By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    4 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    5 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 hours ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 hours ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 hours ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    4 hours ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    7 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો
AuthorKinnar Acharya

ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 11:14 AM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

રામનવમી હજુ હમણાં જ ગઈ. બેશક, લેખ લખવામાં થોડાં મોડા છીએ. પરંતુ રામ અને રામાયણ એવા રસપ્રદ વિષય છે કે કોઈપણ સ્થળ-કાળમાં તેની વાત થઈ શકે. હમણાં અચાનક જ હાથમાં એક રસપ્રદ હિન્દી પુસ્તક આવી ગયું.

– કિન્નર આચાર્ય 

તેમાં રામાયણને લગતી અલગ-અલગ હજારેક જેટલી રોચક માહિતી છે. આપણે તેમાંથી કદાચ પચાસ-સો વાતોથી પરિચિત હોઈશું, પરંતુ નેવું ટકા વાતો તો અત્યંત ઓછી જાણીતી અને રસપ્રદ છે. કોઈ પ્રકરણ નામો વિશે છે તો કોઈ આંકડાઓ અંગે તો કોઈ સંબંધો અંગે છે. ‘1000 રામાયણ પ્રશ્ર્નોત્તરી’ નામનાં આ પુસ્તકમાં લેખક રાજેન્દ્ર પ્રતાપસિંહ છે. તેમને થેન્કસ કહીને પુસ્તકમાંની માહિતી વિશે વાત કરીએ.

Contents
રામનવમી હજુ હમણાં જ ગઈ. બેશક, લેખ લખવામાં થોડાં મોડા છીએ. પરંતુ રામ અને રામાયણ એવા રસપ્રદ વિષય છે કે કોઈપણ સ્થળ-કાળમાં તેની વાત થઈ શકે. હમણાં અચાનક જ હાથમાં એક રસપ્રદ હિન્દી પુસ્તક આવી ગયું.– કિન્નર આચાર્ય 

પ્રથમ પ્રકરણ છે, નામ વિશે. રાવણે સિતાનું હરણ જેમાં કર્યું એ વિમાનનું નામ પુષ્પક હતું- એ બધાને ખ્યાલ છે. પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે, લક્ષ્મણ જ્યારે મૂર્છીત થઈ ગયા ત્યારે લંકાના જે વિખ્યાત વૈદ્યને હનુમાનજી ઉઠાવી લાવ્યા હતા, તેનું નામ શું હતું? એમનું નામ હતું : સુષેણ. અચ્છા, રાજા જનકનું સાચું નામ શું હતું? જવાબ છે: સિરધ્વજ. સવાલો અનેક છે: એ ગુપ્તચરનું નામ શું હતું- જેનાં કહેવાથી રામે સિતાનો ત્યાગ કર્યો હતો? એનું નામ: દુર્મુખ. શ્રીરામે જે તીર્થમાં ડૂબકી લગાવી મહાપ્રયાણ કર્યું એનું નામ હતું, ગોપ્રતાર. મહર્ષિ વિશ્ર્વામિત્ર ઋષિ બન્યા એ પહેલાં વિશ્ર્વરથ નામે ઓળખાતાં. વાલી અને સુગ્રિવનાં પિતાનું નામ: ઋક્ષરાજ. રાજા જનકનાં પુરોહિતનું નામ હતું, શતાનંદ.

- Advertisement -

હવે થોડો કપરો પ્રશ્ર્ન : શ્રીરામે જે વૃક્ષની આડશ લઈને વાલીનો વધ કર્યો હતો, એ વૃક્ષ કયુ? જવાબ છે: સાલ વૃક્ષ. રાજા જનકનાં નાના ભાઈનું નામ શું હતું? ઉત્તર છે, કુશધ્વજ. સમુદ્ર મંથનમાંથી જે અશ્ર્વ નીકળ્યો હતો તેનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેનું નામ ઉચ્ચૈશ્રવા. અશોક વાટિકામાં સિતાને રખાયા હતા એ પણ આપણને બધાને ખ્યાલ છે પરંતુ આ ઉદ્યાનનું બીજું એક નામ પણ હતું, ખ્યાલ છે? એ નામ એટલ: પ્રમદાવન.

