એવિએશન પર નજર રાખતી સંસ્થા ઉૠઈઅએ ચાર્ટર્ડ પ્લેન ઓપરેટરો માટે નિયમો કડક કર્યા
ઓપરેટરોને તેમના સેફ્ટી રેકોર્ડના આધારે રેન્ક કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો
- Advertisement -
છેલ્લા એક મહિનામાં નોન-શેડ્યુલ્ડ ઓપરેટર દ્વારા સંચાલિત બે ચાર્ટર્ડ વિમાનો ક્રેશ થયા બાદ લીધો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશમાં વિમાન સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી એવિએશન પર નજર રાખતી સંસ્થા ઉશયિભજ્ઞિંફિયિં ૠયક્ષયફિહ જ્ઞર ઈશદશહ અદશફશિંજ્ઞક્ષ (ઉૠઈઅ) એ નોન-શેડ્યુલ્ડ ઓપરેટર જેમ કે ચાર્ટર્ડ પ્લેન અને એર એમ્બ્યુલન્સ સેવાઓ માટે નિયમો કડક બનાવ્યા છે. હવે તમામ ઓપરેટરોએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર વિમાનની મેન્ટેનન્સ હિસ્ટ્રી જાહેર કરવી પડશે. આ ઉપરાંત વિમાન કેટલું જૂનું છે તેની માહિતી પણ જાહેર કરવી ફરજિયાત બનાવાઈ છે. ઝારખંડમાં તાજેતરમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયા બાદ ઉૠઈઅએ મંગળવારે તમામ નોન-શેડ્યુલ્ડ ઓપરેટરો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં નોન-શેડ્યુલ્ડ ઓપરેટર દ્વારા સંચાલિત બે ચાર્ટર્ડ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમનકારી સંસ્થાએ સેફ્ટી મોનિટરિંગ વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ મૂકાયો – ઓપરેટરોને તેમના સેફ્ટી રેકોર્ડના આધારે રેન્કિંગ આપવામાં આવે. આ રેન્કિંગ ઉૠઈઅની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. અધિકારીઓના મતે, આ પગલું મુસાફરો માટે વધુ પારદર્શિતા લાવશે અને તેઓ સેવા પસંદ કરતી વખતે સેફ્ટી રેકોર્ડની તુલના કરી શકશે. ઉૠઈઅના આ નિર્ણયને દેશમાં વધતી ચાર્ટર્ડ અને એર એમ્બ્યુલન્સ સેવાઓના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે નજર રહેશે કે નવા નિયમો અમલમાં આવતા સેફ્ટી સ્ટાન્ડર્ડમાં કેટલો સુધારો જોવા મળે છે.
- Advertisement -
23 ફેબ્રુઆરી: ઝારખંડના ચતરામાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, 7ના મોત
ઝારખંડથી દિલ્હી જઈ રહેલું એક ચાર્ટર્ડ પ્લેન ચતરામાં ક્રેશ થયું. પ્લેનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા. રેડબર્ડ કંપનીનું બીચક્રાફ્ટ કિંગ એર ઇ90ક એક એર એમ્બ્યુલન્સ હતું. ફ્લાઇટે સોમવારે સાંજે 7:11 વાગ્યે રાંચીથી ઉડાન ભરી, 7:34 વાગ્યે એરક્રાફ્ટનો સંચાર તૂટી ગયો. થોડીવાર પછી પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સમરિયાના જંગલોમાં ક્રેશ થયું. પ્લેનમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલટ), કેપ્ટન સબરાજદીપ સિંહ (કો-પાયલટ), સંજય કુમાર (દર્દી), અર્ચના દેવી (પરિવારજન), ધૂરુ કુમાર (પરિવારજન), વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર), સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ) સવાર હતા.
28 જાન્યુઆરી: મહારાષ્ટ્રના ડેપ્યુટી ઈખ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન
મહારાષ્ટ્રના ડેપ્યુટી ઈખ અજિત પવારનું આ જ વર્ષે જાન્યુઆરીમાં પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. આ દુર્ઘટનામાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા હતા. પાઇલોટે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહીં, તેથી તેણે પ્લેનને ફરીથી ઊંચાઈ પર લઈ લીધું. પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી, બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન વિમાન રનવે પહેલા જ પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ.
નોન-શેડ્યુલ્ડ ઓપરેટર શું હોય છે?
નોન-શેડ્યુલ્ડ ઓપરેટર એવી એરલાઇન અથવા કંપનીઓ હોય છે, જે નિયમિત સમયપત્રકવાળી કોમર્શિયલ ફ્લાઈટ્સ ચલાવતી નથી. તેઓ જરૂરિયાત કે બુકિંગના આધારે ખાસ ઉડાનો જેમ કે ચાર્ટર્ડ સેવા, કોર્પોરેટ ટ્રાવેલ અથવા એર એમ્બ્યુલન્સ સંચાલિત કરે છે. વિશેષજ્ઞોના મતે, મેન્ટેનન્સ હિસ્ટ્રી અને વિમાનની ઉંમર જાહેર કરવાની ફરજિયાતીથી ઓપરેટરોમાં જવાબદારીની ભાવના વધશે. સાથે જ, સેફ્ટી રેન્કિંગની વ્યવસ્થા કંપનીઓ વચ્ચે આરોગ્યપ્રદ સ્પર્ધા ઊભી કરશે, જે અંતે મુસાફરોની સુરક્ષા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.



