વૃદ્ધ વેપારીએ તેના પૂર્વ જમાઈ સહિતના બે શખ્સો સાથે મળી રાજકોટમાં કંપની ચાલું કરી હતી: બેંકમાં પડેલ રકમ પણ આરોપીઓ ઓળવી ગયાં: ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ
વેપારીની પુત્રી અને આરોપીના છૂટાછેડા થતાં કંપનીના બંને ડિરેક્ટરોએ આચરેલું કૌભાંડ
વેપારીની જાણ બહાર તેનું રાજીનામું ગોંડલ બેંકમાં રજૂ કરી અન્ય ડિરેક્ટરો નિમી દિધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી રૂ.85.59 લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ ગોંડલ પોલીસમાં નોંધાઈ છે. 71 વર્ષીય વેપારી પોપટલાલ પટેલે તેના પૂર્વ જમાઈ સહિતના બે શખ્સો સાથે મળી રાજકોટમાં ઈન્સ્કીન ઈમ્પ્રેશન કંપની ચાલું કરેલ હતી, તે સમયના જમાઈ ધોરાજીના અરવિંદ સોજીત્રાને રૂ.43 લાખની મદદ કરી હતી તે અને બેંકમાં જમા રકમ આરોપીઓ ઓળવી ગયાં હતાં.
બનાવ અંગે માણાવદરમાં એસ.બી.એસ.કોલોની મેઈન રોડ પર રહેતા પોપટલાલ રણછોડભાઈ પટેલ ઉ.71એ ધોરાજીના અરવિંદ નરશી સોજીત્રા અને રાજકોટના બીપીન મોહન માવાણી સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસમાં છેતરપીંડી સહિતની કલમ હેઠળ નોંધાવેલી
ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ માણાવદર-મીતડી રોડ ઉપર આવેલ કુલદીપ જીનીંગમાં કપાસ ખરીદ વેચાણની પટેલ પોપટલાલ રણછોડભાઈ નામની પેઢીમાં વેપાર કરે છે. તેઓને સંતાનમાં પુત્ર-પુત્રી છે અને પુત્રીના લગ્ન અરવિંદ સોજીત્રા સાથે થયેલ હતા. તેની સાથે તા.23/07/2021 ના છુટાછેડા કોર્ટ મારફતે થયેલ છે. છુટાછેડા થયેલ તેના ત્રણ વર્ષ અગાઉ વર્ષ 2017-2018 થી તેઓની પુત્રી રીસામણે આવી ગયેલ હતી. ત્યારબાદ તેઓની પુત્રીના પુન:લગ્ન કરતા હાલ સુરત સાસરે છે આરોપી અરવિંદ સોજીત્રા સામે વર્ષ 2024 માં આર્મ્સ એકટ હેઠળનો અને ત્યારબાદ થોડા વર્ષો બાદ ભકિતનગર પોલિસ સ્ટેશનમાં ગાળાગાળી અને મારામારીનો ગુનો નોંધાયેલ તેમજ દિકરીના લગ્ન થયા ત્યારે શરૂઆતમા આરોપી ત્રણેક વર્ષ અમદાવાદ રહેલા ત્યાર બાદ રાજકોટ રહેવા આવેલા ત્યાં તેનો જુનો પ્રીન્ટીંગ પ્રોસેસીંગનો ધંધો શરૂ કરેલ પરંતુ અરવિંદને દારૂ પીવાની આદત હોય અને ઉગ્ર સ્વભાવ હોય જેથી તેનો ધંધો બંધ થઈ ગયેલ હતો આરોપી તેઓનો જમાઈ થતા હોય જેથી તેને ધંધામા આગળ લાવવા માટે દિકરી અને આરોપીનુ લગ્નજીવન ચાલુ હતુ તે દરમ્યાન ફરિયાદીએ બન્ને આરોપીઓ સાથે મળીને ઈન્સ્કીન ઈમ્પ્રેશન પ્રા. લી. કંપની તા.16/7/2014 ના શરૂ કરેલ હતી. જેમાં ત્રણેય ડિરેકટર તરીકે હોય જે પૈકી ફરીયાદીનો 33.33% હિસ્સો, અરવિંદ સોજીત્રાનો 33.33% હિસ્સો અને બીપીનનો 33.34% હિસ્સો આવેલ છે.
