250 જેટલા દર્દીઓએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરના ટાવર પાસે આવેલ કુંમાર શાળા નંબર- 1 ખાતે નવનાત સમસ્ત વણિક સમાજ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વાસંતીબેન નવીનચંદ્ર સોનીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન નવીનચંદ્ર શાંતિભાઈ સોની તથા આશિષભાઇ સોનીના હસ્તે કરાયું હતું. આ કેમ્પ સવારના 9 થી 1 સુધી યોજવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાંપરડા સ્થિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડોક્ટર ટીમ દ્વારા સેવાઓ આપી હતી. આ કેમ્પમાં આંખના રોગના નિષ્ણાંત, ઓર્થોપેડીક, કાન-નાક ગળાના નિષ્ણાંત, એમ.ડી. પેથોલોજી લેબોરેટરી વિભાગ, એમ.ડી. ફિઝિશિયન, દાંતના રોગના નિષ્ણાંત સહિત વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરોએ સેવાઓ બજાવી હતી.
- Advertisement -
ને તમામ દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવેલ હતી. 250 જેટલા દર્દીઓએ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં પધારેલ ડોક્ટર્સ ટીમ તથા મહેમાનોનું નવનાત વણીક સમાજ દ્વારા મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજુલામાં પ્રથમવાર નવનાત સમસ્ત વણીક સમાજ દ્વારા સેવાકીય કાર્યનું સુંદર આયોજન કરાયું હતું. આ તકે નવનાત સમસ્ત વણિક સમાજના પ્રમુખ સુરેશભાઇ તારાપરા, રસિકભાઇ પારેખ, ઉમેશભાઇ મોદી, ગીતાબેન સંઘવી, જીયાબેન શેઠ, વાસંતીબેન નવીનચંદ્ર સોની, બીપીનભાઇ મહેતા, સુરેશભાઇ સોની, પિયુષભાઇ મહેતા, આશિષભાઇ સોની, સંજયભાઇ શાહ, વિપુલભાઇ લહેરી, વીનુભાઇ વોરા તેમજ વણીક સમાજના આગેવાનો- અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કેમ્પને સફળ બનાવવા માટે નવનાત સમસ્ત વણિક સમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી…