ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિવમ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્વ. પ્રવિણસિંહ પરમારના સ્મરણાર્થે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે સતત 24માં વર્ષે રાહત દરે ફરસાણ તેમજ મીઠાઈ વિતરણનું આયોજન તા. 23 ને શુક્રવારના રોજ સવારે 8-00થી સાંજે 6-00 વાગ્યા સુધી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રૂા. 170માં 2 કિલો ફરસાણ તથા મીઠાઈ આપવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શહેરના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. દીપ પ્રાગટ્ય શંભુભાઈ પરસાણા તથા નારણભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ ગ્રુપના કુલદીપસિંહ પરમાર, વિપુલ પટેલ, ગીરીરાજસિંહ જાડેજા, જયેશ ઉદેશી, ધવલ જોષી, કમલ લીંબડ, ચેતન શુકલ, સંજય ધીનોજા, રાજુ જોષી, મહેન્દ્ર કામલીયા, પંકજ પરમાર, અતુલ કારીયા, વિશાલ ભીમાણી, ભરત દાવડા, પરાગ પરમાર, ઉદયભાઈ પરમાર, વિજય પરમાર, પાર્થિવ દવે તથા સર્વે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. શિવમ પ્રોપર્ટીઝ, 4 પુજારા પ્લોટ કોર્નર, પુજારા પ્લોટ મેઈન રોડ જલારામ બેકરી તથા ચિરાગ મેડિકલની બાજુમાં, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ મેઈન રોડ ખાતે વિતરણ કરવામાં આવશે.