જૂનાગઢ જિલ્લામાં 1થી 3 ઇંચ વરસાદ વરસતા ખેડૂતની માઠી દશા
જિલ્લાના ખેડૂતો માથે આફતનો વરસાદ પડતા પડ્યા પર પાટું
- Advertisement -
વિસાવદરના સરસઈ ગામે ખેતી કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા પાંચ – છ દિવસથી વરસાદી માહોલ સર્જાયો જોવા મળે છે દિવસ તથા રાત્રી દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ઝોરદાર વરસાદી ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે જેમાં ગત બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો જેમાં 1 થી 3 ઇંચ વરસાદ વરસતા ત્યારે હવેનો જે વરસાદ માવઠા સાથે વરસી રેહવાથી ખેડૂતો માથે આફત જોવા મળી રહી છે.ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.જયારે ખેડૂતોનો તૈયાર થયેલ પાક લણવાનો સમય આવ્યો એ સમયે વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ જોવા મળી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લા સહીત સમગ્ર સોરઠ પંથકમાં છેલ્લા દિવસોથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને ભારે બફારો વધ્યા બાદ વરસાદનું જોર વધે છે અને જોરદાર વરસાદી ઝાપટા પડવાને લીધે હવે ખેડૂતોની ચિંતા વધી છે ગત સામી સાંજ બાદ જૂનાગઢમાં 1 ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા હતા
એજ રીતે મેંદરડા પંથકમાં ગાજવીજ સાથે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો તેની સાથે વિસાવદર, માળીયા હાટીના, કેશોદ સહીત વિસ્તારમાં વક ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતો માટે આફત રૂપી વરસાદ પડી રહ્યો છે જેમાં મગફળી, સોયાબીન સહિતના કઠોળ પાકને વ્યાપક નુકશાની જોવા મળી રહી છે.હાલ જયારે ધરતી પુત્રોએ ચાર મહિનાની મેહનત કરીને પાક તૈયાર કર્યો છે એવા સમયે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
- Advertisement -
મેંદરડાના ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશસંગઠન મંત્રી પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લામાં ખેડૂતોનો પાક મગફળી, સોયાબીન, અડદ જેવા પાકો તૈયાર થઈ ગયા છે તયારે ખેડૂતો પાકની કાપણી કરી રહ્યા હોય ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડુતોને તૈયાર પાક નિષ્ફ્ળ ગયેલ છે તેમજ ખેડૂતોએ 4 મહિના સુધી મહેનત કરીને વિઘે રૂ.15000નો ખર્ચ કરીને પાક તૈયાર કર્યો છે પણ વરસાદ વરસતા ખેડુતોને હાથ આવેલ કોળિયો છીનવાઈ ગયો છે અને જગતનો તાત ફરી લાચારી સાથે પાયમાલ થવાની કગાર પર છે.
હાલના સમયે જિલ્લાના મહત્તમ તાલુકામાં ખેતી પાક તૈયાર થયેલ જોવા મળે છે ત્યારે કમોસમી વરસાદ પડતા જિલ્લામાં ખેતી પાકને ભારે નુકશાની જોવા મળી રહી છે.જે તૈયાર થયેલ પાક પર વરસાદ પડતા પાકના ઉત્પાદન પર અસર પડે છે અને જે બજાર ભાવ મળવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં ભાવ મળશે નહિ અને ખેડૂતો કરેલ ખર્ચ માથે પડશે કારણ કે, તૈયાર થયેલ પાક પર વરસાદ પડવાથી બગડી જવાની પુરી સંભાવના છે.જેના લીધે આ વરસાદ ખેડૂતને પાયમાલ કરી દેશે.
જૂનાગઢ જિલ્લામાં ગત સામી સાંજ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં વિસાવદર તાલુકાના સરસાઈ ગામની સિમ વિસ્તારમાં જયસુખભાઈ દામજીભાઈ ભુવાની વાડીએ ખેતી કામ કરતી નિશાબેન રાહુલભાઈ ભંડારી ઉ.વ.20 મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ગોમવાડા ગામની અને હાલ રહે.સરસઇ ગામની પરપ્રાંતીય મહિલા પર અચાનક વીજળી પડતા મહિલાને શરીરના ભાગે ગંભીર ઇજા પોહચી હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું આ વીજળીની ઘટનામાં મહિલાનું મૃત્યુ નિપજતા તેના પતિ રાહુલભાઈ મદનભાઈ ભંડારીએ વિસાવદર પોલીસમાં અમોતની ફરિયાદ નોંધાવતા પોલીસે અમોત ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.