આજે અન્નકૂટ મહોત્સવ, આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ગણેશ મહોત્સવના પાંચમા દિવસે ભવ્ય મહાઆરતીમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા
- Advertisement -
સર્વેશ્વર ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવના પંડાલ બહારના પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા પણ ભાવિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. શિવજીની ભવ્ય પ્રતિમાને નિહાળવા માટે દર્શનાર્થે
આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને શુક્રવારની સાંજે શિવજીની પ્રતિમાની આંખમાંથી હર્ષના આંસુની ધારા વહેતી જોવા મળી હોવાની વાતથી ભાવિકોમાં ચર્ચા અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. આ
દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભાવિકોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ પ્રતિમાના દર્શન કર્યા હતા.
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન કરવા
માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. ગણેશ મહોત્સવના પાંચમા દિવસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મહાનુભાવો, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો
તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાની આરાધના કરી હતી.
ગણેશ મહોત્સવના પાંચમા દિવસે સર્વેશ્વર ચોક ખાતે આયોજિત મહાઆરતીમાં ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાઆરતી દરમિયાન ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ
શ્રદ્ધાપૂર્વક આરતીમાં ભાગ લઈ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મેળવ્યા હતા. પવિત્ર અને ભક્તિમય વાતાવરણમાં આયોજિત મહાઆરતી પ્રસંગે ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાઆરતીમાં રાજકોટના મેયર ડૉ.
નેહલ શુકલા, કશ્યપ શુકલા સહપરિવાર, બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શીતભાઈ જાની, તનિષ્ક શોરૂમના ઓનર ધર્મેશભાઈ મહેતા, સ્વ. દિલીપભાઈ કાંતીલાલ નંદાણીના પરિવાર તેમજ જતીનભાઈ માનસતા સહપરિવારે ઉપસ્થિત
રહી આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, વોર્ડ નં. ૮નાં કોર્પોરેટર કિરણબેન માકડીયા, સામાજિક અગ્રણી જ્યોતિબેન ટીલવા, વોર્ડ નં. ૬નાં કોર્પોરેટર અનિલભાઈ ચૌહાણ સહિત
અનેક આગેવાનોએ સર્વેશ્વર ચોક કા રાજાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
- Advertisement -
સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં શરૂઆતથી જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે ભવ્ય પંડાલમાં બિરાજમાન ગણપતિ બાપ્પાના દર્શન
કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો આવી રહ્યા છે. ગણેશજીના દર્શન, આરતી અને ધાર્મિક કાર્યક્રમોમાં લોકો ભક્તિભાવપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ છવાયો છે
અને ભક્તો પરિવાર સાથે બાપ્પાના દર્શન કરી રહ્યા છે.
આજે અન્નકૂટ મહોત્સવ, આવતીકાલે રક્તદાન શિબિર
સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક ઉજવણી સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મહોત્સવ અંતર્ગત આજે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવશે,
જેમાં ભગવાન શ્રી ગણેશને વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમમાં લોકો રક્તદાન કરીને સામાજિક જવાબદારી
નિભાવશે તેવી અપેક્ષા છે. ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ઉત્સવને સેવા પ્રવૃત્તિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.




