GIDCમાં થતા ડિસ્કો તેલનું નિર્માણ જગજાહેર છતાં તંત્ર સાવ મૌન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
રાજ્યમાં નકલી અધિકારીઓ, ટોલટેક્ષ, કોર્ટ, સ્કૂલ હોસ્પિટલ પૂર્વે નકલી ખાદ્યપદાર્થ ચીજવસ્તુઓ મળતી થઈ છે. જેમાં નકલી અને બિન આરોગ્યપદ ખાધ પદાર્થની લીધે રાજ્યમાં ફૂડ સેફ્ટી વિભાગ પણ નીમવામાં આવ્યો છે પરંતુ આ ફૂડ અને સેફ્ટી વિભાગ અને તેના અધિકારીઓ માત્ર એ.સી ઓફિસમાં બેસીને ગપાટા મારવા સિવાય ભાગ્યે જ પોતાની કામગીરી કરતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડિસ્કો તેલનું નિર્માણ અને વેચાણ થઈ રહ્યું છે જેમાં વઢવાણ જીઆઇડીસીમાં ચાલતા નકલી તેલના વેપાર પર આગાઉ પણ દરોડા થઈ ચૂક્યા છે છતાં પણ આ ધંધો આજેય ચાલી રહ્યો છે. વઢવાણ જીઆઇડીસી ખાતે નિર્માણ થતા નકલી તેલના ખુબ જ હાનિકારક કેમિકલ મિક્સ કરીને ખાધતેલનું નિર્માણ કરવામાં આવે છે. લાંબી પ્રોસેસ બાદ જ્યારે ખાધતેલ તૈયાર થઈ જાય ત્યારે જે તે કંપનીના લેબલ સાથે તેલને માર્કેટમાં હોલસેલ ભાવે વેચાણ કરવામાં આવે છે જેમાં હોલસેલ તેલના વેપારીઓ મોટા પ્રમાણમાં તેલના ડબ્બા ખરીદી કરે છે અને બાદમાં દુકાનો મારફતે લોકોના ઘર સુધી આ મંદઝેરી ખાધતેલ પહોંચે છે. આશરે 800થી 1000 રૂપિયાના ભાવે પ્રતિ 15 લિટર નકલી ખાધતેલનો ડબ્બો હોલસેલમાં વેપારીઓ જીઆઇડીસી ખાતેથી ખરીદી કરે છે જે બાદ બજાર ભાવ ચાલતા હોય તે પ્રકારે બે હજાર રૂપિયા કરતા વધુ ભાવથી તેલનો ડબ્બો વેચાણ થાય છે.
- Advertisement -
આ આખોય નકલી તેલ બનાવવાની પ્રોસેસમાં કેટલોક હિસ્સો ઘાટ તેલનો પણ નીકળે છે જે તેલને મહિલો જે પાણીપુરી શોખથી ખાય છે તે પકડીને તળવા માટે ઉપયોગમાં લેવાય છે મોટાભાગે આ છેલ્લે બચેલું તેલ પાણીપુરીના ધંધાર્થીઓ આશરે 500 રૂપિયા પ્રતિ ડબ્બાના ભાવે ખરીદે છે. એમાંય વળી જીઆઇડીસીમાં જે પ્રકારે તેલનો ઓર્ડર હોય જેમ કે કપાસિયા અથવા સિંગતેલ તેના માફક એસેન્સ નાખી આખાય તેલનું નિર્માણ કરાય છે જેમાં અગાઉ જિલ્લા એસ.સી.બી દ્વારા નકલી તેલની ફેક્ટરીમાં દરોડો કરી એક રાજકીય નેતાના નિકટને આ બોગસ તેલન મોટા પ્રમાણમાં જથ્થા સાથે ઝડપી લીધા હતા જેના તાર જિલ્લાભરમાં હતા અને અહીંથી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નકલી તેલની ડિલિવરી થઈ હોવાનું સામે આવતું હતું જોકે જિલ્લા એલ.સી.બીને આ નકલી તેલના વેપારમાં પગ નહીં ઠહેરતા લપટીને પડ્યા હતા. જે બાદ આશરે એકાદ વર્ષ પૂર્વે પુરવઠા શાખા દ્વારા જીઆઇડીસીમાં લગભગ પાંચેક તેલના ગોડાઉન અને કારખાના પર દરોડો કરી સેમ્પલ લીધા હતા પરંતુ આ સેમ્પલનું હજુ સુધી પુથુકરણ થયું છે કે કેમ ? અને જો થયું હોય તો કેટલા વેપારીઓના સેમ્પલમનો રિપોર્ટ શું આવ્યો ? તે અંગેની વિગત જાહેર કરાઈ નથી. વઢવાણ જીઆઇડીસીમાં ચાલતા આખાય નકલી તેલના કારોબારમાં મહિને લાખો અને વર્ષે કરોડોનું ટન ઓવર હોવાની સાથે રાજકીય ઓથના લીધે તંત્ર પણ જોઈ જાણીને આંખ આડા કાન કરતું હોય તેવું નજરે પડે છે.