અમદાવાદમાં નશાનું નેટવર્ક તોડવા પોલીસનો નવતર પ્રયોગ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.10
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર 02, જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતું હોય શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થો શોધી, નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા અને નશાકારક પદાર્થો શહેરમાં આવતા અટકાવવા તેમજ નશાકારક ચીજવસ્તુઓ ઉપયોગ કરવાથી યુવાધન ને બચાવવા પણ કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલી છે.
- Advertisement -
હાલમાં નશાકારક પદાર્થો પકડી પાડવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હોઈ, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય, ગુન્હેગારો પણ નશો કરનારની માંગ મુજબ જે એન.ડી.પી.એસ. એક્ટની વ્યાખ્યામાં આવતા ના હોઈ, તેવા મેડિકલ ટેબલેટ, ઇન્જેક્શન, સોલ્યુશન ટ્યુબ, વિગેરે જેવી નશા કારક ઝેરી વસ્તુઓ પણ વહેંચવા માંડતા હોય છે. તાજેતરમાં અમદાવાદ શહેર જેસીપી સેક્ટર 02, જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા ઈસનપુર વિસ્તારમાં રાખવામાં આવેલી ખાસ કોમ્બિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન મળેલ માહિતી આધારે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ આર.બી. તેલે તથા સ્ટાફ દ્વારા સોલ્યુશન ટ્યુબ અને એવિલ ઇન્જેક્શન નો જથ્થો તેમજ વટવા પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ અશ્વિન ગંધા તથા સ્ટાફ દ્વારા 12 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો, જેની આંતર રાષ્ટ્રીય કિંમત 12 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે પકડી પાડી, આરોપીઓની ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવામાં આવેલો છે.
લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય, ગુન્હેગારો પણ નશો કરનારની માંગ મુજબ જે એન.ડી.પી.એસ. એક્ટની વ્યાખ્યામાં આવતા ના હોઈ, તેવા મેડિકલ ટેબલેટ, ઇન્જેક્શન, સોલ્યુશન ટ્યુબ, વિગેરે જેવી નશા કારક ઝેરી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય, જે અટકાવવા તથા પકડી પાડવા માટે જે ડિવિઝન વિસ્તારના મણિનગર, ઈસનપુર, વટવા અને જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશન વિસ્તારના મેડિકલ સ્ટોરના ધારકો, સંચાલકો, વેપારીઓ, ડીલર, આશરે 250 જેટલા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા, ચારેય પોલીસ સ્ટેશનના થાણા અમલદારો પોલીસ ઇન્સ. ડી. પી. ઉનડકટ, આર. એમ. પરમાર, પી. બી. ઝાલા, બી. એસ. જાડેજા તથા સ્ટાફ તેમજ ફૂડ એન્ડ ડ્રગના અધિકારી ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એ. એસ. વ્યાસ દ્વારા એક મિટિંગ અને સેમિનારનું આયોજન જીઆઇડીસી ખાતેના વીઆઇ હોલ ખાતે યોજવામાં આવેલ હતું. આ સંયુક્ત મિટિંગમાં ઉપસ્થિત આશરે 250 જેટલા મેડિકલ સ્ટોરના માલિકો, ધારકો, ડીલરો અને વિક્રેતાઓ પૈકી વેપારીઓ દ્વારા સૂચનો પણ આપવામાં આવેલ હતા, જેનો પોલીસ અધિકારીઓ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં નશાનું નેટવર્ક તોડવા માટે કરવામાં આવેલ નવતર પ્રયોગને તમામ મિટિંગમાં ઉપસ્થિત આશરે 250 જેટલા મેડિકલ સ્ટોરના માલિકો, ધારકો, ડીલરો અને વિક્રેતાઓ, વેપારીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો.