ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રંગીલા રાજકોટના ખેલપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણનો આખરે ગ્રાન્ડ પ્રારંભ થયો છે. શહેરના ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય મેચોના સાક્ષી એવા માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ‘ખાસ ખબર’ દ્વારા આયોજિત ‘ખાસ ખબર કપ-2026’ ઓલ ઇન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય શુભારંભ થયો છે. મેદાન પર દેશભરની શ્રેષ્ઠ 64 ટીમો વિજેતા બનવાના મક્કમ નિર્ધાર સાથે મેદાને પડી છે. આ 19 દિવસીય ટૂર્નામેન્ટમાં રાજકોટવાસીઓને હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ખરાખરીનો ખેલ જોવા મળશે.
ટૂર્નામેન્ટનું વિધિવત ઉદઘાટન પૂર્વ રાજ્યપાલ અને પીઢ નેતા વજુભાઈ વાળાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. વજુભાઈએ આ ઉંમરે પણ મેદાન પર બેટિંગ કરીને ખેલાડી જેવો જ ઉત્સાહ બતાવ્યો હતો. તેમણે રાજકોટની ક્રિકેટ પરંપરાને બિરદાવતા જણાવ્યું હતું કે, આ મેદાન પર અનેક દિગ્ગજ ખેલાડીઓ રમી ચૂક્યા છે અને ‘ખાસ ખબર’નું આ આયોજન સ્થાનિક પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
- Advertisement -
શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ
આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે શહેરના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા, ભાજપ અગ્રણી માવજીભાઇ ડોડીયા, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, દેવાંગભાઇ માંકડ, ધારાસભ્ય રમેશ ટીલાળા, શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઇ ચાવડા, મનીષભાઇ રાડીયા, અજયભાઇ પરમાર, ભાજપ અગ્રણી મનીષભાઇ ભટ્ટ, વિવેકભાઇ તલસાણીયા, રસીકભાઇ ભદ્રકીયા, નીરેનભાઇ જાની, ધર્મેન્દ્રસિંહ રાણા, કીરીટભાઇ ગોહીલ, તારીફભાઇ, મયુરસિંહ, સહદેવસિંહ ડોડીયા, સંદિપભાઇ ડોડીયા, પીઆઇ વસાવા, પીઆઇ જે.વી.વાઢીયા, ઉપસ્થિત રહ્યા હતા. ખાસ-ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયા અને સર્વેશ્ર્વર ગ્રુપના સર્વે મેમ્બર સહિતનાએ ઉપસ્થિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસે જ ચોગ્ગા-છગ્ગાની રમઝટ
- Advertisement -
પ્રથમ દિવસે ઈન્ટરનેશનલ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલાડીઓએ રનનો વરસાદ કર્યો હતો. આ ટુર્નામેન્ટ કુલ 19 દિવસ ચાલશે. ક્રિકેટપ્રેમીઓ ઘરે બેઠા ઋફભયબજ્ઞજ્ઞસ અને ઢજ્ઞીઝીબય ચેનલ પર તમામ મેચોનું લાઈવ પ્રસારણ પર મેચ નિહાળી આનંદ માણ્યો હતો. પ્રથમ દિવસે કુલ ચાર મેચ રમાઇ હતી. જેમાં ‘મેન ઓફ ધ મેચ’, ‘બેસ્ટ બેટ્સમેન’ અને ‘બેસ્ટ બોલર’ને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. BCCi માન્યતા ધરાવતા સ્ટેટ લેવલના અમ્પાયરિંગ પેનલ દ્વારા મેચોનું સંચાલન કરવામાં આવ્યુ હતું. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ગ્રાઉન્ડ પર ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામ્યો હતો.
પ્રથમ દિવસે કોની-કોની વચ્ચે મેચ રમાયા અને કઈ ટીમ વિજેતા બની?
કેશવ કેમ્પ Vs ડી.એચ.કેમ્પ વિજેતા: કેશવ કેમ્પ, મેન ઓફ ધ મેચ : પ્રશાંત
ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચમાં કેશવ કેમ્પે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. બેટ્સમેનોએ મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી 10 ઓવરમાં 116 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ઉઇં કેમ્પ-ઇ ની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને લક્ષ્ય હાંસલ કરી શકી નહોતી. કેશવ કેમ્પના પ્રશાંતને તેની આક્રમક બેટિંગ (34 રન, 4 છગ્ગા) અને મહત્વની વિકેટ ઝડપવા બદલ વજુભાઈ વાળાના હસ્તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ એનાયત કરાયો હતો.
