સમાજ સેવા સાથે ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ, આગલા નવરાત્રિ મહોત્સવની જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ અને મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રીતે જીવનનગર કા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવ ઉજવાયો હતો. આ મહોત્સવમાં મહાઆરતી, પૂજા-અર્ચના અને અન્નકુટ દર્શન યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ભક્તિરસનો અનુભવ કર્યો હતો.
ભાજપ વોર્ડ નં. 10 ના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી સાથે વિનોદરાય ભટ્ટ, કેતનભાઈ મકવાણા અને પાર્થ ગોહેલે મહાઆરતીમાં ભાગ લીધો હતો. અન્નકુટ દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભગવાનના ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડ્યાએ મહેમાનોનું સ્વાગત કરી માનવતાલક્ષી કાર્યો અંગે વિગત આપી હતી. તેમણે આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન બાળાઓ માટે વિવિધ રાસ-ગરબા કાર્યક્રમો યોજાશે તેની જાહેરાત પણ કરી હતી. મંદિરની સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે અન્નકુટ, મહાઆરતી, દીપમાળા અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સેવા કાર્યોની વિસ્તૃત માહિતી આપી દાતાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અંકલેશ ગોહિલ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, વિજયભાઈ જોબનપુત્રા, દિલીપભાઈ ચૌહાણ, કેતન મકવાણા, વિપુલ પંડયા, ભાવેશ બુંદેલા, સંજય ધકાણ તથા મહિલા મંડળમાંથી શોભનાબેન ભાણવડિયા, હર્ષાબેન પંડયા વકીલ, યોગિતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, ભકિતબેન ખખ્ખર, કિર્તિબેન કગથરા, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા અને નેહાબેન મહેતા સહિત રહિશોએ ઉપસ્થિત રહી ધાર્મિક માહોલને ભાવભર્યો બનાવ્યો હતો.