બહુમાળી ભવન ચોક ખાતે ભાજપનું વિજય વિશ્ર્વાસ સંમેલન
મનપાની ચૂંટણી માટે ભાજપના 72 ઉમેદવારોએ ફોર્મ ભર્યું: મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
- Advertisement -
રૂપાલાનો વિજય મંત્ર: ‘72 કમળ ખીલવવા માટે કાર્યકરો કમર કસે, પ્રચારની શરૂઆત પોતાના ઘરથી જ કરો’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં હાઈવોલ્ટેજ ડ્રામા, સસ્પેન્સ અને ક્લાઈમેક્સ જેવી સ્થિતિ સર્જાઈ હતી પહેલા ઉમેદવારોને લઈને સસ્પેન્સ સર્જાયું હતું ત્યારબાદ જેની ટિકિટ કપાઈ ત્યારે ભાજપ કાર્યાલયે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો અને છેલ્લે વિજય વિશ્ર્વાસ સંમેલનમાં ક્લાઈમેક્સમાં નેહલ શુક્લની એન્ટ્રી થઈ. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ આજે 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યા હતા બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્ર્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરંતુ આ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાની ગેરહાજરી જરૂર જોવા મળી રહી છે. ભાજપના વિજય વિશ્ર્વાસ સંમેલન દરમિયાન જ સર્જાયેલા આ રાજકીય વળાંકે સૌને ચોંકાવી દીધા હતા. સૌથી મોટો ક્લાઈમેક્સ વોર્ડ નં-7માં જોવા મળ્યો હતો. કાર્યકરો જીતના ઉત્સાહમાં હતા ત્યારે જ એકાએક વોર્ડ નં-7ની ટિકિટને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો. શૈલેષ જાનીના સ્થાને પૂર્વ કોર્પોરેટર નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવતા આશ્ર્ચર્ય સર્જાયું હતું
ભાજપે 72 સીટ મુજબ ઘઇઈ, જઈ, જઝ અને સામાન્ય વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ યાદીમાં ખાસ કરીને મહિલાઓને મોટા પ્રમાણમાં તક આપવામાં આવી છે. ઘઇઈ મહિલા, જઈ મહિલા અને સામાન્ય મહિલા અનામત બેઠકો પર ભાજપે સક્રિય મહિલાઓને મેદાનમાં ઉતારી છે, જે પાર્ટીની મહિલા સશક્તિકરણની નીતિને પ્રતિબિંબિત કરે છે. વોર્ડ-1 થી વોર્ડ-6 સુધીના ઉમેદવારોમાં સ્થાનિક અને અનુભવી ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે, જ્યારે વોર્ડ-7 થી વોર્ડ-12 સુધીમાં યુવા અને શિક્ષિત ઉમેદવારોને સ્થાન મળ્યું છે. જો કે, અંતિમ ઘડીએ વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલા અને વોર્ડ નં-5ના દિલીપ લુણાગરિયાની પણ ટિકિટ કપાઈ તેવી શક્યતા હતી. જો કે દોઢ કલાક સુધી આ મુદ્દે ગડમથલ ચાલી હતી. પંરતુ આખરે પક્ષ દ્વારા રક્ષિત કલોલા અને દિલીપ લુણાગરિયાની યથાવત રાખવામાં આવ્યા હતા. આ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં 72 ઉમેદવારો, સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, પૂર્વ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વિજય વિશ્ર્વાસ સંમેલનમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ચૂંટણી પ્રચારની શરૂઆત કાર્યકરોએ પોતાના ઘર અને આજુબાજુથી કરવી જોઈએ. મત આપવો અને બીજાને આપવા માટે પ્રેરીત પણ કરવા જોઈએ અને આ ચૂંટણીમાં 72 કમળ ભાજપના ખીલે તે માટે કાર્યકરે હંમેશા તત્પર રહેવું જોઈએ.



