથિઓ સામે એકલાં હાથે યુદ્ધ કરવા સમર્થ હતો. અને હા…. પેલા રાજકુમાર પુરુએ પોતાનું યૌવન પિતાને આપ્યું હતું- એ પિતા એટલે યયાતિ! ક્રમશ:

રાવણ તો પરમ શિવભક્ત હતો- પરંતુ મેઘનાદ જે દેવીની પૂજા કરતો હતો, એ દેવી એટલે: નિકુંભિલા. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચક્રવર્તી સમ્રાટ અશોક અને વૈજ્ઞાનિક ધર્મનું સંવર્ધન!
Next Article “વિચારોથી વિશ્વ બદલાઇ જાય”

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બાળકોને ઠંડીથી બચાવવા બ્રાન્ડી આપતા હો તો ચેતી જ્જો…

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી પરીક્ષા આપશે, 2753 બ્લોકમાં બેઠક વ્યવસ્થા
જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
હવે 7 ડિસેમ્બરે રાજકોટવાસીઓ સૂર્યકિરણ ટીમનો એર શૉ માણશે
જઝ ડેપોમાં ઈઈઝટ કેમેરાની માંગ: ‘અઅઙ’ કાર્યકરોએ સુવિધાઓ વધારવા વીડિયો વાયરલ કરી માંગ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?