કલેક્ટર અને કમિશનર દ્વારા શહેરીજનોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જૂનાગઢ મહાનગર સેવા સદન ખાતે માન.કલેકટર અનીલકુમાર રાણાવસિયા અને કમિશનર ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ નાયબ કમિશનર એ.એસ.ઝાંપડા, અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું.
- Advertisement -
આ તકે માન.કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ શહેરના નાગરિકોને રાષ્ટ્રધ્વજને પોતાના મકાન, દુકાન સહિતના સ્થળોએ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા તેમજ દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફેહરાવતી વખતે તિરંગાનું માન, સન્માન અને ગરિમા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી લેવા પણ અપીલ કરી હતી.જૂનાગઢમાં સ્વાતંત્ર્ય દિન પૂર્વે તા.14 ઓગસ્ટના રોજ સાંજે 5 કલાકે યોજાનાર તિરંગા યાત્રામાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, બહાઉદ્દીન કોલેજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભા ગૃહ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં પોલીસ જવાનો, બાઇક સવાર, બેન્ડ એનસીસી કેડેટ સહિતના લોકો જોડાશે. તેમ જણાવતા કલેકટર અને કમિશનર દ્વારા જૂનાગઢના શહેરીજનોને પણ આ યાત્રામાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.