રાકેશપ્રસાદજી મહારાજએ રાધારમણ દાસજી સ્વામીને રૂડા આશીર્વાદ પાઠવ્યા
બહોળી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ વડતાલ, તા.13
વડતાલધામ મુકામે લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં દ્વિશતાબ્દી મહોત્સવ આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય રીતે ઊજવાય રહ્યો છે ત્યારે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં તથા વડતાલના ચેરમેન દેવપ્રકાશ સ્વામી , કોઠારી ડો.સંત વલ્લભદાસજી સ્વામી, નૌતમદાસજી સ્વામી, માધવપ્રિયદાસજી સ્વામી સહિત હજારો સંતોની પાવન ઉપસ્થિતિમાં રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી (જામજોધપુર વાળા) ના વ્યાસાસને વ્યાખ્યાન માળા યોજાઈ હતી, શાસ્ત્રી રાધારમણ દાસજી સ્વામીએ વ્યાખ્યાન માળાનો અલભ્ય લાભ આપ્યો હતો, હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાખ્યાન માળાનો દિવ્ય લાભ લીધો હતો, વ્યાખ્યાન માળા બાદ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીને ભેટી પડ્યા હતા . મહારાજ એ રાધારમણ દાસજી સ્વામીને પ્રસાદીનો હાર પહેરાવી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા, ઉપરોક્ત તસવીરોમાં વડતાલધામ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણ દાસજી સ્વામી (જામજોધપુર વાળા) તેમજ હરિભક્તો નજરે પડે છે.