ફરીયાદીએ પેઢી પટેલ પોપટલાલ રણછોડભાઈના એકાઉન્ટમાંથી વર્ષ 2014 થી 2017 દરમ્યાન કટકે કટકે રૂા.7 લાખ ટ્રાન્સફર કરી આર્થિક મદદ કરેલ હતી. તેમજ ઈ-સ્ક્રીન ઈમ્પ્રેશન કંપનીના બેંક ખાતામાં વર્ષ 2016 થી 2018 દરમ્યાન કટકે કટકે રૂ.35.59 લાખ ટ્રાન્સફર કરી કંપનીમા રોકાણ કરેલ હતું. તેમજ ફરીયાદીના પુત્રવધુ અને પુત્રના બેંક ખાતામાથી ઈન્સ્કીન ઈમ્પ્રેશન કંપનીમાં રૂ.8 લાખ ટ્રાન્સફર કરી કંપનીમા રોકાણ કરેલ છે. તેમ તેઓના પરિવારનુ ઈ-સ્ક્રીન ઈમ્પ્રેશન કંપનીમા કુલ રૂ. 43.59 લાખનુ રોકાણ કરવામા આવેલ છે તેમજ કંપની શરૂ કરી તે વખતે આરોપી બીપીને રૂ. 18.59 લાખનું તેમજ અરવિંદ સોજીત્રાએ રૂ. 40.34 લાખનુ રોકાણ કરવામા આવેલ જે પૈકી ફરીયાદીએ અરવિંદને કુલ રૂ.35 લાખ રોકડા આપેલા જે પૈકી કોઈ રકમ આરોપીએ આજ સુધી પરત ચુકવેલ નથી. જેથી આરોપીએ કંપનીમા કુલ રૂ.5.34 લાખનું રોકાણ કરેલ હતુ. કંપનીના ત્રણેય ડિરેકટરોએ કોઠારીયાની સ્થાવર મિલકત સેન્ટ્રલ બેંકની ગોંડલ શાખામા મોર્ગેજ કરી રૂા.15 લાખની કેશ ક્રેડીટ તથા રૂ.1.32 કરોડની ફ્રેશ ટર્મ લોન મળી કુલ રૂ. 1.47 કરોડની લોન લીધેલ હતી પરંતુ કંપનીમા વહીવટ કંપનીના ડિરેકટર તરીકે બંને આરોપી જ કરતા હોય પરંતુ કંપનીને લગતા બધા જ ડોક્યુમેન્ટસ જેમ કે, હિસાબી સાહીત્ય, શેરબુક, ચેકબુક, રજીસ્ટ્રરો વિગેરે કંપનીના ડિરેક્ટર તરીકે આરોપી અરવિંદ તેની પાસે રાખતો હતો. તા.3/8/2020 સુધી અરવિંદ સોજીત્રા ફરીયાદીના જમાઈ થતા હોવાથી પારીવારીક સબંધો હતા. તેઓની દિકરી સાથે તેના છુટાછેડા થતા પારીવારીક સબંધોનો અંત આવેલ હતો, પરંતુ કંપનીમા અમો ફરીયાદીતેઓ ડિરેકટર તરીકે ચાલુ હતા બાદમાં કંપનીના ડિરેકટર બંને આરોપી ધંધો સંભાળી નહી શકતા સેન્ટ્રલ બેંક ગોંડલ શાખાએ તા.29/2/2024 ના તા.31/7/2023 ની સ્થિતિએ રૂ.42,74,316 તથા તેની ઉપરનુ વ્યાજ સાહિતનું દેણું કંપની ઉપર થયેલ હોય જેથી કંપનીએ લોન લેતી વખતે બેંકમા મોર્ગેજ કરેલ મિલકતની હરરાજી કરી વસુલાત કરવા માટે જાણ કરેલ હતી. ત્યારબાદ કંપનીની મોર્ગેજ રહેલ મિલકતની બેંક દ્રારા હરરાજી કરી વેચાણ કરી નાખવામા આવેલ અને તેમાથી ઉપજેલ રકમમાથી બેંકે કંપની ઉપર રહેલ દેણાની રકમ બાદ કરી વધતી રકમ ખાતામા જમા રાખેલ હતી.
જે અંગેની તેઓને જાણ થતા ગોંડલમાં આવેલ સેન્ટ્રલ બેંકની શાખાએ રૂબરૂ ગયેલ ત્યારે બેંક મેનેજર દ્રારા જણાવવામા આવેલ કે, મિલકતની હરરાજીમાથી ઉપજેલ રકમમાથી લોનની રકમ બાદ વધતી રકમ આશરે રૂા.75 લાખ બેંકની મેઈન બ્રાંચમાં જમા પડેલ છે. તેમજ જણાવેલ કે, કંપનીના અન્ય ડિરેકટરો બેંકમા આવેલ ત્યારે વાત કરતા હતા કે, તમે કંપનીમાથી ડિરેકટર 5દેથી રાજીનામુ આપેલ છે પરંતુ હજુ સુધી રાજીનામાની નકલ રજુ કરેલ નથી ત્યારબાદ તેઓએ બેંક મેનેજરને નોટિસ મોકલી તેઓની બોગસ સહી વાળુ કોઈ રાજીનામુ આરોપીઓ દ્વારા બેંકમા રજુ થાય તો જાણ કર્યા વગર કોઈપણ જાતની કાર્યવાહી કરવી નહી, તેમજ કંપનીની સ્થાવર મિલકતનુ બેંક દ્રારા હરરાજીથી વેચાણ કરી બેંકની કાયદેસરની લેણી રકમ વસુલ થયા ઉપરાંતની વધારાની રકમ બેંકમા જમા હોય તેની ત્રણેય ડિરેક્ટર રૂબરૂ અથવા સંમતિ વગર તે રકમની કોઈપણ રીતે વહેચણી ન કરવા તાકીદ કરેલ હતી ત્યારબાદ કંપનીમાંથી ડિરેક્ટર તરીકે ફરીયાદીએ તા.28/01/2022 ના રાજીનામુ આપેલ છે, તે ડોક્યુમેન્ટ કંપનીના અન્ય ડિરેકટર આરોપી અરવિંદે બેંક સમક્ષ રજુ કરેલ છે તેવી જાણ બેંક મેનેજેર દ્વારા વાત કરવામા આવતા તેઓ બેંકે રૂબરૂ ગયેલા ત્યાં બોગસ સહી વાળુ રાજીનામુ જોયેલ જેમાં સ્વીકારનાર તરીકે કંપનીના ડીરેક્ટર અરવિંદએ સહી કરેલ હતી. ત્યારબાદ ઓન લાઈન તપાસ કરાવતા જાણવા મળેલ કે, કંપનીમાથી તેઓનું ડીરેકટર તરીકે નામ નીકળી ગયેલ છે તેમજ તા.27/01/2022 ના બે નવા ડિરેકટર દાખલ થયેલ જેમાં જયમીનભાઈ ગોસ્વામી, નયનાબેન વણપરીયા (રહે. અમદાવાદ) તથા તા.11/05/2023 ના એક નવા ડિરેકટરનું નામ દાખલ કરવામાં આવેલ જે રમેશચંદ્ર સોજીત્રા (રહે. અમદાવાદ) હતાં. જે દાખલ થયેલ નામોની તેઓને કયારેય લેખિત જાણ કરવામા આવેલ નથી. તે અંગે કોઈ મિટીંગ બોલાવેલ હોય તેમા હાજર રહેવા પણ લેખિત જાણ કરેલ નથી. તેમજ તેઓએ કંપનીમા કયારેય રાજીનામુ આપેલ નથી કે નવા ડીરેકટર તરીકે કોઈની નિમણૂક કરેલ નથી બાદમાં ઓગષ્ટ-2020 થી બન્ને આરોપીઓએ કંપનીના ડીરેકટર તરીકે કંપનીમા શુ વહીવટ ચાલે છે તે અંગે કોઈ જાણ કરેલ નથી. વધારાની રકમ બેંકમાં જમા રાખેલ હોય તે રકમ બેંકમાથી તેઓની જાણ બહાર ગેરકાયદેસર રીતે ઉપાડી લેવા તેમજ ફરીયાદીના પરિવારની કુલ રૂ.43.59 રકમ અને બેંક દ્રારા મળી કુલ રૂ. 85.59 લાખ ઓળવી જવા માટે બન્ને આરોપીઓએ મિલાપીપણ કરી તેઓનું ફરીયાદીની બોગસ સહી વાળુ રાજીનામુ બનાવી તે બેંકમાં રજૂ કરી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.