ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ 800થી વધુ જેટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રદેશની સૂચના અનુસાર પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયાની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન બેઠક યોજવામાં આવી હતી. બાબુભાઈ જેબલીયાનું સ્વાગત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાએ ખેસ અને બુકે આપી કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયાએ ભારતના સંવિધાનની વિશિષ્ટતાઓ સમજાવી અને સંવિધાનની રચનામાં ડો. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાન તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને કરવામાં આવેલા અન્યાય વિશે જણાવતાં કહ્યું હતું કે આપણું બંધારણ, માનવ સ્વાભિમાન અભિયાન હેઠળ 26મી નવેમ્બરે બંધારણ અપનાવવાના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીએ આપેલા યોગદાનને ઉજાગર કરી અને દેશના અન્ય નેતાઓની હરોળમાં તેમને પણ સન્માન મળે તે માટે ભાજપ સરકારે તેમને સન્માન મળી રહે તે માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે.
પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, પૂર્વમેયર ડો. પ્રદિપ ડવ, પૂર્વ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખો, મંત્રીઓ, કોર્પોરેટરો, વોર્ડના પ્રભારી, વોર્ડ પ્રતિનિધિ, વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિત તેમજ શહેર ભાજપના કિસાન મોરચો, અનુસુચિત જાતિ, યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, સેલના સંયોજક, સહસંયોજક સહિત બહોળી સંખ્યામાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સહિત વિવિધ સમાજના આગેવાનો, અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સહિત 800થી વધુ જેટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને સફળ બનાવવા આ કાર્યક્રમના સંવિધાન ગૌરવ અભિયાનના મહાનગરના સંયોજક અને શહેર ભાજપના ઉપાધ્યક્ષ મહેશ રાઠોડ તેમજ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતેથી શહેર ભાજપ ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી હીતેશ ઢોલરીયા અને સહકાર્યાલય મંત્રી શૈલેષ દવેએ જહેમત ઉઠાવી હતી.