યુવતીના ભાઈ અને છેડતી કરનાર શખ્સ વચ્ચે થઈ હતી માથાકુટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખડે ગઈ હોય તેમ નજરે પડે છે છેલા ત્રણેક મહિનાથી દરેક તહેવાર અને પર્વ નિમિતે વારંવાર માથાકુટ થવાના કિસ્સા પ્રકાશમાં આવે છે તેવાં આ વખતે ધૂળેટી પર્વ પણ રક્તથી રંગાયો હતો. થાનગઢ તાલુકાના સરોળી ગામે છેડતી બાબતે યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર થાનગઢ તાલુકાના સરોળી ગામે સુરેશભાઈ નામના ઈસમે યુવતીની છેડતી કરી હતી જે અંગે યુવતીના ભાઈ ગોપાલભાઈ વિનુભાઈ મેટાલિયા દ્વારા ઠપકો આપવા જતા બંને વચ્ચે માથાકુટ થઈ હતી જેમાં મનસુખભાઇ ભુપતભાઈ સરવૈયા દ્વારા બંને વચ્ચે પડતાં ગોપાલભાઈ મેટાલિયાએ છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા મનસુખભાઇ સરવૈયાને લાગી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવમાં મનસુખભાઇ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા પરંતુ અહીં હાજર તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરાયા હતા જેથી યુવાનની લાશને પીએમ અર્થે ખસેડવા આવી હતી. આ તરફ ઘટનાની જાણ થતા જ થાનગઢ પોલીસ મથકના પીઆઇ વી.કે.ખાંટ સહિતની ટીમ સરોળી ગામે પહોંચી તપાસ હાથ ધરી હત્યાના બનાવમાં વધુ પ્રત્યાઘાતો ન પડે તે અંગેની તકેદારી રાખી હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.