મહાકુંભ મેળા માટે સ્પેશ્યલ ટ્રેન દોડશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફોરની વધારેભીડને ઘ્યાનમાં રાખીને, પશ્ર્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવીઝનલ કોમર્શીયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશ્યલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
- Advertisement -
ટ્રેન નં.0991 વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન 22 ફેબ્રુઆરી, 2025ના રોજ વેરાવળથી 22.20 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 14.45 કલાકે બનારસ પહોંચશે. તેવી જરીતે, 24 ફેબ્રુઆરી, 202ના રોજ ટ્રેન નં.09592 બનારસ-વેરાવળ મહાકુંભ મેળા સ્પેશ્યલ બનારસથી 19.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે વેરાવળ 09.00 કલાકે પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, પિંડવાડા, ફાલના, રાણી મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગરા ફોર્ટ, ટુંડલા,ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-ર ટાયર, એસી 3 ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેક્ધડ કલાસ કોચ હશે. ટ્રેન નં.09591 માટે બુકિંગ ર4મી ડિસેમ્બરથી તમામ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટપર શરૂ થશે.