મહર્ષિ વાલ્મિકીનું નાનપણનું નામ રત્નાકર હતું. લંકા દહન કર્યા બાદ હનુમાનજી જે પર્વત પર ચડીને સમુદ્ર ઓળંગીને આવ્યા હતા તેનું નામ હતું: અરિષ્ટ. વશિષ્ટ ઋષિની ગાયનું નામ હતું, સુરભી. કુબેરનો સેનાપતિ કોણ હતો? એ હતો- મણિભદ્ર. વિભિષણના એક દાસે પક્ષીનું રૂપ ધારણ કરીને લંકાની સૈન્યશક્તિની માહિતી મેળવી હતી. એ દાસ એટલે, અનલ. રાવણનું નામ પૂર્વજન્મમાં પ્રતાપભાનુ હતું. સમુદ્ર મંથનમાંથી જે મણી પ્રાપ્ત થયો તેનું નામ છે, કૌસ્તુભ. કુબેરના હાથીનું નામ: હિમપાંડુ. યમનાં હાથીનું નામ, મહાપદ્મ. વરૂણ દેવતાનાં હાથીનું નામ: સૌમનસ.

શ્રીરામે અશ્ર્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એ જાણીતી વાત છે. પણ આ યજ્ઞનાં અશ્ર્વનાં મસ્તક પર જે પત્ર બાંધવામાં આવતો- તેનું નામ શું? તેનાં માટેનો ખાસ શબ્દ છે: જયપત્ર.

- Advertisement -

રામાયણમાં યુદ્ધનાં અનેક વર્ણનો છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે, શત્રુ દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રને નાકામ કરવાની વિધિનું નામ શું છે? એ છે: રભસ. અલગ પ્રકારનો પ્રશ્ર્ન : એ રાક્ષસનું નામ શું હતું, જેણે સિતાની હત્યા ન કરવા રાવણને સમજાવ્યો હતો? જવાબ છે: સુપાર્શ્ર્વ. રામાયણનો સૌથી નાનો કાંડ છે, અરણ્યકાંડ અને સૌથી મોટો યુદ્ધકાંડ. રાવણે સુગ્રિવ પાસે મોકલેલા દૂતનું નામ હતું, શુક. ગેરૂ સમાન લાલ વર્ણ ધરાવતા વાનર સેનાપતિનું નામ હતું, ગવય. ચાંદી જેવા ચળકતા વર્ણવાળા વાનર સેનાપતિનું નામ હતું, શ્ર્વેત. સગ્રિવના મંત્રીનું નામ હતું, પ્રભાવ. રામાયણમાં જે નગરીનું નામ લવપુર છે, એ જ હાલનું લાહૌર. રામાયણમાં મધુપુરી તરીકે જેનું વર્ણન છે- એ આજનું મથુરા. ઈન્દ્રનાં ઉદ્યાનનું નામ: નંદન. ઈન્દ્રનાં સારથિનું નામ: માતલી.

અચ્છા, રાવણ તો પરમ શિવભક્ત હતો- પરંતુ મેઘનાદ જે દેવીની પૂજા કરતો હતો, એ દેવી એટલે: નિકુંભિલા. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. ત્યારે તેમનું નામ હતું : પુંજિકસ્થલા. લક્ષ્મણની મૂર્ચ્છા દૂર કરવા હનુમાનજી સંજીવની બુટી લેવા ગયા અને આખો પર્વત ઉઠાવી લાવ્યા. એ પર્વત એટલે દ્રોણગિરિ. મંથરાનું એક નામ કુબ્જા પણ હતું. લંકામાં રાક્ષસોનાં કુળદેવતાનું સ્થાનક હતું, એ ચૈત્ય પ્રાસાદ તરીકે ઓળખાતું હતું. વનવાસમાં ગયેલા રામ-સિતાને પરત અયોધ્યા લાવવા ભરત જે નૌકામાં ગયા તેનું નામ હતું- સ્વસ્તિક. આજની બિયાસ નદી એટલે રામાયણ કાળની વિપાશા નદી. ઉત્તર કુરૂ પ્રદેશમાં કુબેરનું એક અદ્વિતિય ઉદ્યાન હતું. નામ: ચિત્રરથ.

