ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકાર સમક્ષ શાળાઓ ફરી શરુ કરવા દેવા માટે ઉગ્ર માંગ અને આવેદનપત્ર આપવાના હોય, આ અંગેની અખબારી યાદીને આપના સુપ્રસિધ્ધ મિડિયામાં સ્થાન આપવા વીનંતી.
આભાર સહ,
ભરતભાઇ ગાજીપરા
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, પ્રમુખ
રાજકોટના ૨૦૦ જેટલા શાળા સંચાલકો દ્વારા રાજયની તમામ ૯ થી ૧૧ની ખાનગી શાળાઓને ત્વરીત શરુ કરવા અને બીજા તબક્કે દોરણ ૬ થી ૮ની શાળાઓને મંજૂરી આપવા બાબત જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન
- Advertisement -
રાજયના દરેક જીલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળો દ્વારા તેમના જીલ્લાના શિક્ષણાધિકારીઓને આવેદન અપાયુ: નકલ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને રવાના કરાઇ
હવે જયારે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે, સરકાર દ્વારા ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે. આ અંગે રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી, રાજયના તમામ જીલ્લા મથકોએ આજરોજ શિક્ષણાધિકારીઓને આવેદનપત્ર આપી, તેમની માંગ સરકાર સુધી પહોંચાડવા શિક્ષણાધિકારીને અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટના ૨૦૦ થી વધુ સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા નીચે મુજબના મુદ્દાઓના સમાવેશ કરાયા છે
- Advertisement -
• જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરુ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબુમાં આવ્યો છે અને સરકારશ્રી દ્વારા ટયુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મીક સંસ્થાઓને મંજૂરી આપી છે, તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે?
• પ્રથમ તબક્કામાં સરકારએ ધોરણ ૯ થી ૧૧ ની અને બીજા તબક્કામાં ધોરણ ૬ થી ૮ ની શાળાઓને ફરી શરુ કરવાની ત્વરીત મંજૂરી આપવી જોઇએ તેવી અમારી ઉગ્ર માંગણી છે.
• ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવીડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજુરી અપાતી નથી તે આશ્ચર્યજનક બાબત છે.
• તે ઉપરાંત ધોરણ ૯ થી ૧૨ ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ ૧.૫ વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે, તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે.
• ગુજરાતના અમુક અંતરીયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેકટીવીટીની મોટી સમસ્યા છે. ઘણા બાળકો એવા છે જેની પાસે ઇન્ટરનેટ કે મોબાઇલ ફોનની જરુરી વ્યવસ્થા નથી, તેવા બાળકોને ખુબ નુકશાન થઈ રહ્યું છે.
• શાળા સંચાલકોને શાળા શરુ કરવા વાલીઓ દ્વારા સતત અનુરોધ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ પણ ખુબ ચિંતિત જણાય છે, તેઓ પણ શિક્ષકોને ઓનલાઇન કલાસ દરમિયાન શાળા શરુ કરવા આહવાન કરે છે.
• ગુજરાત રાજયના શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેકસિનના બન્ને ડોઝ અપાઇ ગયા છે, તેથી આવનર વિદ્યાર્થી માટે શાળાઓ અને શિક્ષકો સુરક્ષીત છે.
• મોટા ભાગના રાજયોએ શાળાઓ શરુ કરવાનો રોડમેપ તૈયાર કરી, જાહેર કરી દીધો છે. ત્યારે ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ અને રાજય સરકારએ આ બાબતે તૈયારી કરવી જોઇએ.
• આપણે સૌએ ત્રીજી વેવ આવે તેની રાહ જોઇને બાળકોનું શિક્ષણ બગાડવું ન જોઇએ. આવનારા દિવસો માટે આપણે સુરક્ષીત વાતાવરણ બનાવી,સુરક્ષાના તમામ પગલાઓ ભરી શિક્ષણકાર્ય શરુ કરવું જોઇએ. જો ભવિષ્યમાં પરિસ્થિતિ અનુકુળ ન જણાય તો તકેદારીના ભાગરુપ ફરી શાળાઓ જરુરીયાત મુજબ બંધ કરી શકાય છે.
• તાજેતરમાં નામદાર હાઇકોર્ટ દ્વારા (રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની PIL દરમિયાન) ટકોર કરવામાં આવેલી કે ’ક્રિકેટના મેદાન પર ભીડ થઈ શકતી હોય તો આ પરિસ્થિતિમાં શાળાઓ બંધ રાખીને શિક્ષણ બગાડવું ન જોઇએ. જે પરથી પ્રતિત થાઈ છે, કે શાળાઓ ખોલીને બાળકોના ભવિષ્ય માટે સારા પગલાઓ લઈ શકાય છે.
• હજુ આ પછી પણ જો સરકાર અમારી માંગ નહી સ્વિકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર અંદોલનનાં પણ મંડાણ કરાશે. જો જરુરી જણાશે તો ઓનલાઇન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અમે ખચકાશું નહી, જેની સરકાર ગંભીર નોંધ લે તેવી અમારી માંગણી છે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનયર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ વતી પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, એફ.આર.સી કમીટીના સભ્ય અજયભાઇ પટેલ, તેમજ કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા સરકાર સમક્ષ શાળાઓ શરુ કરવા દેવા આ આવેદનપત્રના માધ્યામથી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્રની નકલ માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવને રવાના કરવામાં આવી છે.


