અખબારમાં લપેટીને અપાતું ભોજન કેન્સરને આમંત્રણ આપે છે: FSSAIએ મૂક્યો પ્રતિબંધ
દેશભરનાં ખાદ્ય વિક્રેતાઓ રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ વગેરે માટે કડક ચેતવણી જારી કરાઈ: તમામ રાજ્ય સરકારોને અમલ માટે જણાવાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
હવે સડક પરના લારી-ગલ્લાથી લઈ ખાદ્યપદાર્થ વેચતા તમામ વ્યાપારીઓ માટે અખબારી કાગળમાં ભોજન કે નાસ્તો પીરસવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દેવાયો છે. ગરમાગરમ સમોસા કે વડાપાઉ અથવા તો કોઈપણ પ્રકારનું ભોજન કોઈપણ ખાદ્યપદાર્થના વિક્રેતા અખબારના કાગળમાં પેક કરીને પણ આપી શકશે નહી. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઋજજઅઈં) એ હવે આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર, ઋજજઅઈંએ દેશભરના તમામ ખાદ્ય વિક્રેતાઓ, રેસ્ટોરન્ટ માલિકો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ અને ખાદ્ય વ્યવસાય સંચાલકોને કડક ચેતવણી જાહેર કરી છે, જેમાં તાત્કાલિક અસરથી અખબારમાં ખાદ્ય પદાર્થોનું પેકેજિગ અથવા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સત્તામંડળે દેશભરના રેસ્ટોરન્ટ માલિકો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, કેટરર્સ, ક્લાઉડ કિચન, ફૂડ સ્ટોલ અને અન્ય ખાદ્ય વ્યવસાય સંચાલકોને તાત્કાલિક ખાદ્ય પદાર્થો માટે છાપાનો ઉપયોગ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુંબઈમાં તાજેતરમાં કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં એક ખૂબ જ પ્રખ્યાત વડાપાવ વિક્રેતા ગ્રાહકોને અખબારમાં ખોરાક પીરસતો અને પેકિગ કરી આપતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ પશ્ર્ચિમી ઝોન અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) એ સંયુક્ત રીતે દુકાન સામે કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશનો અનાદર કરનાર કોઈપણ દુકાનદાર કે વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ આદેશ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન, કેટરર્સ, ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ, ફૂડ સ્ટોલ, નાના દુકાનદારો, મોબાઇલ ફૂડ વિક્રેતાઓ, ફેરિયાઓ વગેરે પર લાગુ થશે.
ઋજજઅઈં એ આ પાછળના ગંભીર કારણો દર્શાવ્યા છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, અખબાર છાપવામાં વપરાતી શાહીમાં વિવિધ હાનિકારક રસાયણો, રંગો, રંગદ્રવ્યો અને સીસા જેવી ભારે ધાતુઓ હોય છે. જ્યારે ગરમ ખોરાક અખબાર પર મૂકવામાં આવે છે, ત્યારે આ શાહી પીગળી જાય છે અને ખોરાક સાથે ભળી જાય છે. લાંબા સમય સુધી આવા દૂષિત ખોરાક ખાવાથી શરીરમાં આ ધીમી ઝેરી અસર એકઠી થાય છે, જેનાથી ગંભીર બીમારીનો ભય રહે છે.
ઋજજઅઈં એ સામાન્ય લોકોને આ ઝૂંબેશમાં સતર્ક રહેવા વિનંતી કરી છે. ઓથોરિટીએ સલાહ આપી છે કે જો તમે કોઈપણ દુકાન, રેસ્ટોરન્ટ અથવા શેરી વિક્રેતા પર અખબારમાં લપેટીને ખોરાક પીરસવામાં આવતો જુઓ તો સતર્ક રહો. નિયમોનો કડક અમલ સુનશ્ર્ચિત કરવા માટે ઋજજઅઈં અને રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગો સતત દેખરેખ અને આરૂર્યજનક નિરીક્ષણ કરશે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા કોઈપણ દુકાનદારને ફૂડ સેફટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.



