ખેડૂતોના નામે યુ.પી.ની મગફળી ટેકાના ભાવે ધાબડી કોરોડોના કૌભાંડની આશંકા
જૂનાગઢ જિલ્લામાં અગાઉ મગફળીના મસ મોટા કૌભાંડ બહાર આવ્યા છે
કથિત કૌભાંડમાં ભાજપના નેતાઓની અંદરખાને ભાગીદારી હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
સરકાર દ્વારા ટેકાના ભાગે મગફળી સહિતની જણસો ખરીદવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ટેતકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવે છે તે મોટા ભાગે ભાજપના હોદેદારો સંચાલિત મંડળી દ્વારા ખરીદ કરવામાં આવે છે. મગફળી ખરીદીમાં દર વખતે નાના/મોટા કૌભાંડો થાય છે તેવી રીતે આ વખતે પણ ભાજપના અમુક કૌભાંડીઓ દ્વારા સ્થિાનિક ખેડૂતોને બદલે ખેડૂતના નામે યુપીથી મગફળી લાવી ધાબડી દેવાનું કારસ્તાન શરૂ થયુ હોવાનો ગણવણાટ શરૂ થયો છે. સમગ્ર દેશમાં હાલમાં સૌથી સસ્તી મગફળી યુપીમાં મળે છે. જેમાં કિલોએ રપ થી 27 રૂપિયાનો ભાવ ફેર છે. આ વખતે મગફળીના બજાર ભાવ ઓછા હોવાથી અનેક ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચી રહ્યા છે. હાલમાં જૂનાગઢ તથા આસપાસના બજારમાં મગફળીના એક કિલો ભાવ પપ આસપાસ છે. જયારે ઉત્તરપ્રદેશમાં એક કિલો મગફળીના ભાવ 36થી 40 છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીમાં એક કિલોના 67.50 રૂપિયા ખેડૂતને ચૂકવવામાં આવે છે. યુપીથી મગફળી લાવવામાં આવે તો કિલોએ પાંચ રૂપિયા ભાડુ તથા 6 રૂપિયા મજુરી ખર્ચ ચડાવવામાં આવે તો પણ ટેકાન ભાવ કરતા એક કિલોએ રૂા.17 જેવો ભાવ ફેર રહે છે. આ વાતની કૌભાંડીઓને સારી એવી જાણ થઇ જતા આ વખતે ટેકાના ભાવની ખરીદીમાં ભાજપના અમુક કૌભાંડીઓએ યુપીથી મગફળી લાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે ધાબડી દેવાનું શરૂ કરી દીધુ હોવાનું જાણવા મળે છે.
- Advertisement -
અગાઉ જૂનાગઢ જિલ્લામાં મગફળીમાં અનેકવાર ટેકાના ભાવની ખરીદીમાં કૌંભાડ થયા હતા. જેના લીધે ટેકાના ભાવની રીદીમાં જૂનાગઢ જિલ્લાની છબી ખરડાયેલી છે. આ વખતે પણ આ ટોળકી દ્વારા કૌભાંડની શરૂઆત ઘણા મસયથી કરી દેવામાં આવી હોવાનું ખુદ ભાજપના વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. નાના કૌભાંડીઓ જે વિસ્તારમાંથી સસ્તી મગફળી મળે ત્યાંથી લાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે નાી રહ્યા છે પરંતુ મોટા કૌભાંડીઓએ મોટા જથ્થો યુપીથી લાવી કરોડોની કાળી કમાણી કરવાનું શરૂ કરી દીધુ છે. અગાઉ જયારે મગફળીનું કૌભાંડ થયુ હતુ ત્યારે ભાજપના જ નેતાઓના નામ ખુલ્યા હતા. જેમાં રાજસ્થાનની મગફળી ખેડૂતોના નામે ટેકાના ભાવમાં ઘુસાડી દીધી હતી. મગફળીનો શંકાસ્પદ જથ્થો સળગાવી દીધો હતો આવાઅનેક કૌભાંડો ભાજપના આગેવાનોએ કર્યા હતા. આ વખતે પણ અગાઉ કૌભાંડમાં સંડોવાયેલા અને પડદા પાછળ રહેલા આગેવાનો દ્વારા મગફળીની ટેકાના ભાવે અમુક મંડળી મારફત ખરીદીઓનું સંચાલન કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ જિલ્લામાં 32 જેટલી મંડળીઓ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. જે તમામ મંડળીઓ ભાજપના આગેવાનો સંચાલિત મંડળીઓ છે. જૂનાગઢ જિલ્લામાં તા.17 સુધી 13860 ખેડૂતોની 4. લાખ કિવન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ મગફળીની 307 કરોડ રૂપિયા જેવી કિંમત થાય છે.
ઉત્તરપ્રદેશની મગફળીના ઉતારામાં મોટો ફેર
જૂનાગઢ સહિત ગુજરાતની મગફળીમાં ઉતારો કાઢવામાં આવે તો ર00 ગ્રામ મગફળીમાંથી 150 ગ્રામ જેટલા દાણા નિકળે છે. જયારે યુપીની ર00 ગ્રામ મગફળીમાંથી 13 થી 136 જેટલા દાણા નિકળે છે. જેના લીધે યુપીની મગફળીનો ભાવ ઓછો રહે છે.અગાઉ રાજસ્થાનની મગફળી ધાબડી હતી, આ વખતે ગુજરાત અને રાજસ્થાનમાં ર0 મણ મગફળએ માત્ર ર00 રૂપિયા ભાવ ફેર હોવાથી યુપીની મગફળી ધાબડવામાં આવી રહી છે.