દેશના ફાર્મા ક્ષેત્રમાં ગુજરાત રાજ્યનો હિસ્સો ત્રીજા ભાગથી પણ વધુ છે
5 વર્ષમાં દવાનું વેચાણ 38 ટકા વધ્યું, સૌથી વધુ હ્વદય અને પેટ સંબંધિત દવાનું સેવન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના લોકો એક વર્ષમાં 10 હજાર કરોડની દવા આરોગી જાય છે. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાં દવાનું વેચાણ 38% વધ્યું છે. 27% દવાનું સેવન માત્ર હૃદય-પેટના રોગ સંબંધિત છે. 2021માં 7512 કરોડની દવાનું વેચાણ થયું હતું. તે 2025માં વધીને 10,331 કરોડને પાર થયું છે. ફાર્મારેકના રિપોર્ટ મુજબ, ઓક્ટો. -24થી ઓક્ટો.-25 સુધીમાં સૌથી વધુ 1698 કરોડની કાર્ડિયાક(હૃદય સંબંધિત) દવાનું વેચાણ થયું છે. 1138 કરોડ સાથે એન્ટી ઇન્ફેક્શન દવા બીજા ક્રમે છે. 5 વર્ષ દરમિયાન મગજ સંબંધિત દવાના વેચાણમાં 62%, ડાયાબિટીસની દવામાં 31%નો વધારો થયો છે.
ગુજરાતીઓ એક વર્ષમાં મેદસ્વિતા-કોલેસ્ટેરોલ ઘટાડવા 412 કરોડની દવા પીધી છે. લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ, જંક ફૂડની આદત, તણાવ જેવા કારણોથી દવાનું વેચાણ વધ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતાં દવાનું વેચાણ પણ વધ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર કરતાં અમદાવાદમાં દવાનું વેચાણ 56% વધુ છે. રાજ્યમાં કુલ દવાના વેચાણમાં 38% હિસ્સો માત્ર અમદાવાદમાં છે. રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, રાજ્યમાં કુલ મોતના 30% મોત હૃદય સંબંધિત છે. સેક્સવર્ધક દવાનું વેચાણ 50% વધીને 42 કરોડ થયું છે. વર્ષે ત્વચા સંબંધિત 670 કરોડની દવા વેચાય છે. દેશના ફાર્મા ક્ષેત્રમાં રાજ્યનો હિસ્સો ત્રીજા ભાગથી વધુ છે.
ગુજરાતમાં સૌથી વધુ દવાનું વેચાણ
- Advertisement -
વિટામીન સંબંધિત: 928 કરોડ
મેદસ્વિતા, કોલેસ્ટ્રોલ:416 કરોડ
આંખ-કાન સંબંધિત:276 કરોડ
કેન્સર સંબંધિત: 100 કરોડ
વાળની સંભાળ:66 કરોડ
સાંધાના દુ:ખાવા:64 કરોડ
ખીલ સંબંધિત:46 કરોડ
સેક્સવર્ધક:42 કરોડ
પાચન સંબંધિત:38 કરોડ
ગર્ભનિરોધક સંબંધિત:26 કરોડ
નશામુક્તિ સંબંધિત:10 કરોડ
અમદાવાદમાં સૌથી વધુ દવાનું વેચાણ
અમદાવાદ:3922
સૌરાષ્ટ્ર:2514
વડોદરા:1982
સુરત:1886
ડિપ્રેશનની દવાના વેચાણમાં 62%, ડાયાબિટીસની દવાના વેચાણમાં 31%, શ્ર્વાસ સંબંધિત દવાના વેચાણમાં 30%નો વધારો થયો
સૌરાષ્ટ્ર કરતાં અમદાવાદમાં દવાનું વેચાણ 56 ટકા વધુ
ગુજરાતીઓ કેટલા બીમાર?
4 વર્ષમાં 22 લાખથી વધુ મોત નોંધાયા
હૃદય : વર્ષમાં થતા કુલ મોતમાં 30% હૃદય સંબંધિત બીમારીથી.
દર 5મા ગુજરાતીને હાઇપરટેન્શન.
શ્ર્વસન : શ્ર્વસન સંબંધિત ઇન્ફેક્શન-રોગથી 18% મોત. ટીબીના વર્ષે 1 લાખ કેસ, 6 હજાર મોત.
કેન્સર : વર્ષે સરેરાશ 75 હજાર કેસ, 35 હજાર મોત કેન્સરથી. કુલ મૃત્યુમાં હિસ્સો 6 ટકા.
મેદસ્વિતા : 21 લાખથી વધુ મેદસ્વિતાથી પીડિત. પેટ-આંતરડા સંબંધિત રોગથી 5%ના મોત.
ડાયાબિટીસ : 70 લાખ દર્દી, 3.5% મૃત્યુનું કારણ ડાયાબિટીસ, 20% બાળકો પ્રિ-ડાયાબિટીક.
ડિપ્રેશન : દર લાખે 4-5 હજાર ગુજરાતીઓ ડિપ્રેશનનો શિકાર, જીવનશૈલી મુખ્ય કારણ.
14% મોત યુવાન : 2020-23માં કુલ 22 લાખ મૃત્યુ નોંધાયા, 14%ની ઉંમર 34 વર્ષથી નાની
મુખ્ય 10 દવા : 200 કરોડ કફ શરદીમાં, 636 કરોડ દુ:ખાવા માટે, વિટામિનમાં 928 કરોડ
દવા-કેટેગરી 2021 2025 વધારો
કાર્ડિયાક(હૃદય) 1142 1698 49%
એન્ટી ઇન્ફેક્શન 1182 1139 -4%
ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ(પેટ) 726 1127 55%
એન્ટી ડાયાબિટિસ 806 1055 31%
વિટામિન 658 928 40%
ન્યૂરો-ઈગજ(મગજ) 475 772 62%
શ્ર્વસન સંબંધિત 578 748 30%
દુ:ખાવો/પેઇનકિલર 442 636 44%
કફ-શરદી 165 199 20%
ડિપ્રેશન-મૂડ 84 136 62%
(આંકડા કરોડ રૂપિયામાં)



