મુક્તાનંદ બાપુ, ચાપરડાના અવતરણ દિવસ નિમિત્તે આયોજન
હરિઓમ ફૌજના આગેવાનોએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી
- Advertisement -
25 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે: 125થી વધુ વસ્તુઓનું કરિયાવર અપાશે
સમૂહલગ્ન-જનોઈ કાર્યક્રમમાં ડે. સી.એમ. હર્ષ સંઘવી, પૂર્વસાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિતના રાજકીય- સામાજિક આગેવાનોની ઉપસ્થિત રહેશે
શીતલ પાર્ક પાસે આવેલા આશાપુરા ફાર્મ ખાતે સમૂહલગ્ન-જનોઈ યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે આવનારી તા. 10-5 ને રવિવારના રોજ આશાપુરા ફાર્મ, 150 રીંગ રોડ શીતલ પાર્ક નજીક શ્રી હરિઓમ ફોજ દ્વારા ભવ્યથી ભવ્ય સમૂહલગ્ન તથા સમૂહજનોઈનું આયોજન કરેલ છે. હરિઓમ ફોજ એટલે સૌરાષ્ટ્ર- ગુજરાતભરમાં બ્રહ્મ યુવાનોની એક સંગઠીત ટીમ છે. આ ટીમમાં કોઈ હોદ્દા નથી, કોઈ પ્રસિદ્ધિ અપાવતા નામ નહીં, જે બ્રહ્મ સમાજના જે પરિવાર ગુજરાતના છેવાડાના ગામડા સુધી જ્યારે પથરાયેલો હોય અને એવા પરિવારને જ્યારે કોઈપણ પ્રકારની ઈમરજન્સી જરૂરિયાત ઉભી થાય ત્યારે હરિઓમ ફોજ પરિવાર માટે સતત પ્રયત્નશીલ છે, દોડે છે, કામ કરે છે. આ જેમાં બ્રહ્મ સમાજના પરિવારને કોઈ ઈમરજન્સી ઉભી થાય, આકસ્મિક બનાવો બને ત્યારે કોઈપણ પ્રકારની કાયદાકીય જરૂરિયાત ઉભી થય ત્યારે આ યુવાનો જે ગુજરાતભરમાં છે દરેક શહેર જિલ્લામાં પથરાયેલ હોય 4000થી યુવાનો જોડાયેલા એકબીજા સાથે સંપર્કમાં રહી થતી તમામ મદદ એ પરિવારને કરે છે, જે ખૂબ આનંદની વાત છે. સાથે સાથે આ હરિઓમ ફોજ દ્વારા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપરડા બ્રહ્માનંદ ધામના પૂજનીય બ્રહ્મ ઋષિ છે જે મુક્તાનંદ બાપુના અવતરણ દિવસ 17 મે હોય જે નિમિત્તે એટલે કે 10-5-26 ને રવિવારે સાંજે ચાર વાગે રાજકોટ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓના સમૂહલગ્ન તથા સમૂહજનોઈ યોજવામાં આવેલ છે. આ ઉપરાંત 10 મે બાદ 11થી 17 મે ગુજરાતના સૌથી વધુ ગામોમાં બ્લડ કેમ્પ યોજાશે. જ્યારે રાજકોટમાં રવિવારના રોજ સમસ્ત બ્રહ્મસમાજ સમૂહલગ્ન તથા સમૂહજનોઈમાં જેમાં જરૂરિયાતમંદ 25 દીકરીઓના લગ્ન તથા 61 બ્રહ્મ બટુકોની જનોઈ યોજવામાં આવેલ છે, જે કાર્યક્રમ ભારતના બ્રહ્મ સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત આ મુજબનો કાર્યકમ થઈ રહ્યો છે. જેમાં આયોજકો દ્વારા સમૂહલગ્નમાં જોડાયેલ નવદંપતીઓ તથા બટુકોની કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન ફી લેવામાં આવેલ નથી તથા મહેમાનોને લઈ આવવાની કોઈ પણ પ્રકારની સંખ્યા મર્યાદા નહીં. આ ઉપરાંત આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર ભૂદેવ દીકરીઓને ક્ધયાદાન કરિયાવરમાં સમાજ દ્વારા ઉદાર હાથે કરિયાવર આપવામાં આવેલ છે. જેમાં સોનાની ચૂડલી, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, વોશીંગ મશીન, કબાટ, એરકુલર, સોફાસેટ, શેટ્ટી, ચાંદીના સાંકળા, ચાંદીના તુલસી વગેરે આવી જીવનજરૂરિયાતની આધુનિક યુગની તમામ વસ્તુઓ મોટી માત્રામાં જેમાં 125થી વધારે વસ્તુઓનું કરિયાવર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભોપાલના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકોર, અખિલ ભારતીય સાધુ સમાજ અધ્યક્ષ પ.પૂ. મુક્તાનંદ બાપુ તથા અન્ય કથાકારો રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની બીજી એક નવીનતા એ છે કે આ ભૂદેવ દીકરીઓ તથા સમૂહલગ્ન, સમૂહજનોઈના આયોજનનું ફંડ સ્વૈચ્છિક અને બ્રહ્મસમાજ દ્વારા સામૂહિક રીતે અને ઉત્સાહભેર આવે છે જેમાં આયોજક હરિઓમ દ્વારા આ બ્રહ્મ દીકરીઓ તથા બ્રહ્મબટુકોને શુભેચ્છા આપવા આશીર્વાદ આપવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે અને આવો સરસ સેવાનો કાર્યક્રમ થતો હોય, સમાજ એકઠો થતો હોય, સમાજને એકતા અને સંગઠનથી સમાજને એક છતે બાંધવાના યુવાનોના પ્રયત્ન બિરદાવવા કાર્યક્રમ નિહાળવા આમંત્રણ પાઠવેલ છે.



