ઇથેનોલના વપરાશને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કરી સત્તાવાર જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં બાયો-ઇંધણ એટલે કે ઇથેનોલના વપરાશ અને અપનાવવાની ગતિને તેજી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝફર્સ્ટના અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકાર સંચાલિત સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (ઘખઈત) દ્વારા બજારમાં ટૂંક સમયમાં જ ‘ઊ85’ ફ્યુઅલ રજૂ કરવામાં આવશે. આ ખાસ પ્રકારનું ઇંધણ સામાન્ય પેટ્રોલની સરખામણીએ પ્રતિ લીટર રૂપિયા 20 ના માતબર ડિસ્કાઉન્ટ એટલે કે સસ્તા ભાવે ગ્રાહકોને વેચવામાં આવશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઊ85 ફ્યુઅલ એ 85% ઇથેનોલ અને 15% પેટ્રોલનું એક વિશેષ મિશ્રણ છે. સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ મિશ્રિત આ બળતણની ઉર્જા કાર્યક્ષમતા (એનર્જી એફિશિયન્સી) થોડી ઓછી હોય છે. આ ઓછી ઉર્જા કાર્યક્ષમતાના કારણે વાહન ચાલકોને થતા સામાન્ય નુકસાનની ભરપાઈ કરવાના હેતુથી અને ગ્રાહકો આ ઇંધણ તરફ વધુ આકર્ષાય તે માટે સરકાર દ્વારા પ્રતિ લીટર રૂપિયા 20 નું મોટું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલાંથી દેશમાં ઇથેનોલ એડોપ્શનની પ્રક્રિયાને મોટો વેગ મળશે.
સરકાર દ્વારા આ નવું બળતણ દેશભરમાં તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરાવવાનું એક ચોક્કસ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજનાના પ્રથમ ચરણ હેઠળ, ચાલુ વર્ષ 2026 ના અંત સુધીમાં દેશના 500 ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપો) પર ઊ85 ઇંધણ મળતું થઈ જશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા ચરણમાં આ નેટવર્કનો વ્યાપક વિસ્તાર કરીને વર્ષ 2027 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં 5,000 જેટલા આઉટલેટ્સ પર આ સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પેટ્રોલમાં 20%થી વધુ ઈથેનોલ ભળે તો વાહનનું શું થશે? ભારે મૂંઝવણ
- Advertisement -
દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઈથેનોલ બ્લેન્ડિંગ એટલે કે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ સતત વધારી રહી છે. હાલમાં ભારતમાં મોટાભાગની કંપનીઓ ઈ20 એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી ચાલી શકે તેવા વાહનો વેચી રહી છે.
જોકે, સરકારે તાજેતરમાં જ ઊ22 થી લઈને ઊ30 સુધીના વધુ ઈથેનોલ મિશ્રણવાળા ઈંધણના નવા ધોરણો જાહેર કર્યા હોવાથી કરોડો વાહનચાલકોના મનમાં ચિંતા છે કે તેમના વર્તમાન વાહનોનું ભવિષ્ય શું હશે.
સામાન્ય રીતે વાહન ઉત્પાદકો એન્જિનને ચોક્કસ નિર્ધારિત મિશ્રણ માટે જ પ્રમાણિત કરતાં હોય છે. જો ઊ20 ક્ષમતાવાળા વાહનમાં તેનાથી વધુ ઈથેનોલવાળું પેટ્રોલ લાંબા સમય સુધી વાપરવામાં આવે તો એન્જિનની રબરની સીલ, ગેસ્કેટ, ફ્યુઅલ પંપ અને ઈન્જેક્ટર્સ જેવા ભાગોને મોટું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઈથેનોલ હવામાંથી ભેજને ઝડપથી શોષી લેતું હોવાને કારણે વાહનની માઈલેજ અને એન્જિનના લાંબાગાળાના આયુષ્ય પર પણ માઠી અસર પડી શકે છે.
આ સમસ્યાના ઉકેલ તરીકે વાહનને અપગ્રેડ કરવાની વાત કરીએ તો, ઊ20 વાહનને ઊ30 એટલે કે 30 ટકા ઈથેનોલ સુધી લઈ જવું ટેકનિકલી ઘણું સરળ છે. એન્જિન કંટ્રોલ યુનિટના રી-કેલિબે્રશન અને ફ્યુઅલ સિસ્ટમના સામાન્ય ફેરફારથી આ શક્ય બની શકે છે, પરંતુ આ માટે ઓટો કંપનીઓની સત્તાવાર મંજૂરી અને ટેસ્ટિંગ જરૂરી રહેશે કારણ કે હાલમાં બજારમાં આવી કોઈ સાર્વત્રિક ક્નવર્ઝન કિટ ઉપલબ્ધ નથી. બીજી તરફ વાહનને સીધું E85 એટલે કે 85 ટકા ઈથેનોલ પર ચલાવવા માટે આખી ફ્યુઅલ સિસ્ટમના હાર્ડવેર બદલવા પડે જે ખૂબ જ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે.



