કોકરોચ પાર્ટીએ કહ્યું- અમે ભલે કીડા-મકોડા પણ લડવામાં સક્ષમ છીએ: દિલ્હીમાં પ્રદર્શન
અભિજીતે કહ્યું- હિંદુ-મુસલમાનની રાજનીતિ કરવાથી નોકરી મળતી નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગઊઊઝ પેપર લીક સહિત અન્ય પરીક્ષાઓમાં ગડબડીને લઈને કોકરોચ જનતા પાર્ટી (ઈઉંઙ) દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહી છે.
ઈઉંઙ ફાઉન્ડર અભિજીત દીપકેએ કહ્યું- ભારતમાં આવતા જ લાગ્યું કે આ મારી આઝાદીની છેલ્લી પળ છે. સરકાર અમારી પોસ્ટ હટાવી શકે છે, અમને નહીં.
અભિજીત સાથે હજારો પ્રદર્શનકારીઓ વિરોધમાં સામેલ છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને યુવાનો છે. કેટલાક વૃદ્ધો પણ પોતાના બાળકો સાથે વિરોધ કરવા આવ્યા.
આ દરમિયાન એક વ્યક્તિ ઈઉંઙના વિરોધમાં હિટ લઈને આવ્યો. તેને બહાર કાઢી દેવામાં આવ્યો. ત્યાં પ્રદર્શનવાળી જગ્યા પર નેટવર્કની સમસ્યા છે.
આ પ્રદર્શન ઈઉંઙ ફાઉન્ડર અભિજીત દીપકેની આગેવાનીમાં થઈ રહ્યું છે. અભિજીત શનિવારે સવારે અમેરિકાથી દિલ્હી પાછા ફર્યા. તેઓ એરપોર્ટથી સીધા પ્રદર્શન કરવા પહોંચ્યા.
દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (ઈઉંઙ)ના પ્રદર્શન દરમિયાન પોલીસે 6 લોકોની અટકાયત કરી. પોલીસને માહિતી મળી હતી કે પ્રદર્શનના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે તણાવ થઈ શકે છે. તેના કારણે કેટલાક લોકોને સાવચેતીના ભાગરૂપે અટકાયતમાં લેવામાં આવ્યા.