રાજાધિરાજXI Vs મારવેલ, વિજેતા: મારવેલ, મેન ઓફ ધ મેચ : તપન કાપડી
બીજી મેચમાં મારવેલ-ઇ અને રાજાધિરાજ-11 વચ્ચે મુકાબલો થયો હતો. મારવેલ-ઇ ના બોલરોએ રાજાધિરાજની ટીમને રન બનાવવા માટે ઝઝૂમવા મજબૂર કરી હતી. મારવેલ-ઇ ના ખેલાડીઓએ શિસ્તબદ્ધ બેટિંગ અને શ્રેષ્ઠ રન-રેટ સાથે વિજય મેળવી બીજા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી.
રામનાથ Vs CSK લાયન્સ, વિજેતા: ઈજઊં લાયન્સ, મેન ઓફ ધ મેચ: પ્રતિક રાવલ
ત્રીજી મેચમાં ઈજઊં લાયન્સના બોલરોએ તરખાટ મચાવ્યો હતો. રામનાથ-11 ની ટીમ નિર્ધારિત ઓવરોમાં માત્ર 77 રન જ બનાવી શકી હતી. ઈજઊં લાયન્સના બેટ્સમેનોએ રમતને અંતિમ ઓવરો સુધી લઈ જવાને બદલે આક્રમક અભિગમ અપનાવી માત્ર 7 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. જેમાં દેવદત્તની બોલિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
સિટી પોલીસ Vs પવનપુત્ર રાજકોટ વિજેતા: પવનપુત્ર, મેન ઓફ ધ મેચ: દર્શિત ભિમાણી
દિવસની છેલ્લી મેચ સૌથી રોમાંચક રહી હતી. રાજકોટ સિટી પોલીસે પ્રથમ બેટિંગ કરી 68 રન બનાવ્યા હતા. આ નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પવનપુત્ર-11 ની ટીમે શરૂઆતમાં વિકેટો ગુમાવી હતી, પરંતુ રસાકસીભર્યા અંતમાં વિજય હાંસલ કર્યો હતો. પવનપુત્ર-11 ના દર્શિત ભિમાણીને તેની શાનદાર બોલિંગ (3 વિકેટ) માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
વજુભાઈ વાળા મેયરપદે હતા ત્યારે 1980માં માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડનું નિર્માણ શરૂ થયું હતું
રાજકોટ શહેરે રમતગમતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિ 1980માં હાંસલ કરી હતી, જ્યારે શહેરનું પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે શહેરના મેયર તરીકે કાર્યરત રહેલા વજુભાઈ વાળાએ આ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ માત્ર એક રમતગમતના મેદાન પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ રાજકોટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નકશા પર સ્થાન અપાવવાનો એક દૃઢ પ્રયાસ હતો. તેમની મહેનત, દૃઢતા તથા દ્રષ્ટિએ આ પ્રોજેક્ટને સફળતા સુધી પહોંચાડ્યો હતો. આ ગ્રાઉન્ડના નિર્માણથી રાજકોટના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળી અને સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું. સમય જતાં આ મેદાન અનેક મહત્વપૂર્ણ મેચોનું યજમાન બન્યું અને શહેરની ઓળખમાં વધારો કર્યો. રમતગમતના વિકાસ માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું યોગદાન આજે પણ અવિસ્મરણીય છે.
અદ્યતન ટેકનોલોજી અને પારિતોષિકોની વર્ષા
ટૂર્નામેન્ટમાં દરેક છગ્ગા અને વિકેટ પર આકર્ષક રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રેક્ષકો માટે લાઈવ ડિજિટલ સ્કોર બોર્ડ, જાયન્ટ સ્ક્રીન પર રિપ્લે અને આધુનિક લાઈટિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જે ખેલાડીઓ અને દર્શકોને આંતરરાષ્ટ્રીય મેચ જેવો જ અહેસાસ કરાવે છે. ‘ખાસ ખબર’ પરિવારના પરેશભાઈ ડોડિયા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજિત આ ક્રિકેટ ઉત્સવ રાજકોટના ખેલ પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો છે.



