ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
આજે બપોરે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાંથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સહિતના હોદેદારોની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા ‘ગુજરાત જોડો અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલનું કાલે અમદાવાદમાં આગમન થયુ હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો ભાજપથી નારાજ છે. અને હવે પરિવર્તન માંગે છે. વિસાવદરની ચૂંટણી સેમી ફાઇનલ હતી. હવે ર0ર7 માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફાઇનલ જંગ જામશે. હવે લોકો પાસે આમ આદમી પાર્ટી વિકલ્પ છે. કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ભાજપને જીતાડવાનું કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સંગઠનને વધુ મજબુત કરવા માટેઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા અમદાવાદ ખાતે “ગુજરાત જોડો સદસ્યતા અભિયાન” શરૂઆત કરાઇ છે.
- Advertisement -
અમદાવાદ ખાતે ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, જામ જોધપુર ધારાસભ્ય હેમંત ખવા, વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા ગુજરાત જોડો સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહયા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ 13 એપ્રિલે વિસાવદર ખાતે પ્રદેશ સંમેલનનું આયોજન કર્યું હતું. પ્રદેશ સંમેલનમાં અમે ત્રણ લક્ષ્યાંક નક્કી કર્યા હતા. પહેલું લક્ષ્યાંક હતું વિસાવદરની પેટા ચૂંટણી જીતવી. બીજું લક્ષ્યાંક હતું સંપૂર્ણ તાકાત સાથે આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી લડવી અને સ્થાનિક સ્તરે ભાજપને જવાબ આપવો. ત્રીજું લક્ષ્યાંક હતું ભાજપની ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ચાલી રહેલી સરકાર અને ભ્રષ્ટાચાર તથા ડરના શાસનને બદલીને ગુજરાતમાં પરિવર્તન લાવવા અને જનતાની સરકાર સ્થાપિત કરવી. આમાંથી પહેલું લક્ષ્યાંક અમે હાંસલ કરી લીધું છે. વિસાવદરની જનતાએ અમને ખુબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા જેના કારણે અમે ગયા વખતે કરતા ત્રણ ગણી બહુમતીથી જીત્યા અને સમગ્ર ગુજરાતમાં સંદેશો ગયો કે ગુજરાતમાં બદલાવ શકય છે. વિસાવદરની ચૂંટણી માત્ર ભાજપના ઉમેદવાર સામે ન હતી, આખી ભાજપ સરકાર મેદાનમાં ઉતરી હતી. પૈસા, સત્તા, આખું તંત્ર, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મુખ્યમંત્રી સહીત તમામ લોકો મળીને વિસાવદરની ચૂંટણી લડી રહ્યા હતા. પણ જ્યારે જનતાએ મન બનાવી લીધું ત્યારે વિસાવદરની જનતાએ સ્પષ્ટ સંદેશો આપી દીધો કે હવે ગુજરાતના લોકો ભાજપની નીતિ અને સરકારમાંથી મુક્તિ ઈચ્છે છે. વિસાવદરની જનતાએ એ પણ સ્પષ્ટ સંદેશો આપ્યો કે જો સમગ્ર સમાજના લોકો એક થાય તો ભાજપને હરાવી શકાય છે.
ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડી લીધા હતા અને આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય તોડી લીધો હતો. જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો કર્યો નહીં, પણ જ્યારે વિસાવદરની બેઠક આવી ત્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો કર્યો. કોંગ્રેસે વોટ કાપવા માટે આ કામ કર્યું હતું, પણ આમ આદમી પાર્ટી લોકોના દિલમાં મજબૂત વિકલ્પ બની ગઈ છે.
- Advertisement -
અમદાવાદથી ‘આમ આદમી પાર્ટી’ દ્વારા ‘ગુજરાત જોડો અભિયાન’નો પ્રારંભ: અઅઙના રાષ્ટ્રીય સંયોજક સહિત હોદ્દેદારોની હાજરી: ગુજરાતનાં તમામ ઝોન, જિલ્લા અને વિધાનસભા સ્તરનાં આગેવાનોને કેજરીવાલ મળશે



