નામ ટ્રાન્સફરમાં છીંડા દુર કરવા નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરમાં હવે પછી બનતી નવી મિલકતોમાં બિલ્ડરને જ પહેલો માલિક ગણવા ઠરાવ મંજૂર કરવામાં આવ્યો એ મિલકત વેચાયા પછી ટ્રાન્સફર ફી ભરવા બિલ્ડરો દ્વારા શોધવામાં આવતી છટકબારી બંધ થશે એવો શાસકોએ કર્યો છે.
- Advertisement -
મ્યુનિ.ની રેવન્યુ કમિટીની બેઠક પછી ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલાએ કહ્યું, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગને થતી નામ ટ્રાન્સફર ફીની વિગત ચકાસવામા આવતા પ્રાથમિક તબક્કે એવુ જાણવા મળ્યુ છે કે, ઘણાં ખરા કિસ્સાઓમાં બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવતા સમયે જે તે બિલ્ડર દ્વારા 25 કે 30 મિલકતની ટ્રાન્સફર ફી ભરી દેવામાં આવતી હોય છે. પછી મિલકત ખરીદનાર દ્વારા જયારે મિલકત ખરીદવામા આવે તે સમયે નામ ટ્રાન્સફર કરવા માટે ફી ભરવામાં આવતી નહતી.
આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને કમિટીએ ઠરાવ કર્યો છે કે, હવે પછી શહેરમાં બનનારી નવી તમામ મિલકત માટે બિલ્ડર જ પહેલો માલિક ગણાશે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને નામ ટ્રાન્સફર ફી પેટે રૂપિયા 18 કરોડની આવક થાય છે.
જેમાં બિલ્ડરને પહેલો માલિક ગણવાના ઠરાવ પછી વધારો થવાથી રૂપિયા 25 કરોડ સુધી આવક પહોંચી શકે એમ છે.