17મા વર્ષે ’ક્લબ યુવી’ પારિવારિક માહોલમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો નવરાત્રી મહોત્સવ યોજશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં પરિવારિક અને સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રીની ઉજવણી માટે જાણીતી સંસ્થા ’ક્લબ યુવી’ દ્વારા તેના 17મા વર્ષના નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરિત આ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 દરમિયાન ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં યોજાશે.
આ વર્ષે ક્લબ યુવીએ ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રી માણવા પર ખાસ ભાર મૂક્યો છે. આયોજકોએ જણાવ્યું કે, 1,40,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં 12,000 ખેલૈયાઓ ગરબે રમી શકશે અને 30,000 દર્શકો બેસીને આનંદ માણી શકશે. મહોત્સવમાં હાઈટેક સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક લાઇટિંગ અને કઊઉ ડિસ્પ્લેની વ્યવસ્થા કરવામાં આવી છે.
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે સૌરાષ્ટભરમાં સૌથી મોટી નવરાત્રી આયોજન ગણાતા શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી’ નવરાત્રી મહોત્સવ નવા રંગ રૂપ સાથે કલબ યુવી નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા ની ટીમ સાથે 15 સભ્યોની કોર કમિટીમાં દિનેશભાઇ ચાપાણી, હર્ષિતભાઈ કાવર, હરીભાઈ કલોલા, રજનીભાઈ ગોલ, અતુલભાઈ ભુત, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, યોગેશભાઈ કાલરીયા, વસંતભાઈ કનેરીયા, ચંદ્રેશભાઈ શીરા, દિલીપભાઈ ઝાલાવડીયા, હસુભાઈ નાર, ચેતનભાઈ ભુત, કિશન સીણોજીયા, જય કડીવાર ઉપરાંત 91 સભ્યની કમિટી સાથે મળીને તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ખેલૈયાઓની સુરક્ષા માટે આયોજકોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મોબાઇલ એપ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાશે અને ફેસ ડિટેક્શન ટેકનોલોજીથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે કોઈ ખેલૈયો મેદાનની બહાર નીકળશે ત્યારે તેના વાલીને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
નવરાત્રી મહોત્સવમાં મયુર બુધ્ધદેવ, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડિયા જેવા જાણીતા કલાકારો પોતાના સૂર રેલાવશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ક્લબ યુવીની વેબસાઈટ, યુટ્યુબ અને ફેસબુક પર પણ થશે. ખેલૈયાઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. વધુ માહિતી માટે અને સિઝન પાસ માટે ક્લબ યુવીની એપ ડાઉનલોડ કરવા અથવા કાર્યાલયનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. ક્લબ યુવીનો આ નવરાત્રી મહોત્સવ પાટીદાર સમાજ સહિત તમામ સમાજ માટે એક પર્વ બની રહેશે.



