એન્યુઅલ ફંક્શનમાં ભાગ લેવાના 3500, તેના શૂઝ 4000ના અને લંડન ક્રિકેટ ટ્રીપના અધધધ 3.75 લાખ ઉઘરાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની રાજકુમાર કોલેજની આબરૂનું ધોવાણ કરતી ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે શિક્ષકે શૈતાન જેવું કૃત્ય કરતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે વાલીઓના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસમાં ગયેલા બાળકો ઉપર શિક્ષક વસીમ મન્સુરીએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો બાળકોને ભૂખ્યા રાખી ફડાકા મારી શિક્ષકે પોતાની જોહુકમી ચલાવી હતી એક બાળકના જીવન ઘડતરમાં શિક્ષકનો મહત્વનો રોલ હોય છે પરંતુ હલકી માનસિકતા ધરાવતા આ શિક્ષક વસીમ મન્સુરીએ બાળકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના બદલે પોતાનામાં રહેલી હલકી મનોવૃત્તિ છતી કરી છે બાળકોને મારપીટ કરવાની વસીમ મન્સૂરીની આ સંવેદનાહીન કાર્યશૈલીથી બાળકો પણ ભયભીત થઇ ગયા છે પ્રવાસમાંથી આવતાની સાથે જ આ શૈતાન શિક્ષક વસીમ મન્સુરીનો ભોગ બનેલા બાળકો પોતાના માવતરને ભેટીને રડી પડયા હતા ત્યારે આ બાળકો કેટલા ડઘાઈ ગયા હશે અને ત્યાં આ શિક્ષકની કેવી અને કેટલી હિંસાનો શિકાર બન્યા હશે તેની કલ્પના કરવી પણ મુશ્ર્કેલ છે ત્યારે આવા વસીમ મન્સૂરી જેવા શિક્ષકોને રાજકુમાર કોલેજ તો ઠીક એકપણ શાળામાં અભ્યાસ અર્થે રાખવા બાળકો માટે ખુબ જોખમી સાબિત થઇ શકે તેમ છે.
રાજકોટમાં રાજાશાહી વખતની રાજકુમાર કોલેજમાંથી ધોરણ 4ના છાત્રોને પ્રવાસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી લઇ ગયા બાદ ત્યાં સાથે ગયેલા શિક્ષક વસીમ મન્સુરીએ 24 જેટલા માસુમ બાળકોને ફડાકા મારી દીધાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે વાલીઓએ ફરિયાદ કરતા હાલ તો શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે પરંતુ વાલીઓ આ શિક્ષકને કાયમી ધોરણે ડિસમિસ કરવાની માંગ ઉચ્ચારી રહ્યા છે સાથોસાથ રાજકુમાર કોલેજ શિક્ષણનું ધામ નહિ પરંતુ વાલીઓના ખિસ્સા ખાલી કરવાનું કેન્દ્ર હોય તેવી છબી ઉપસી રહી છે.
‘રાજકુમાર કોલેજ’ શિક્ષણનું ધામ કે વાલીઓના ‘ખિસ્સાં ખાલી કરવાનું કેન્દ્ર’
ઋછઈની જેમ વર્ષ દરમિયાન થતાં ઉઘરાણા બંધ કરાવવા અંગે પણ કમિટીની રચના કરવી જરૂરી
- Advertisement -
રાજકુમાર કોલેજ દ્વારા શૂઝના 4000, એન્યુઅલ ફંક્શનના 3500 અને લંડન ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પોણા ચાર લાખ ઉઘરાવવામાં આવતા હોવાનો ધડાકો થયો છે શૂઝ સહિતની ચીજ વસ્તુઓ ધરારથી શાળામાંથી જ લેવા ફોર્સ કરવામાં આવી રહ્યો છે ત્યારે આટલી મોટી ફી ઉઘરાવતી શાળા એન્યુઅલ ફંક્શનનો ખર્ચ પણ બાળકો પાસેથી ઉઘરાવી રહી છે તે બાબત પણ નિંદનીય છે પણ જેની સામે પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જો કોઈ શાળા તરફથી બાળકો રમવા જાય તો તેમાં શાળાનું નામ ઊંચું જવાનું છે તેનો ખર્ચે હકીકતે શાળાએ ભોગવવાનો હોય છે નહિ કે વાલીઓને તેમ છતાં રાજકુમાર કોલેજ દ્વારા આ ખર્ચ પણ વાલીઓ ઉપર ઢોળી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે તેમ વર્ષ દરમિયાન શાળા દ્વારા થતા ઉઘરાણા પણ બંધ કરાવવા કોઈ કમિટીની રચના કરવાની તાતી જરૂર ઉભી થઇ છે.
રાજકોટની રાજકુમાર કોલેજના શિક્ષક વસીમ મન્સૂરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ દરમિયાન 24 છાત્રોને મારકૂટ કરવાના અને સમયસર ભોજન પણ નહિ દીધાની વાલીની ફરિયાદ પરથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે જો કે રાજકુમાર કોલેજના સંચાલકોએ પોતાની આબરૂ બચાવવા શિક્ષકને માત્ર સસ્પેન્ડ કરી શિક્ષકનો લૂલો બચાવ કરી લીધો હતો જેની સામે વાલીઓએ શિક્ષકને કાયમી માટે ડિસમિસ કરવાની માંગ ઉચ્ચારી છે બીજી તરફ રાજકોટની રાજકુમાર કોલેજ એક શિક્ષણનું ધામ નહિ પરંતુ ઉઘરાણા કરી વાલીઓના ખિસ્સા ખાલી કરવાનું મુખ્ય કેન્દ્ર બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે કારણકે રાજકુમાર કોલેજના સંચાલકો દ્વારા તોતિંગ ફી ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ બહાના હેઠળ મસમોટી રકમ ઉઘરાવવામાં આવી રહી છે તાજેતરમાં ત્રણ દિવસના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ માટે વાલીઓ પાસેથી મોટી ફી વસુલવામાં આવી હતી આ ઉપરાંત અભ્યાસ કરતા બાળકોના શૂઝ માટે 4000 રૂપિયા ઉઘરાવવામાં આવી છે અને તે શૂઝ ફરજીયાત શાળામાંથી જ ખરીદવા વાલીઓને ફોર્સ કરવામાં આવે છે આ ઉપરાંત દર વર્ષે જે એન્યુઅલ ફંક્શન યોજાતું હોય તેમાં પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 3500 રૂપિયા જેવી તોતિંગ ફી પણ ઉઘરાવવામાં આવી રહી છે લખો રૂપિયાની ફી ઉઘરાવતી રાજકુમાર કોલેજ દ્વારા એન્યુઅલ ફંક્શનનો ખર્ચ પણ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવી રહ્યો છે આટલું મોટું સંચાલન ધરાવતી રાજકુમાર કોલેજની લઇ લેવાની એટલે કે વાલીઓને ખંખેરી લેવાની વૃત્તિ સામે પણ વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે તેમજ ક્રિકેટ રમાડવા માટે બાળકોને લંડન લઇ જવા શાળા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે આ લંડન ટ્રીપ માટે પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી 3.75 લાખ રૂપિયા જેટલી તોતિંગ ફી ઉઘરાવવામાં આવી રહી છે આમ તોતિંગ ફી સામે વર્ષ દરમિયાન તોતિંગ ઉઘરાણા પણ કરવામાં આવી રહ્યા છે જેથી રાજકુમાર કોલેજની આન, બાન અને શાનને પણ હાનિ પહોંચી રહી છે. જ્યારે કોઈ શાળા કે સંસ્થા વતી બાળકો ક્રિકેટ કે કોઈપણ ગેમ રમવા જતા હોય ત્યારે તેમાં શાળા કે સંસ્થાની નામના જ વધવાની છે તેવી જ રીતે રાજકુમાર કોલેજ વતી કોઈ બાળકો લંડન કે કોઈપણ સ્થળે ક્રિકેટ કે કોઈપણ રમત રમવા જાય તો તેમાં રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠામાં, નામમાં વધારો થવાનો છે બાળકોની નામના નથી વધવાની હા બાળકોને એક પ્લેટફોર્મ સો ટકા પ્રાપ્ત થાય પણ નામ તો જે તે સંસ્થાનું એટલે કે રાજકુમાર કોલેજનું જ થવાનું છે ત્યારે આવી કોઈપણ સ્પર્ધા કે ગેઇમ માટે જયારે બાળકોને ક્યાંય લઇ જવાના હોય તો તેનો ખર્ચ શાળાએ ભોગવવાનો હોય છે તેને બદલે આ રાજકુમાર કોલેજ દ્વારા તો ખર્ચ વાલીઓ ઉપર ઠોકી દેવામાં આવ્યો છે વાલીઓના ખર્ચે બાળકોને જે તે સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરાવી મફતનો જસ ખાટી લેવાની રાજકુમાર કોલેજની વૃત્તિ સામે પણ વાલીઓમાં રોષ ભભૂકી રહ્યો છે.