રાવણનાં શૌર્યની આપણે બહુ કથાઓ સાંભળી- વાંચી છે. પરંતુ સહસ્ત્રાર્જુને તેને હરાવી- બંદી બનાવીને જેલમાં ધકેલી દીધો હતો. બાદમાં રાવણનાં પિતાએ ખૂબ વિનંતી કરી તેથી તેને મુક્ત કર્યો. વાલીએ પણ છ-છ મહિના સુધી રાવણને પોતાની બગલમાં દબાવી રાખ્યો હતો. રાવણની તપશ્ર્ચર્યા વિશે તો આપણે ઘણું વાંચ્યું છે, પરંતુ શું એ ખ્યાલ છે કે વિભિષણે પાંચ હજાર વર્ષ સુધી એક પગ પર ઉભા કરીને તપ કર્યું હતું? શ્રીરામનાં રાજ્યાભિષેક માટે પાંચસો નદીઓનું જળ કોણ લાવ્યું હતું? જવાબ: જાંબુવંત. એક ઋષિ એવા પણ હતા જે ભયંકર ગુસ્સામાં આવી ગંગાનું સમસ્ત જળ પી ગયા હતા. નામ: જહનું. રાજકુમાર પુરુએ પોતાનાં પિતાની આજ્ઞાથી પિતાનું વૃદ્ધત્વ ગ્રહણ કરીને પોતાનું યૌવન પિતાને આપી દીધું હતું. તમને ખ્યાલ છે, રાવણે સ્વયં યમરાજ સામે પણ યુદ્ધ કર્યું હતું! રામ-લક્ષ્મણે રાક્ષસ વિરાધનો વધ કરીને જમીનમાં દાટી દીધો હતો.

અયોધ્યાનાં એ ક્યા પ્રતાપી રાજા હતા- જેમનાં પુત્રોએ પૃથ્વી વિંધી નાંખી હતી? એ રાજા એટલે- સગર. રામાયણમાં એક પાત્ર એવું પણ છે- જેણે શિરનાં જોરે તપસ્યા કરી હતી. એ પાત્ર એટલે શંબુક. એ કોણ હતો જેણે સોળ હજાર સ્ત્રીઓને બંદી બનાવીને રાખી હતી અને એક લાખ સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો? એ હતો દુંદુભી. રાવણ અને યમરાજ વચ્ચેનાં યુદ્ધની વાત તો આપણ કરી. પણ વધુ એક વિગત એ છે કે, રાવણનાં ડરથી તેણે કાગડાંનું રૂપ ધારણ કરી લીધું હતું. એક પાત્ર એટલે અતિરથિ. એ દસ હજાર મહારથિઓ સામે એકલાં હાથે યુદ્ધ કરવા સમર્થ હતો. અને હા…. પેલા રાજકુમાર પુરુએ પોતાનું યૌવન પિતાને આપ્યું હતું- એ પિતા એટલે યયાતિ! ક્રમશ:

રાવણ તો પરમ શિવભક્ત હતો- પરંતુ મેઘનાદ જે દેવીની પૂજા કરતો હતો, એ દેવી એટલે: નિકુંભિલા. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા.

You Might Also Like

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચક્રવર્તી સમ્રાટ અશોક અને વૈજ્ઞાનિક ધર્મનું સંવર્ધન!
Next Article “વિચારોથી વિશ્વ બદલાઇ જાય”

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?