સ્કૂલ એ માં સરસ્વતીનું ધામ ગણાય છે અહીંયા શિક્ષકો પોતાનું જ્ઞાન બાળકોને આપી સંસ્કારનું સિંચન કરતા હોય છે પરંતુ અહીંયા તો ફી ઉપરાંત પણ મસમોટા ઉઘરાણા થતા હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં માર્યાદિત ફી લેવામાં આવે છે કે કેમ તેના ઉપર નજર રાખવામાં આવતી હોય છે પરંતુ આ રાજકુમાર કોલેજ દ્વારા જે પ્રકારે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે તે જોતા એફઆરસીની જેમ વર્ષ દરમિયાન થતા ઉઘરાણા પણ બંધ કરાવવા કોઈ સમિતિની રચના કરવાની તાતી જરૂર ઉભી થઇ છે.
પીટી ટીચરે ધો.1-2ના છાત્રોને ગાળો ભાંડી: વાલીઓ સ્તબ્ધ
રાજકુમાર કોલેજમાં એક પછી એક શિક્ષકની લાપરવાહી સામે આવી રહી છે વસીમ મન્સુરીએ પ્રવાસમાં બાળકો ઉપર હાથ ઉઠાવ્યાની ઘટના બાદતાજેતર માં શાળામાં જ પીટી ટીચરે પણ ધોરણ 1 અને 2ના છાત્રોને ગાળો ભાંડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે ફૂલ જેવા માસુમ બાળકોને ગાળો ભાંડી હોવાની વાત પણ વાલીઓ સુધી પહોંચતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
વસીમના પિતા કોચ હતા તેના આધારે નોકરી મળી!
રાજકુમાર કોલેજના શૈતાન દિમાગધારી શિક્ષક વસીમના પિતા પણ રાજકુમાર કોલેજમાં કોચ હતા અને તેમના પછી હવે પિતાની નોકરી વસીમને મળી છે તો શું રાજકુમાર કોલેજના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની લાયકાત, શિક્ષણ કઈ જોયા વિના જ નોકરી આપી દેવામાં આવી છે તે ક્રિકેટ કોચ હકીકતે તે તેને લાયક છે કારણકે પોતાનું શરીર પણ હેવી છે તે કોચ તરીકે બાળકોને શું તાલીમ આપી શકશે તે સહિતના પ્રશ્ર્નો ઉઠવા પામ્યા છે.
ક્રિકેટમાં નામ થશે સંસ્થાનું અને ઉઘરાણા કરે છે વાલીઓ પાસે
રાજકુમાર કોલેજનું નામ વિશ્ર્વ સ્તરે ફેલાયેલું છે પરંતુ પરદા પાછળની હકીકત કાંઈક અલગ જ છે રાજકુમાર કોલેજ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ અગ્રગણ્ય નામના ધરાવે છે તે નામ મેળવવા પાછળ બાળકો ભોગ આપતા હોય છે પરંતુ નામ તો અંતે સંસ્થાનું એટલે કે રાજકુમાર કોલેજનું જ થતું હોય છે નામ કોલેજનું થાય છે પરંતુ તેની પાછળ થતા ખર્ચને પહોંચવા વળવા વાલીઓ પાસે જ ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.
આટલી મોટી રાજકુમાર કોલેજ પાસે શું ફંડ નહીં હોય?
રાજકુમાર કોલેજ જેનું આટલું મોટું નામ છે આટલી મોટી રાજાશાહી સમયની સંસ્થા છે છતાં તેના સંચાલકો એન્યુઅલ ફંક્શન માટે વાલીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે એ તો કેવી વાત કહેવાય? વળી એન્યુઅલ ફંક્શનની ફી પેટે 200-500 રૂપિયાની જગ્યાએ સીધા જ દરેક વિદ્યાર્થીઓ પાસેથી 3500 રૂપિયાની ઉઘરાણી યોગ્ય કહી શકાય? ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે આટલી મોટી રાજકુમાર કોલેજ પાસે શું ફંડના નામે ફદીયું પણ નહિ હોય અને જો ફંડ હોય તો બાળકો પાસેથી શામાટે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે તે બાબત વિચારવા જેવી છે. આ અંગે વાલીઓ અને વિદ્યાર્થી સંગઠન આગળ આવીને આંદોલન કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે.



